Home Blog

બજેટમાં ટેક સેક્ટરની માગ, AIને સ્ટ્રેટેજિક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવાય

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ નવમું બજેટ રજૂ કરશે. દેશનાં અન્ય તમામ સેક્ટર્સની જેમ માહિતી પ્રૌદ્યોગિકી (IT) અને ટેક સેક્ટરની પણ કેટલીક ખાસ માગો છે, જેને લઈને બજેટમાંથી શું મળશે તેના પર સૌની નજર છે. જાણો બજેટ 2026થી ટેક સેક્ટરની કેટલીક મહત્વપૂર્ણ અપેક્ષાઓ…

AI ને સ્ટ્રેટેજિક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં બજેટ મદદરૂપ બને – ટેક સેક્ટર

AI પ્રત્યેના દૃષ્ટિકોણમાં મૂળભૂત બદલાવની જરૂર છે. AI ને માત્ર એક સ્વતંત્ર સોફ્ટવેર સેગમેન્ટ તરીકે નહીં, પરંતુ એક સ્ટ્રેટેજિક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જોવામાં આવવું જોઈએ. ભારત AI ક્રાંતિનાં દ્વાર પર ઊભું છે, તેથી બજેટમાં AI ને ફક્ત સોફ્ટવેર સેક્ટર તરીકે નહીં, પરંતુ એનર્જી અથવા ટેલિકોમની જેમ જ વ્યૂહાત્મક રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા મળવી જોઈએ.

MSMEનું ડિજિટલાઇઝેશન જરૂરી

દેશનું ડિજિટલ પરિવર્તન ઝડપ પકડી રહ્યું છે, પરંતુ વિકાસનો આગામી તબક્કો વિવિધ ઉદ્યોગોમાં, ખાસ કરીને MSME સેક્ટરમાં AIના વ્યાપક ઉપયોગ પર નિર્ભર છે. મોટા કોર્પોરેશન્સની તુલનામાં MSMEમાં AIનું અમલીકરણ હજુ પણ મર્યાદિત છે. આ ઉપરાંત, બજેટ 2026 પાસેથી અપેક્ષાઓ AI આધારિત લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ટેક્નોલોજી સુધી વિસ્તરે છે. સપ્લાય ચેઇન ટેક્નોલોજી માટે સરકાર તરફથી મોટા એલાનની જરૂર છે અને બજેટ તેના માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે.

IT અને ટેક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખર્ચનું અંતર ઘટાડવામાં આવે

આ વખતના બજેટમાં દેશના રિસર્ચ અને ડેવલપમેન્ટ ખર્ચમાં રહેલા અંતરને ઘટાડવા પર ભાર મૂકવાની જરૂર છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 200 ટકા વેઇટેડ ડિડક્શનને ફરીથી અમલમાં લાવવાની જરૂર છે. ખાસ કરીને લાંબા ગાળાના ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપવા માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે.

ધર્માંતરણ મામલે પાંચ મુસ્લિમ સગીર યુવતીઓ સામે FIR

મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક 16 વર્ષની હિંદુ મિત્રને બુરખો પહેરાવવાના મામલે પાંચ મુસ્લિમ સગીર યુવતીઓ સામે FIR નોંધવામાં આવી છે. જેમની સામે FIR નોંધાઈ છે, તે તમામ યુવતીઓની ઉંમર 15થી 17 વર્ષ વચ્ચેની હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમની સામે ઉત્તર પ્રદેશના ગેરકાયદે ધર્માંતરણ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 હેઠળ કેસ નોંધાયો છે.

આ ઘટના 12 ડિસેમ્બરની હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે યુવતીના ભાઈ દક્ષ ચૌધરીની ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો છે.

આ કાયદા મુજબ જો આરોપ સાબિત થાય અને પીડિત સગીર હોય તો દોષિતોને ઓછામાં ઓછાં 5 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કઠોર કેદની સજા થઈ શકે છે. મુરાદાબાદના SP (ગ્રામીણ) કુવર આકાશ સિંહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ફરિયાદ મળતાં જ FIR નોંધવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. ધર્માંતરણવિરોધી કાયદાની કલમ 3 હેઠળ ખોટી રજૂઆત, બળ, છેતરપિંડી, અયોગ્ય પ્રભાવ, દબાણ અને લાલચ દ્વારા એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરણ પર પ્રતિબંધ છે.

