Saturday, June 7, 2025
Google search engine
HomeNewsSportsઆઈસીસીની વર્લ્ડ કપ ટીમના કેપ્ટન તરીકે રોહિતની પસંદગી

આઈસીસીની વર્લ્ડ કપ ટીમના કેપ્ટન તરીકે રોહિતની પસંદગી

દુબઈઃ ક્રિકેટની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ વર્લ્ડ કપ-2023ની સમાપ્તિ બાદ આઈસીસી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. એમાં કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કર્યો છે. આ ઈલેવનમાં ભારતના છ ખેલાડી છે, જેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વિરાટ કોહલીનો પણ સમાવેશ છે.

અમદાવાદમાં ગઈ કાલે રમાઈ ગયેલી વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું, પણ રોહિત શર્માએ ટીમની સરસ રીતે દોરવણી કરી હતી અને પોતે નિર્ભયતાપૂર્વક બેટિંગ કરી હતી. આ બંને ગુણ માટે તેની ક્રિકેટજગતમાં પ્રશંસા થઈ છે. ટુર્નામેન્ટમાં એ સૌથી વધુ રન કરનાર બેટર્સની યાદીમાં બીજા ક્રમે રહ્યો – 597 રન કરીને. પહેલા ક્રમે વિરાટ કોહલી રહ્યો – 765 રન સાથે. રોહિતે 1 સેન્ચૂરી અને ત્રણ હાફ સેન્ચૂરી ફટકારી હતી. 11 મેચોમાં એની બેટિંગ સરેરાશ રહી 54.27 રનની. કોહલીએ ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી હતી.

આ છે આઈસીસીની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટઃ

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • ક્વિન્ટન ડી કોક
  • વિરાટ કોહલી
  • ડેરીલ મિચેલ
  • કે.એલ. રાહુલ (વિકેટકીપર)
  • ગ્લેન મેક્સવેલ
  • રવિન્દ્ર જાડેજા
  • જસપ્રિત બુમરાહ
  • મોહમ્મદ શામી
  • એડમ ઝેમ્પા
  • દિલ્શાન મદુશંકા.
  • (12મો ખેલાડીઃ જેરાલ્ડ કોએટ્ઝી)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular