વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની અસર હવે ભારતીય બજારો અને સામાન્ય જનજીવન પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં દેશમાં ફરી લોકડાઉન લાગશે કે કેમ તે અંગે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ અફવાઓ પર વિરામ મુકતા મોદી સરકારના કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દેશવાસીઓને આશ્વસ્ત કર્યા છે કે ભારતમાં હાલ એવી કોઈ કટોકટી નથી કે જેના કારણે લોકડાઉન લગાવવું પડે, પરંતુ ભવિષ્યના ખરાબ સમયને પહોંચી વળવા માટે અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

વાસ્તવમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના નાગરિકોને તેલ (પેટ્રોલ-ડીઝલ) નો બગાડ અટકાવવા, બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા અને બજારમાંથી ગભરાટમાં આવીને ખરીદી (Panic Buying) ન કરવા સલાહ આપી હતી. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા સંકટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આ આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રિજિજુ પીએમ મોદીના આ જ નિવેદનના સંદર્ભમાં સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા.
ભારત માટે આ નોર્મલ સમય નથી: કિરેન રિજિજુ
એક અગ્રણી ન્યૂઝ ચેનલ ‘ટાઇમ્સ નાઉ’ સાથેની વાતચીતમાં કિરેન રિજિજુએ જણાવ્યું કે, પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં અત્યારે મોટી સમસ્યાઓ ચાલી રહી છે. આ વૈશ્વિક યુદ્ધના કારણે વિશ્વભરમાં એનર્જી ક્રાઈસિસ ઊભી થઈ છે અને દરિયાઈ વ્યાપારના રૂટ્સ પણ પ્રભાવિત થયા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “ભારતે પશ્ચિમ એશિયામાં કોઈ તણાવ પેદા કર્યો નથી, પરંતુ દુર્ભાગ્યે વૈશ્વિક અર્થતંત્ર જોડાયેલું હોવાથી આપણે પણ આ સંકટમાં ઘસડાઈ રહ્યા છીએ. આવા સમયે આપણે કોઈ વિદેશી દયા પર નિર્ભર રહી શકીએ નહીં. આપણે સ્વનિર્ભર બનીને આંતરિક તૈયારીઓ કરવી જ પડશે.” આ ગંભીર પરિસ્થિતિઓને કારણે જ પ્રધાનમંત્રીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવાનો આગ્રહ કર્યો છે.
ઘરેલું ઉત્પાદન વધારવા પર સરકારનો લાંબા ગાળાનો પ્લાન
કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા 12 years થી સતત દેશનું ઘરેલું ઉત્પાદન (Domestic Production) વધારવા પર ભાર મૂકી રહ્યા છે, જેથી વિદેશી આયાત (Import) પર ભારતની નિર્ભરતા ઘટાડી શકાય. સરકારે આ દિશામાં ઘણા મહત્વના પગલાં ભર્યા છે, તેમ છતાં ભારત હજુ પણ વિશ્વમાં ક્રૂડ ઓઈલનો બીજા (2nd) નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ છે. જ્યારે વૈશ્વિક સ્તરે આટલી મોટી મુશ્કેલીઓ હોય ત્યારે આપણે આપણા વૈશ્વિક નેતાની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ, કારણ કે આ કોઈ સામાન્ય સમય નથી.
આપત્તિના સમયે રાજનીતિ કરવા બદલ વિપક્ષ પર પ્રહાર
આ ચર્ચા દરમિયાન કિરેન રિજિજુએ વિપક્ષી દળો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે દેશ પર મુશ્કેલ સમય આવ્યો છે, ત્યારે સાથ આપવાને બદલે વિપક્ષ આ સંવેદનશીલ મુદ્દા પર માત્ર રાજનીતિ કરવામાં મશગૂલ છે. મંત્રીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, “હું આ મુદ્દે સંસદ (Parliament) માં પણ વિપક્ષને જડબાતોડ જવાબ આપીશ. સંકટના આ સમયમાં સમગ્ર દેશે રાજનીતિથી ઉપર ઉઠીને પોતાના નેતા સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. જ્યારે પરિસ્થિતિઓ સામાન્ય થઈ જશે ત્યારે વિપક્ષે જેટલી રાજનીતિ કરવી હોય એટલી કરી લે, પરંતુ અત્યારે દેશના હિતમાં દરેકનો સાથ જરૂરી છે.”