ફરિયાદકર્તા ચૌધરીએ જણાવ્યું  હતું કે તેની બહેન તે યુવતીઓમાંની એક સાથે વાતચીત કરતી હતી, જેને તે લગભગ બે મહિના પહેલાં મળી હતી અને જેમની સાથે તે નિયમિત રીતે બહાર જતી હતી. ચૌધરીના જણાવ્યા મુજબ, બુરખો પહેરાવી તેની બહેનને અપહરણ કરનારી પાંચેય યુવતીઓની મનોવૃત્તિ ખોટી હોઈ શકે છે. તેથી તેણે બિલારી પોલીસ સ્ટેશનમાં પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાનો એક કથિત વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.

આ મામલા સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી યુવતીઓ અને હિંદુ યુવતી મિત્રો છે. તમામ સગીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે બપોરે તેઓ એક રેસ્ટોરાં તરફ જઈ રહી હતી, જે પીડિતાના ભાઈની દુકાનની સામેથી પસાર થાય છે. તેઓ નથી ઈચ્છતી કે તેના ભાઈને આ બાબતની જાણ થાય. પકડાઈ જવાની ભીતિથી હિંદુ યુવતીએ કદાચ પોતાની સહેલીનો બુરખો પહેરી લીધો હશે. અધિકારીએ આગળ જણાવ્યું કે મામલો સંવેદનશીલ હોવાથી પરિવારના સભ્યની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે.

કોરબામાં ફિલ્મી ઢબે 40 વર્ષ જૂના લોખંડના પૂલની ચોરી

કોરબાઃ છત્તીસગઢના કોરબામાં નહેર પર બનાવાયેલો લગભગ 40 વર્ષ જૂનો, 10 ટન વજનનો એક નાનો લોખંડનો પૂલ રાતોરાત ચોરી થઈ ગયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ઘટનામાં 15 લોકો સામેલ હતા, જેમણે કથિત રીતે ગેસ કટરનો ઉપયોગ કરીને પુલ કાપ્યો અને તેને ભંગારમાં વેચી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલે અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

કોરબા જિલ્લાના વધારાના પોલીસ અધ્યક્ષ લખન પટેલે જણાવ્યું કે 18 જાન્યુઆરીની સવારે લોકોએ જોયું કે ઢોઢીપારા વિસ્તારમાં નહેર પાર કરવા માટે બનાવાયેલો લોખંડનો પુલ ગાયબ છે. ત્યાર બાદ લોકોએ વોર્ડના કોર્પોરેટર લક્ષ્મણ શ્રીવાસને તેની જાણ કરી. પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેટરની માહિતી બાદ સીએસઈબી પોલીસ ચોકીમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી, જેને આધારે તપાસ માટે પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂલ કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો અને આ ચોરીમાં સામેલ તમામ 15 આરોપીઓની ઓળખ થઈ ગઈ છે.

10 આરોપીઓની શોધમાં પોલીસ

એડિશનલ પોલીસ અધ્યક્ષે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસી લોચન કેવટ (20), જયસિંહ રાજપૂત (23), મોતી પ્રજાપતિ (27), સુમિત સાહુ (19) અને કેશવપુરી ગોસ્વામી ઉર્ફે ‘પિક્ચર’ (22)ની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂલ ચોરી કરવાની કબૂલાત કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસના મુખ્ય આરોપી મુકેશ સાહુ અને અસલમ ખાન સહિત 10 આરોપીઓ હજી ફરાર છે, જેમની શોધ ચાલી રહી છે.

નહેરમાં છુપાવ્યું સાત ટન લોખંડ

સીએસઈબી પોલીસ ચોકીના પ્રભારી ભીમસેન યાદવે જણાવ્યું કે ચોરી બાદ નહેરની અંદર છુપાવેલું લગભગ સાત ટન લોખંડ પોલીસે જપ્ત કર્યું છે. એ સાથે-સાથે ચોરીનું લોખંડ લઈ જવા માટે વપરાયેલું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે બાકીની ચોરાયેલ સામગ્રી ક્યાં વેચવામાં આવી છે તેની પણ તપાસ ચાલી રહી છે.

શું અમેરિકા ભારત પરથી 25 ટકા ટેરિફ દૂર કરશે?

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલતા તણાવ વચ્ચે અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ સપ્તાહે દાવોસમાં યોજાયેલા એક સંમેલનમાં સંકેત આપ્યો હતો કે રશિયાથી તેલ ખરીદવાને કારણે ભારત પર લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફમાં ટ્રમ્પ સરકાર રાહત આપી શકે છે. જો ટ્રમ્પ પ્રશાસન આવો કોઈ નિર્ણય લે છે, તો તે ભારત માટે ચોક્કસપણે સારા સમાચાર સાબિત થશે.

