નવી દિલ્હી: TMCના રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બારિકે પણ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સુખેન્દુ શેખર રાય અને સુષ્મિતા દેવ બાદ બારિકનું રાજીનામું મમતા બેનર્જી માટે વધુ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ TMCના 19 લોકસભા સાંસદોએ પહેલેથી જ બળવો જાહેર કરી અલગ જૂથ તરીકે માન્યતા આપવા માટે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. હાલમાં TMCના રાજ્યસભામાં 10 અને લોકસભામાં 28 સાંસદો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જી પોતાની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોને એકજૂટ રાખવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું માનવામાં આવે છે. પાર્ટીના 80 વિધાનસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી બાગી નેતા ઋતબ્રત બેનર્જીને પોતાનો નેતા સ્વીકાર્યો હોવાનું કહેવાય છે.
પ્રકાશ ચિક બારિક TMCના જૂના અને પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે. તેઓ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના રહેવાસી છે અને TMCના મુખ્ય આદિવાસી ચહેરા તરીકે જાણીતા રહ્યા છે. રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ ચા બગીચાના કર્મચારી અને મજૂર નેતા તરીકે સક્રિય હતા. પ્રકાશ બારિકને TMCમાં અભિષેક બેનર્જીના નજીકના સાથીદાર તરીકે જોવામાં આવે છે. પક્ષે તેમને ઓગસ્ટ, 2023માં પશ્ચિમ બંગાળમાંથી બિનહરીફ રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં અલીપુરદ્વાર બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. વર્ષ 2004માં તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટી સંલગ્ન સૂર્યસેન કોલેજ, સિલિગુડીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
સુખેન્દુ શેખર રાયનું રાજીનામું
સુખેન્દુ શેખર રાયે 8 જૂન, 2026એ રાજ્યસભા અને TMCની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપ્યું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેમણે TMCના નેતૃત્વની ટીકા કરી હતી.
સુષ્મિતા દેવે પણ આપ્યો આંચકો
TMC સાંસદ સુષ્મિતા દેવે 10 જૂન, 2026એ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજીનામા બાદ તેમણે નવી દિલ્હીમાં આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમા સાથે મુલાકાત કરી હતી, જેને પગલે તેમના ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની છે.




તેના પ્રેમમાં પડી ગયા. દરરોજ તે મૂર્તિ સામે ઊભા રહી ગર્વથી કહેતા, “આ મેં બનાવી છે. મારા સિવાય આ દુનિયામાં કોઈ આવી મૂર્તિ બનાવી શકે નહીં!”

કરુણા અને ઈશ્વરસ્મરણ સાથે પરોપકાર જેવા અનેક તાણાવાણાની ગૂંથણી કરીને જીવનની સુંદર ભાત પાડી આપે છે.







વર્ષ ૨૦૦૬થી ગુજરાતમાં શરૂ થયેલી શ્રેષ્ઠ સ્ક્રીનિંગ કામગીરીનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉમેર્યું કે, યોગ્ય કાળજી અને સારવારથી આ રોગ સાથે પણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન સિકલ સેલ પીડિત બાળકોએ પ્રફુલભાઈને ચિત્ર ભેટ આપ્યું હતું.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું કે, વેક્સિન આધારિત રોગો કરતા સિકલ સેલ જેવા જેનેટિક (જનીની) રોગોની નાબૂદી વધુ પડકારજનક છે. ગુજરાતમાં હાલ અંદાજે ૫.૫ લાખ સિકલ સેલ કેરિયર્સ અને ૩૦,૦૦૦ સક્રિય દર્દીઓ છે. જેને રોકવા માટે પોપ્યુલેશન સ્ક્રીનિંગ, જેનેટિક કાઉન્સિલિંગ અને ‘જનભાગીદારી’ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. આ કાર્યક્રમમાં નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ. રતનકવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.