ગોવા: PM નરેન્દ્ર મોદીએ સોમવારે INS વિક્રાંત પર નેવીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેઓ રવિવારથી જ ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ 12મી વખત છે જ્યારે PMએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે.અહીં તેમણે જવાનોને ભાષણ આપ્યું. પીએમ મોદીએ કહ્યું, “હું ગઈકાલે તમારી પાસેથી જીવવાનું શીખ્યો અને મારી દિવાળી ખાસ બની ગઈ.” તેમણે કહ્યું, “આજનો આપણું વિક્રાંત આત્મનિર્ભર ભારત અને મેડ ઇન ઇન્ડિયાનું એક વિશાળ પ્રતીક છે. INS વિક્રાંતે હાલમાં પાકિસ્તાનની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. જેના નામથી જ દુશ્મનની શાંતિ છીનવાઈ જાય છે, તે INS વિક્રાંત છે.”
Highlights from INS Vikrant, including the Air Power Demo, a vibrant cultural programme and more… pic.twitter.com/Br943m0oCC
— Narendra Modi (@narendramodi) October 20, 2025
મને મારા પરિવાર સાથે દિવાળી ઉજવવાની આદત પડી ગઈ છે: PM
PM નરેન્દ્ર મોદીએ કહ્યું, દિવાળી દરમિયાન, દરેકને પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવાનું મન થાય છે. મને પણ મારા પરિવાર સાથે દિવાળી ઉજવવાની આદત પડી ગઈ છે. તેથી જ હું તમારી વચ્ચે દિવાળી ઉજવવા આવ્યો છું.”આ વખતે હું તમારી સાથે છું. જ્યારે INS વિક્રાંત રાષ્ટ્રને સોંપવામાં આવી રહ્યું હતું, ત્યારે મેં કહ્યું, “વિક્રાંત મહાન, અનોખું છે. તે માત્ર એક યુદ્ધ જહાજ નથી; તે 21મી સદીના ભારતની સખત મહેનત અને પ્રભાવનું પરિણામ છે.”
INS વિક્રાંત પર ઉજવી દિવાળી
પોતાના સંબોધનમાં કાવ્યાત્મક અંદાજ અપનાવતા તેમણે કહ્યું, “આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, અને બીજી તરફ અનંત શક્તિઓનું પ્રતિક આ વિશાળકાય INS વિક્રાંત છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોની ચમક, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા જેવી લાગે છે.”PMએ નૌસેનાના કર્મીઓ દ્વારા ગાવામાં આવેલા દેશભક્તિના ગીતોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “આ ગીતોમાં જે ભાવના હતી, તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આ પ્રકારની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોના દિવસે પોતાના પરિવારોથી દૂર, દેશની સેવામાં તૈનાત જવાનોનું મનોબળ વધારવાનો અને તેમને એ અહેસાસ કરાવવાનો છે કે સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે.”
