નીરવ મોદીને લાવવાની તૈયારીઃ CBI-EDની ટીમ જશે લંડન જશે

નવી દિલ્હીઃ ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાના પ્રયાસોમાં તેજી આવી છે. ભારતની મોટી તપાસ એજન્સીઓ — સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) — પ્રત્યાર્પણ સંબંધિત કેસની સુનાવણીમાં ભાગ લેવા આવતા અઠવાડિયે લંડન જઈ રહી છે. એજન્સીઓનો આ પ્રવાસ એટલા માટે મહત્વનો છે, કારણ કે નીરવ મોદીએ બ્રિટનની કોર્ટમાં આ દાવો કર્યો છે કે જો તેને ભારત મોકલવામાં આવશે તો તેની સાથે ‘યાતના અથવા ખોટું વર્તન’ થવાની શક્યતા છે. ત્યાં CBI અને EDની ટીમ નીરવ મોદીના આ દાવાનું કોર્ટમાં ખંડન કરશે.

ભારત સરકારનો વિશ્વાસ

ભારત સરકાર પહેલેથી જ યુકે સરકારને લેખિત વિશ્વાસ આપી ચૂકી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નીરવ મોદીને ભારત લાવ્યા બાદ તેને માત્ર કોર્ટની કાનૂની પ્રક્રિયાનો જ સામનો કરવો પડશે અને કોઈ પણ એજન્સી તેને પરેશાન નહીં કરે.

સુનાવણી ક્યારે?

ભારતીય ટીમ 14 ડિસેમ્બરથી લંડનમાં હાજર રહેશે. આ કેસની મહત્વની સુનાવણી 16 ડિસેમ્બરે થવાની શક્યતા છે. આ સુનાવણી અત્યંત મહત્વપૂર્ણ હશે, કારણ કે તેમાં જ નક્કી થઈ શકે છે કે નીરવ મોદીની અંતિમ અપીલ સ્વીકારવામાં આવશે કે પછી તેને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવશે.

નીરવ મોદી પર શું છે આરોપ?

નીરવ મોદી પર આરોપ છે કે તેણે PNB માં નકલી LoU (લેટર ઓફ અંડરટેકિંગ) બનાવીને દેશમાંથી મોટી રકમ વિદેશ મોકલી. તેની કંપનીઓ મારફતે આ રકમ બહાર ગઈ અને પછી તે પોતે દેશ છોડીને ભાગી ગયો.