
અમદાવાદ શહેરના કાલુપુર બ્રિજથી સરસપુર તરફ જતાં શારદાબેન હોસ્પિટલની નજીક આવેલી ફૂલચંદની જૂની ચાલી પાસે એક ઐતિહાસિક સુંદર વાવ આવેલી છે. આ વાવની સારસંભાળ અત્યારે સરસપુર સેવા ટ્રસ્ટ કરે છે. બે માળની આ વાવમાં અત્યારે જૂદા જુદા મંદિરો છે. સમયની સાથે આ પૌરાણિક વાવમાં સ્થાનિકો દ્વારા કેટલાય ફેરફારો પણ કરાયા છે.
નંદા પ્રકારની આ વાવનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં અને કૂવો પશ્ચિમ દિશામાં આવેલો છે. વાવમાં પહેલા કૂટથી લઈને બીજા કૂટના પહેલા માળ સુધી જવા માટેનો એક પથ આપવામાં આવ્યો છે. એની ઉપરનો ભાગ તેમજ નીચે ઉતરતા જ અલગ અલગ સુંદર બાંધકામ જોવા મળે છે. વાવના પ્રવેશદ્વાર અને કમાનને જોતાં તે મુઘલોના સમયની હોવાનું અનુમાન છે. આમ તો વાવ એક પાણીના સંગ્રહ માટેનું સ્થળ હોય છે, પરંતુ અહીં પાણીનો સ્ત્રોત રાખી શકાય એ જગ્યા પર સ્ટ્રક્ચર ઉભુ કરી દેવામાં આવ્યું છે. એવી છે કે, સરસપુરના મુખ્ય માર્ગ વચ્ચે આવેલું આ સ્થાપત્ય ચાલીઓ, ફેરિયા, શાકમાર્કેટ વચ્ચે શોધવું પડે એમ છે!
(પ્રજ્ઞેશ વ્યાસ)


