પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ હવે દરિયાઈ વેપાર માર્ગો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. આગામી 10 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે એક મોટા કમર્શિયલ ઓઇલ અને કેમિકલ ટેન્કર જહાજ પર સૈન્ય હુમલો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે. આ જહાજ પર કામ કરતા કુલ 28 સભ્યોમાંથી પ્રચંડ બહુમતી એટલે કે 24 સભ્યો ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે અને ભારતના 3 નાગરિકો દરિયામાં લાપતા થયા છે, જેના કારણે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

અહેવાલ મુજબ, બ્રિટિશ મેરિટાઇમ સિક્યુરિટી ગ્રુપ ‘એમ્બ્રે’ (Ambrey) એ આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલો સંભવતઃ ઈરાની બંદરોની ઘેરાબંદી કરવા માટે ચલાવવામાં આવી રહેલા અમેરિકી સૈન્ય ઓપરેશનનું સીધું પરિણામ હોઈ શકે છે. અગાઉ પણ આવા જહાજોના ક્રૂ મેમ્બર્સને સત્તાવાર ચેતવણી આપવામાં આવી હતી કે, હુમલાની સ્થિતિમાં તેઓ જહાજના પાછળના ભાગને બદલે આગળના ભાગ (Bow) પર એકઠા થાય. મેરિટાઇમ સિક્યુરિટી સાથે જોડાયેલા અન્ય સંરક્ષણ સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે જહાજ પર અમેરિકી મિસાઈલથી જ હુમલો કરવામાં આવ્યો હોવાની પૂરેપૂરી સંભાવના છે. જો કે, આ અંગે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ભારતે અમેરિકી રાજદ્વારી જેસન મીક્સને કર્યા તલબ
આ આંતરરાષ્ટ્રીય હુમલામાં ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મુકાતા ભારતે અત્યંત આક્રમક રાજદ્વારી વલણ અપનાવ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી (અમેરિકા વિભાગ) નાગરાજ નાયડુએ તાત્કાલિક ધોરણે ભારતમાં અમેરિકાના ‘ચાર્જ ડી અફેર્સ’ (Charge d’Affaires) જેસન મીક્સને સમન્સ પાઠવીને હાજર થવા આદેશ આપ્યો હતો. ભારતે અમેરિકી રાજદ્વારી સમક્ષ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરીને સખત વિરોધ પત્ર સોંપ્યો હતો.





વર્ષ ૨૦૦૬થી ગુજરાતમાં શરૂ થયેલી શ્રેષ્ઠ સ્ક્રીનિંગ કામગીરીનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉમેર્યું કે, યોગ્ય કાળજી અને સારવારથી આ રોગ સાથે પણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન સિકલ સેલ પીડિત બાળકોએ પ્રફુલભાઈને ચિત્ર ભેટ આપ્યું હતું.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું કે, વેક્સિન આધારિત રોગો કરતા સિકલ સેલ જેવા જેનેટિક (જનીની) રોગોની નાબૂદી વધુ પડકારજનક છે. ગુજરાતમાં હાલ અંદાજે ૫.૫ લાખ સિકલ સેલ કેરિયર્સ અને ૩૦,૦૦૦ સક્રિય દર્દીઓ છે. જેને રોકવા માટે પોપ્યુલેશન સ્ક્રીનિંગ, જેનેટિક કાઉન્સિલિંગ અને ‘જનભાગીદારી’ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. આ કાર્યક્રમમાં નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ. રતનકવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાતના પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ શરૂઆતમાં આવકના ચોક્કસ માપદંડોના આધારે ગુજરાતની ૭૧ પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આપણો લક્ષ્યાંક માત્ર ૭૧ પંચાયતો પૂરતો સીમિત નથી, બલ્કે રાજ્યની તમામ ૧૪,૦૦૦થી વધુ પંચાયતોને ‘આત્મનિર્ભર’ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું કે ૨૦૪૭ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂરું કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ એટલી જ ઉર્જા સાથે ભાગીદાર બનવું પડશે. ગામડાના નાગરિકોને પણ શહેરો જેવી જ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ અને સુવિધાઓ મળવી જોઈએ.
અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું કે, શહેરી સ્થાનિક સંસ્થાઓની જેમ જ ગ્રામ પંચાયતોમાં મજબૂત નાણાકીય વ્યવસ્થાપન ઊભું કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં નાબાર્ડ (NABARD) અને હુડકો (HUDCO) જેવી સંસ્થાઓ પણ સહયોગી બની છે. નાબાર્ડના રિજિનલ મેનેજરે ગ્રામ હાટ, ગોડાઉન નિર્માણ, ફિલ્ટર પાણીની સુવિધા અને કૃષિ પ્રોસેસિંગ જેવા મોડલ્સ દ્વારા પંચાયતોને સ્વનિર્ભર બનવા માટે ડીપીઆર (DPR) તૈયાર કર્યા હોવાની માહિતી આપી હતી.












લોથલ મેરિટાઇમ હેરિટેડ કોમ્પ્લેક્સ, સોમનાથ સ્વાભિમાન પર્વ, દ્વારકા, સોમના, અંબાજી કોરિડોર, પાવાગઢ મહાકાળી ધામનો પુનઃવિકાસ અને વડનગર આર્કિયોલોજીકલ મ્યુઝિયમ થકી ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.