આલિયાએ એક સ્ટ્રક્ચર્ડ કોર્સેટ બૉલગાઉન પહેર્યું હતું. આ હેન્ડપ્રિન્ટેડ (Hand Printed) આર્ટવર્ક ફ્રેન્ચ રિવેરાથી પ્રેરિત હતું. જો કે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ આર્ટિસ્ટિક આઉટફિટ પાછળ જે વ્યક્તિનો મહત્ત્વનો ફાળો છે, તે બાસુરી ચોક્સી (Basuri Choksi) ગુજરાતી છે.
35 વર્ષીય બાસુરીનો જન્મ અને ઉછેર અમદાવાદ (Ahmedabad)માં જ થયો છે. તેમના પિતા મુકેશભાઈ ચોક્સી જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા છે. જ્યારે માતા જૈનાબેન ચોક્સી એક ગૃહિણી છે. બાસુરીએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ કામ કરતાં-કરતાં તેમને અનુભવ થયો કે તેમને ડિઝાઇનિંગ કરતાં આર્ટમાં વધુ રસ છે. આથી તેમણે પોતાની કલા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. વર્ષ 2015થી તેમણે આર્ટ વર્કશોપ કરાવવાનું શરૂ કર્યું. સાથે-સાથે કેન્વાસ પેઈન્ટિંગ તો ખરૂં જ અને ધીમેધીમે વૉલ પેઈન્ટિંગ કરવાનું શરૂ કર્યું… લગ્ન બાદ બાસુરીને પતિ શિવ શર્મા અને સાસુ-સસરાનો ખૂબ જ સારો સાથ મળ્યો. પતિ સાથે મળીને તેમણે આર્ટ સ્ટુડિયો શરૂ કર્યો. જેમાં અત્યારે સાથે મળીને તેઓ મલ્ટિપલ પ્રોજેક્ટ પૂરા કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટ વિશે બાસુરીનું કહેવું છે, “જ્યારે રિયા કપૂર તરફથી આ પ્રોજેક્ટ મળ્યો ત્યારે પહેલાં તો હું ખૂબ જ એક્સાઈટેડ હતી. પરંતુ તરત જ મેં મારી જાતને કામ પર ફોક્સ કરી. કારણ કે કામની સાથે જવાબદારી આવતી હોય છે. તેથી મને જે ફ્રેન્ચ રિવેરા (French Rivera)ની થીમ આપવામાં આવી હતી, તેના વિશે મેં રિસર્ચ કરવાનું શરૂ કર્યું. કાન્સ એ એક ફ્રેન્ચ રિવેરા પર સ્થિત રિસોર્ટ શહેર છે. ત્યાંની ટોપોગ્રાફી અદ્દભૂત છે. મેં ત્યાંનું મહત્વ, કલ્ચર અને જિયોગ્રાફી પર ઊંડું રિસર્ચ કર્યું. ત્યાંનું લેન્ડસ્કેપ બહુ નયનરમ્ય છે – દરિયો અને આકાશ બંનેના મિશ્રણથી ડાર્ક અને લાઈટ બ્લુના જે શેડ્સ બને છે, તે મેં પેઈન્ટિંગમાં ઉતાર્યા. ત્યાંની હિલ્સ પર લવન્ડર ફ્લાવરની ચાદર પથરાયેલી હોય છે, એટલે મેં તે પણ ડ્રેસ પર ઉતારી. રિયાએ સૂચવ્યું હતું કે આપણે ‘સમર અને હેપ્પી વાઈબ્સ’ મળે તેવું કામ કરીશું. બસ તે મગજમાં રાખીને ગાઉન પર મેં મારા મનના રંગો ઉતાર્યા.”
બાસુરી કોઈપણ પ્રોજેક્ટ હાથ પર લે છે તો તેમાં પોતાનો જીવ રેડી દે છે. દરેક પ્રોજેક્ટ માટે ખૂબ જ ઊંડું રિસર્ચ વર્ક કરે છે. આ વિશે બાસુરીનું કહેવું છે કે “કોઈ પોતાના જીવની નજીક હોય તેવાં ઘર કે ઓફિસને ડિઝાઈન કરવાનું કામ મને આપે છે, ત્યારે હું પણ સો ટકા એવો જ પ્રયત્ન કરું છું કે કોઈપણ મારું કરેલું કામ જુઓ અને જો થોડીક સેકન્ડ માટે પણ ટ્રાન્સફોર્મેશન ફિલ કરે તો મારું કામ સાર્થક થયું કહેવાય.”










સામગ્રીઃ મગની ફોતરા વગરની દાળ 1 કપ, સ્વાદ મુજબ મીઠું, આદુનો ટુકડો 1 ઈંચ, લીલા મરચાં 2-3, બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન, મોઝરેલા ચીઝ 1 કપ, કાંદો 1, સિમલા મરચાં નાના ચોરસ ટુકડામાં સમારેલાં 1 કપ, ઘી અથવા તેલ, પિઝા સોસ, ઓરેગેનો 1 ટે.સ્પૂન, ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન, બેકીંગ પાઉડર 2 ચપટી, બાફેલા કોર્ન 1 કપ, પનીર 100 ગ્રામ