યુક્રેન-રશિયા યુદ્ધ છતાં રશિયા સાથે વેપાર કરનાર દેશો સામે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લેવાયેલાં દંડાત્મક પગલાંને કારણે ભારતને હાલ કુલ 50 ટકા ટેરિફનો સામનો કરવો પડી રહ્યો છે. દાવોસ 2025 શિખર સંમેલનમાં બેસેન્ટનું નિવેદન દક્ષિણ એશિયાઈ દેશો માટે આશાની કિરણ તરીકે સામે આવ્યું છે, કારણ કે તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું કે બંને દેશો વચ્ચે “એક સારો કરાર થવાનો છે.”

સ્કોટ બેસેન્ટનો દાવો શું છે?

અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલા દાવોસ 2026 સંમેલનમાં યુએસએ હાઉસમાં કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો, જેને કારણે ભારતીય રિફાઇનરીઓ દ્વારા તેલની ખરીદી લગભગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે ભારત દ્વારા રશિયન તેલની ખરીદીમાં ઘટાડો થવો એક સફળતા છે. રશિયા સાથે જોડાયેલા 25 ટકા તેલ ટેરિફ હજી પણ લાગુ છે, પરંતુ હવે તેને હટાવવાનો રસ્તો ખૂલતો દેખાઈ રહ્યો છે.

બેસેન્ટે PM મોદીની પ્રશંસા કરી

બેસેન્ટે કહ્યું હતું કે યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી ભારતે રશિયન તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ ભારતે ખરીદી ઘટાડી અને રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું.

દાવોસમાં બેસેન્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લગાવવામાં આવ્યા હોવા છતાં બંને દેશો વચ્ચે તણાવની ચર્ચાઓ ચાલે છે, પરંતુ તેમ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત પીએમ મોદીને “સારા મિત્ર” તરીકે સંબોધતા રહ્યા છે.

તલ, ખજૂર, ઘી, ગોળનું અત્યારે શું કામ છે?

પ્રશ્ન: મારે પ્રેગ્નન્સીનો ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. મારા રિપોર્ટ્સમાં હિમોગ્લોબીન ઓછું બતાવે છે. મારા ગાયનેકોલોજિસ્ટે આયર્ન તથા ફોલિક એસિડની દવા શરૂ કરાવી છે, પરંતુ એવો કયો આહાર છે જે હિમોગ્લોબીન વધારે અને પ્રેગ્નન્સીમાં પણ લઈ શકાય?
– વિભા કાલરીયા (જૂનાગઢ)

ઉત્તર: પ્રેગ્નન્સીનો આ તબક્કો હિમોગ્લોબીન સારા પ્રમાણમાં જાળવી રાખવા માટે હોય છે કારણ કે આ સમયે ભ્રુણમાંથી બાળક તૈયાર થઇ રહ્યું હોય છે. એ માટે આયર્ન ફોલિક એસિડ, કેલ્શિયમ અને પ્રોટીનની જરૂરત વધે છે.

એ માટે આહારમાં પાલક, લીલા પાનવાળા શાકભાજી, ખજૂર, દાળિયા, દાડમ, ગોળ, પૌંવા વગેરે જેવા વધુ આયર્નયુક્ત ખાદ્યપદાર્થોનો ઉપયોગ વધારવો. જો કે એ બાબતનું ધ્યાન રાખવું કે આયર્નના શરીરમાં ભળે અને યોગ્ય ઉપયોગ થાય એ માટે (એબ્ઝોર્પશન) સાથે વિટામિન-સી લેવું જરૂરી છે, જે ખટાશવાળા ફળોમાંથી સારા પ્રમાણમાં મળે છે. જેમ કે અગર પાલકનું સૂપ લઇ રહ્યા છો તો તેમાં ટામેટા અથવા લીંબુ ઉમેરીને ઉપયોગમાં લેવું. દાડમના જ્યુસમાં આયર્ન તેમ જ વિટામિન બંને રહેલા છે છતાં પણ એમાં આંબળાનો રસ ઉમેરી શકાય. પૌવામાં સારા પ્રમાણમાં લીંબુ ઉમેરો. આ પ્રકારના સંયોજનથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકાય.

હાથલાનો જ્યુસ (જેને ફિંડલાનો જ્યુસ પણ કહેવામાં આવે છે) એ થોરના છોડમાંથી મળી આવતો લાલ રંગનો ભાગ છે. તેમાં આયર્નનું પ્રમાણ ખૂબ સારું હોય છે. એ નિયમિત પીવાથી ઝડપથી હિમોગ્લોબીન વધારી શકાય છે. પરંતુ પ્રેગ્નન્સીમાં તેને લેવાની ભલામણ કરતા કોઈ પુરાવા નથી આથી એનો ઉપયોગ આ સમયે કરવો સલાહભર્યો ન કહી શકાય. છતાં પણ આ જ્યુસ નિયંત્રિત માત્રામાં લેવો હોય તો લઇ શકાય.

અલબત્ત, તમારે ડોક્ટરે સૂચવ્યા મુજબ નિયમિત દવા લેવી તો હિતાવહ રહેશે જ.

પ્રશ્ન: કયા પ્રકારનું નમક સ્વાસ્થ્ય માટે વધારે સારું છે?
– હિમાની ઠાકોર (અમદાવાદ)

ઉત્તર: નમક એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, જેના વગર ભોજનમાં સ્વાદ આવતો નથી. આ એક પ્રકારનું મિનરલ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે જો એ નિયંત્રિત માત્રામાં લેવામાં આવે. આપણી મીઠાંની દરરોજની  જરૂરિયાત લગભગ પાંચ ગ્રામ છે. એમાંથી બે ગ્રામ જેટલું નમક આપણને કુદરતી ખાદ્યસામગ્રીમાંથી જ મળી રહે છે. બાકીની જરૂરત આપણે મીઠાંને રસોઈમાં ઉમેરીને પૂરી કરીએ છીએ.

ખરેખર જોવા જઇએ તો કોઈપણ પ્રકારનું નમક બેસ્ટ નથી, પરંતુ નિર્ધારિત માત્રામાં લેવા માટે હિમાલયન પિન્ક સોલ્ટ, બ્લેક સોલ્ટ કે પછી કોઈ પણ બ્રાન્ડનું આયોડાઇઝડ સોલ્ટ પ્રમાણસર લઈ શકાય. બ્લડપ્રેશરની કે હાર્ટની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે હિમાલયન સોલ્ટ સારું ગણી શકાય કારણ કે એમાં પોટેશિયમ તેમજ સોડિયમની માત્રા પ્રમાણમાં ઓછી હોય છે. કાલા નમક એટલે કે બ્લેક સોલ્ટ પણ જેમને ડાઈજેશનની તકલીફ હોય એમના માટે સારું છે. એ બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવવા માટે પણ ઉપયોગી છે. એમાં રહેલા ટ્રેસ મિનરલ્સ પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે.

ઘણા લોકોને ઘણી ચીજમાં મીઠું ઉપરથી નાખવાની આદત હોય છે. દાળ કે શાકમાં નમક ઓછું હોય તો તરત જ ઉપરથી ઉમેરીને લે છે. સલાડમાં તો ઘણા લોકો મીઠું ભભરાવે છે. આ પ્રકારની ટેબલ સોલ્ટની આદત ચોક્સપણે નુકસાન કરી શકે. એમાં તમે કોઈપણ પ્રકારનું મીઠું લો, એ સ્વાસ્થ્ય બગાડનારું સાબિત થશે.

પ્રશ્ન: કહેવાય છે કે શિયાળામાં તલ, ગોળ, ઘી,ખજૂર ,દાળિયા વગેરે ચોક્કસપણે ખાવા જોઈએ. આ ચીજો આ સીઝનમાં લેવાનું શું કારણ છે?

– મીના કોટેચા (રાજકોટ)

ઉત્તર: શિયાળો પોતાની સાથે ઠંડો પવન, ધુમ્મસ અને ખુશનુમા વાતાવરણ લાવે છે, પરંતુ એ સુસ્તી, સાંધાના દુખાવો, શરીર જકડાઈ જવું જેવી ઠંડીને કારણે થતી અનેક સ્વાસ્થ્ય સમસ્યા પણ લાવે છે. આવી સ્થિતિમાં, તલ અને ગોળનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઇ શકે છે.

હા, શિયાળાની ઋતુમાં ખજૂર, તલ, ગોળ, ઘી વગેરે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે આ બધા પ્રકારના ખાદ્યો તમને ઘણી મોસમી સમસ્યાથી બચવામાં મદદ કરી શકે છે.

તલ, ગોળ, ખજૂર વગેરેમાં ગરમીની અસર હોય છે. તે શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે.  જેનો ઉપયોગ શરીરમાં ઉર્જા અને ગરમી પ્રદાન કરે છે જે આપણને શરદી, ફલૂ અને કફથી બચાવે છે. આ જ કારણથી ઉપરોક્ત સામગ્રીમાંથી બનાવેલી ચીક્કી તથા ખજૂર પાક પણ શિયાળામાં લેવાય છે.

શિયાળામાં કાઠિયાવાડી જમણમાં ગોળ ચોક્કસપણે હોય જ છે કારણ કે ગોળ એ ઉર્જાનો ભંડાર છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા ઉપરાંત તમારા ચયાપચયની ક્રિયા જાળવી રાખવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. ગોળ એ એક કુદરતી ઉર્જા બુસ્ટર છે જે ઝડપથી પચી જાય છે અને ધીમે ધીમે લોહીમાં શર્કરાનું સ્તર વધારે છે, જે તાત્કાલિક ઉર્જા પુરી પડે છે અને થાક પણ દૂર કરે છે.એ આયર્નનો ભરપૂર સ્ત્રોત છે અને એમાંથી કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં મળે છે એટલે શિયાળામાં થતા સાંધાના દુખાવામાં પણ એ રાહતનું કામ કરશે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

અમેરિકામાં ઇમર્જન્સી જાહેરઃ 6000થી વધુ ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હીઃ અમેરિકા હાલમાં એક અત્યંત ખતરનાક વિન્ટર સ્ટોર્મ (Winter Storm)ની ચપેટમાં છે, જેને કારણે દેશમાં ભયનો માહોલ છે. ભારે હિમવર્ષા, વરસાદ અને જાનલેવા ઠંડીને કારણે સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. આ ભીષણ તોફાનને કારણે 6000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને લાખો લોકોની મુસાફરીની યોજનાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

17 રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર

અમેરિકાના ઓછામાં ઓછાં 17 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં અલબામા, આર્કાન્સા, જ્યોર્જિયા, કાન્સાસ, કેન્ટુકી, લુસિયાના, મેરીલેન્ડ, મિસિસિપી, મિસૌરી,  ન્યુ જર્સી, ન્યુ યોર્ક, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, સાથધ કેરોલિના, ટેનન્સેસિયા, ટેક્સાસ, વર્જિનિયા અને વોશિંગ્ટન ડીસીનો સમાવેશ થાય છે. સ્થિતિ એટલી ગંભીર છે કે પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.

વિનાશ મચાવી શકે છે તોફાન

આ ખતરનાક તોફાન લગભગ 1500 માઇલ સુધી ફેલાઈ શકે છે, જ્યારે કેટલાક અહેવાલ મુજબ તે 2000 માઇલથી વધુ વિસ્તારને પોતાની ચપેટમાં લઈ શકે છે. ટેક્સાસથી લઈને ન્યુ ઇંગ્લેન્ડ સુધી બરફ અને બરફીલા પવનનો કહેર જોવા મળી શકે છે. આવનારા અઠવાડિયામાં અમેરિકાની અડધીથી વધુ વસ્તીને શૂન્યથી નીચેના તાપમાનનો સામનો કરવો પડી શકે છે.

વોશિંગ્ટન ડીસીમાં સ્નો ઇમરજન્સી (Snow Emergency) લાગુ કરવામાં આવી છે. પ્રશાસને લોકોને સ્નો ઇમરજન્સી રૂટ પરથી વાહનો હટાવવાનો આદેશ આપ્યો છે. અંદાજ મુજબ અહીં ઓછામાં ઓછો નવ ઇંચ બરફ પડી શકે છે અને ત્યાર બાદ ફ્રીઝિંગ રેન સ્થિતિને વધુ જોખમી બનાવી શકે છે.

 6000થી વધુ ફ્લાઇટ્સ રદ

હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. શનિવારે 2836થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે રવિવારે અત્યાર સુધીમાં 3587 ઉડાનો રદ થઈ ચૂકી છે. આ રવિવાર ગયા એક વર્ષમાં અમેરિકાનો સૌથી ખરાબ દિવસ બની ગયો છે. રાજ્ય અને સ્થાનિક પ્રશાસને વીજ પુરવઠો બંધ થવો, પાણીની પાઇપલાઇનો જામ થવી અને રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થવાની ચેતવણી આપી છે. લોકો ડરના કારણે કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનોમાં જોવા મળ્યા અને ઘણા સ્ટોર્સની શેલ્ફ થોડા જ કલાકોમાં ખાલી થઈ ગઈ.

ભારતમાં ટીવી દર્શકો ૨૦૨૯ સુધીમાં એક અબજને પાર કરશે: IIM-A

અમદાવાદ: ભારતના આર્થિક વિકાસની ઝડપ, વધતી આવક અને સાક્ષરતા દરના વધારા સાથે ટીવી સામગ્રીના વપરાશ અને ટેલિવિઝન લેન્ડસ્કેપમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. આ વાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ- અમદાવાદ (IIMA)ના પ્રોફેસર વિશ્વનાથ પિંગળી (ઇકોનોમિક્સ) અને અંકુર સિંહા (ઓપરેશન્સ એન્ડ ડિસિઝન સાયન્સિસ) દ્વારા તૈયાર કરાયેલા ‘ફ્યુચર ઓફ ટીવી ઇન ઇન્ડિયા’ અહેવાલમાં જણાવવામાં આવી છે.

આ અહેવાલ Brij Disa Centre for Data Science and Artificial Intelligence (CDSA) દ્વારા સમર્થિત છે. તેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે સુધારતા સામાજિક-આર્થિક સૂચકાંકો અને ઇન્ટરનેટ પેનેટ્રેશનના વધારા સાથે ભારતના ટીવી દર્શકો ૨૦૨૯ સુધીમાં લગભગ ૧.૦૩ અબજ સુધી પહોંચી જશે. વર્તમાનમાં ટીવી દર્શકો વાર્ષિક લગભગ ૨.૩૭%ના દરે વધી રહ્યા છે.

અહેવાલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગ્રામીણ અને નીચી આવકવાળા રાજ્યોમાં ૨૦૨૯ સુધીમાં મોટો વિકાસ થશે. કારણ કે ત્યાંની આવક વધુ આવકવાળા રાજ્યોના વર્તમાન સ્તરને પાછળ પાડશે. ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ટીવી દર્શકો વધારવાનું મુખ્ય કારણ બની રહી છે. ઇન્ટરનેટની પહોંચ વધવાથી ટીવી અને ઓનલાઇન વીડિયો કન્ટેન્ટ બંનેનું વપરાશ સાથે-સાથે વધશે, જે પૂરક અસર દર્શાવે છે.

પ્રોફેસર વિશ્વનાથ પિંગળીએ કહ્યું, “અમારા સંશોધનનો ઉદ્દેશ ટીવીને પરિપક્વ માધ્યમ તરીકેના વિકાસના માર્ગને ડેટા આધારિત સૂચકો દ્વારા સ્થાપિત કરવાનો હતો. વધતી આવક અને સાક્ષરતા દર, ખાસ કરીને ગ્રામીણ અને નીચી આવકવાળા વિસ્તારોમાં, ટીવીની સ્વિકૃતિને મજબૂત બનાવે છે.”

પ્રોફેસર અંકુર સિંહાએ ઉમેર્યું, “અમારા મોડલમાં ઇન્ટરનેટ પેનેટ્રેશન ટીવી દર્શકો વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગ્રામીણ અને ઓછા વિકસિત વિસ્તારોમાં આર્થિક પરિવર્તન ટીવીના આગામી વિકાસનું નેતૃત્વ કરશે.”

અહેવાલમાં સાક્ષરતા દર અને ડિપેન્ડન્સી રેશિયો સાથે ટીવી અપનાવવાનો મજબૂત સંબંધ દર્શાવવામાં આવ્યો છે. ટીવી સામાજિક વિકાસનું ઉત્પ્રેરક બની રહ્યું છે, જેમાં સમાન ભાષાના સબટાઇટલ્સથી ગ્રામીણ ભારતમાં સાક્ષરતા વધે છે. ટીવી પાત્રો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બને છે અને લિંગ નિયમો, વ્યક્તિગત સ્વાયત્તતા તથા આર્થિક સ્વતંત્રતા પ્રત્યે પ્રગતિશીલ વલણોને પ્રોત્સાહન આપે છે.

આ અહેવાલમાં રાજ્યવાર પ્રોજેક્શન્સ સાથે ભવિષ્યવાદી ઓડિયન્સ એસ્ટિમેશન મોડલ રજૂ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સ, પ્રતિ વ્યક્તિ GSDP, સાક્ષરતા દર વગેરેને ધ્યાનમાં લઈને ટીવી વ્યૂઅરશિપનો અંદાજ આપે છે. આ અભ્યાસ ટીવીની ટકાઉ તાકાતને શૈક્ષણિક રીતે માન્ય કરે છે.

ગુજરાતી નાટ્ય જગતના વરિષ્ઠ કલાકાર રાજુ બારોટનું નિધન

ગુજરાતી કલા જગતમાં મોટી ખોટ પડી છે. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું છે. આ સમાચારથી ગુજરાતી કલાકારો, સાહિત્યકારો અને કલાપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતી રંગભૂમિના ભિષ્મ પિતામહ સમાન અને વરિષ્ઠ કલાકાર રાજુ બારોટના અવસાનથી કલાજગતમાં શોકની લાગણી છે. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. સુત્રોના જણાવ્યાનુસાર રાજુ બારોટ ઉત્તરાખંડના પ્રવાસે હતા એ દરમિયાન ત્યાં અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમણે દેહ છોડી દીધો. જાણીતા રંગકર્મી રાજુ બારોટની આકસ્મિક વિદાયથી સૌ કોઈ સ્તબ્ધ છે.

કલાકારા રાજુ બારોટ વિશે વાત કરીએ તો એ માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ નિર્દેશક અને નાટ્યગુરૂ પણ હતાં. રાજુ બારોટ અમદાવાદની જાણીતી નાટ્ય સંસ્થા ‘અમદાવાદ થિયેટર ગ્રુપ’સાથે સંકળાયેલા હતા. તેમણે અનેક યુવા કલાકારોને માર્ગદર્શન આપી પ્લોટફોર્મ પુરૂ પાડ્યુ હતું.ગુજરાતી રંગભૂમિને જીવંત રાખવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. નાટ્યજગતમાં તેમના યોગદાન બદલ તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઓશિવારા ફાયરિંગ કેસમાં કમાલ આર ખાનની ધરપકડ

મુંબઈના ઓશિવારાના અંધેરી ખાતે એક રહેણાંક મકાનમાં ગોળીબાર કરવાના આરોપમાં અભિનેતા, લેખક અને નિર્માતા કમલ આર.ખાનની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે તેણે ગોળીબારની કબૂલાત કરી લીધી છે.

અભિનેતા-નિર્માતા અને કથિત ફિલ્મ વિવેચક કમલ આર. ખાન ઘણીવાર તેમની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે હેડલાઇન્સમાં રહે છે. ગયા શુક્રવારે, મુંબઈ પોલીસે તેમની અટકાયત કરી હતી. કમલ આર. ખાન, જેને KRK તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને 18 જાન્યુઆરીએ મુંબઈના ઓશિવારાના અંધેરી ખાતે એક રહેણાંક મકાન પર ચાર રાઉન્ડ ગોળીબાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પૂછપરછ કરી હતી અને આજે, શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સમાચાર એજન્સી ANI અનુસાર, મુંબઈના ઓશિવારા વિસ્તારમાં થયેલી ફાયરિંગ ઘટનાના સંદર્ભમાં પૂછપરછ બાદ અભિનેતા-નિર્માતા કમાલ આર ખાનની ધરપકડ કરવામાં આવી છે. તે આજે કોર્ટમાં હાજર થશે. મુંબઈ પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.

ગુનો કબૂલીને આ ખુલાસો કર્યો

ઓશિવારા ફાયરિંગ કેસમાં પોલીસ કસ્ટડીમાં KRK એ પોતાનો ગુનો કબૂલી લીધો. મુંબઈ પોલીસની ટીમે KRK ની પૂછપરછ કરી. KRK એ કબૂલ્યું કે તેણે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી ગોળીબાર કર્યો હતો. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે તે બંદૂક સાફ કરી રહ્યો હતો અને તેની તપાસ માટે તેના ઘરની સામેના જંગલવાળા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. તેનો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો.

શું દિગ્દર્શક અને મોડેલને નિશાન બનાવવામાં આવ્યા હતા?

પોલીસે KRK ની બંદૂક પણ જપ્ત કરી છે. અહેવાલો અનુસાર, ગોળીબારની ઘટના 18 જાન્યુઆરીએ ઓશિવારા વિસ્તારના એક રહેણાંક મકાનમાં બની હતી. પોલીસને નાલંદા સોસાયટીમાંથી બે ગોળીઓ મળી આવી હતી, એક બીજા માળેથી અને બીજી ઇમારતના ચોથા માળેથી. આ ઘરોમાંથી એક લેખક-દિગ્દર્શકનું છે અને બીજું મોડેલનું છે. ઓશિવારા વિસ્તારમાં દિગ્દર્શક અને મોડેલના ઘરે ગોળીબારથી સનસનાટી મચી ગઈ હતી. જોકે, ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી.

હથિયારના દસ્તાવેજોની તપાસ ચાલુ છે
ઓશિવારા પોલીસે KRK ના શંકાસ્પદ હથિયારને જપ્ત કર્યું છે. તેને લગતા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. ઓશિવારા પોલીસના જણાવ્યા અનુસાર, KRK ને શુક્રવારે મોડી સાંજે ઓશિવારા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ઓશિવારા પોલીસ સ્ટેશનની 18 સભ્યોની ટીમ, ક્રાઈમ બ્રાન્ચની ઘણી ટીમો સાથે, તપાસમાં સામેલ હતી. પ્રારંભિક તપાસમાં CCTV ફૂટેજમાંથી કોઈ નક્કર સંકેતો મળ્યા નથી. ત્યારબાદ, ફોરેન્સિક ટીમની મદદથી, પોલીસે તારણ કાઢ્યું કે ગોળી કમલ આર. ખાનના બંગલામાંથી ચલાવવામાં આવી હશે.

કમલ આર.ખાને શું કહ્યું?

પોલીસ પૂછપરછ દરમિયાન KRK એ સ્પષ્ટતા કરી કે તેનો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો. તેણે કહ્યું કે તેના ઘરની સામે એક મોટું મેંગ્રોવ જંગલ છે. બંદૂક સાફ કર્યા પછી, તેણે તેનું પરીક્ષણ કરવા માટે તેમાંથી ફાયરિંગ કર્યું. તેને લાગ્યું કે ગોળી મેંગ્રોવ જંગલમાં ક્યાંક જતી રહેશે, પરંતુ જ્યારે તેણે ફાયરિંગ કર્યું ત્યારે જોરદાર પવન હતો, જેના કારણે ગોળી ઓશિવારામાં એક ઇમારતમાં વાગી. KRK એ ફિલ્મ “દેશદ્રોહી” માં કામ કર્યું છે. તેમણે નિર્માતા તરીકે પણ કામ કર્યું છે. આ દિવસોમાં, તેઓ સોશિયલ મીડિયા પર તેમની વિવાદાસ્પદ પોસ્ટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેમની પોસ્ટ્સમાં, તેઓ ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સ અને ફિલ્મોને નિશાન બનાવે છે.

સાયબર ફ્રોડ: ચાર વર્ષમાં એક વ્યક્તિ પાસેથી રૂ. 6.3 કરોડની છેતરપિંડી

ગુરુગ્રામઃ ગુરુગ્રામના સેક્ટર 54માં રહેતા 58 વર્ષીય નિવૃત્ત વ્યાવસાયિક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે એક સુવ્યવસ્થિત સાયબર ગુનાહિત ગેંગે ચાર વર્ષ દરમિયાન સેંકડો લેવડદેવડ દ્વારા તેમની પાસેથી કુલ રૂ. 6.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ઠગી લીધા. પીડિતના જણાવ્યાનુસાર પોતાને એરલાઈન ક્રૂ સભ્ય, વકીલ અને પોલીસ અધિકારી તરીકે રજૂ કરનાર ઠગોએ તેમને ચાર વર્ષ સુધી ધમકીઓ આપી, ખોટા દસ્તાવેજો અને ડીપફેક તસવીરોનો ઉપયોગ કરીને ડરના માહોલમાં ફસાવી પૈસા પડાવ્યા હતા.

આ મામલે સેક્ટર 53 પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 308(2) (જબરદસ્તી ઉઘરાણી), 316(2) (આપરાધિક વિશ્વાસઘાત), 351(2) (આપરાધિક ધમકી), 356(2) (માનહાની) અને 61 (આપરાધિક સાજિશ) હેઠળ FIR નોંધવામાં આવી છે.

ફેસબુક પર મહિલાથી થયો સંપર્ક

ફરિયાદીના જણાવ્યા મુજબ આ ઘટના મે, 2021માં શરૂ થઈ હતી, જ્યારે ફેસબુક પર કિમ ઉર્ફે પ્રિયંકા સંગમ નામની એક મહિલાથી તેમનો સંપર્ક થયો. તેણીએ પોતાને દુબઈ સ્થિત એમિરેટ્સ એરલાઈન્સમાં એર હોસ્ટેસ હોવાનો દાવો કર્યો હતો. બંને નિયમિત રીતે ચેટ કરવા લાગ્યા. પોતાની ખોટી ઓળખને સાચી બતાવવા માટે તેણે વિમાનની અંદરની તસવીરો અને વ્યક્તિગત તસવીરો મોકલી, જેને કારણે પીડિતને તેની ઓળખ પર વિશ્વાસ આવી ગયો.

 ઠગોની ધમકીઓ

પીડિતે જણાવ્યું હતું કે થોડા સમયમાં મહિલાએ મોર્ફ કરેલી તસવીરો, ખોટા ચેટ સ્ક્રીનશોટ અને આપત્તિજનક સામગ્રી મોકલીને પૈસાની માગ શરૂ કરી અને ધમકી આપી કે જો ચુકવણી નહીં થાય તો તે બધું જાહેર કરી દેશે. પરિવારના સભ્યો, સહ કર્મચારીઓ અને વ્યાવસાયિક સંપર્કોને સંપર્ક કરવાની ધમકી સાથે દબાણ વધુ વધ્યું.

તેમણે ફરિયાદમાં કહ્યું, “જો હું કોઈ નંબર બ્લોક કરતો તો તેઓ અલગ-અલગ નંબરોથી સંદેશ મોકલતા. જ્યારે બીજા લોકોએ પણ મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને સમજાયું કે આ એક મોટું કૌભાંડ છે.

 પોલીસ તપાસમાં વ્યસ્ત

અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓનું પત્તો લગાવવા અને આ સમગ્ર ઓપરેશન પાછળના નેટવર્કની ઓળખ કરવા માટે તપાસ ચાલી રહી છે. મામલાથી જોડાયેલા બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે, જેથી નાણાકીય હેરાફેરીની શક્યતાઓ શોધી શકાય.