‘અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેશન’ પર યોજાઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શહેરમાં બે દિવસીય ‘બિલ્ડિંગ ફલોરિશિંગ ફ્યુચર્સ’ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 200થી વધુ પ્રેક્ટિશનર્સ ભેગા થયા હતા. તેમણે પોતાના અનુભવો શેર કર્યા અને બાળપણને વધુ સુંદર બનાવવા માટે કેટલાંક સૂચનો કર્યા. રિલાયન્સ ફાઉન્ડેશનમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ECCE) સ્પેક્ટ્રમમાં જોડાયેલા જાહેર અને ખાનગી પ્રેક્ટિશનર્સે ભાગ લીધો હતો. જેમાં દરેક વ્યક્તિએ રમતા-રમતા શિક્ષણ આપવાના પોતાના અનુભવો શેર કર્યા. મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS) ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં ECCE સિસ્ટમના વિવિધ પ્રેક્ટિશનરો, ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણવિદો અને નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવ્યા હતા.બે દિવસીય કોન્ફરન્સમાં પેરેન્ટ્સ, શિક્ષકો અને બાળકોના વિકાસ માટે નવીન પ્રણાલીઓ અને અભિગમોની ચર્ચા કરવામાં આવી હતી. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020માં દર્શાવ્યા મુજબ ECCE ના સાર્વત્રિકરણના ધ્યેય તરફ યોગદાન આપવા વિશે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી. જેમાં 10 માસ્ટર ક્લાસ, 15 ઇન્ટરેક્ટિવ લર્નિંગ સ્ટેશન્સ અને 30 સ્પીકર સત્રો યોજવામાં આવ્યા.

કોન્ફરન્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અને વાઈસ ચેરપર્સન શ્રીમતી ઈશા અંબાણી હાજર રહ્યા હતા અને સત્રમાં ઉત્સુક્તાપૂર્વક ધ્યાન આપતા જોવા મળ્યા. મુખ્ય વક્તાઓમાં જાણીતા પ્રેક્ટિશનર સંપત કુમાર(IAS), મેઘાલય સરકારના અગ્ર સચિવ અને ધી લર્નિંગ સ્ક્વેરમાંથી એની વેન ડેમ, ઉમ્મીદ બાળ વિકાસ કેન્દ્રના ડૉ. વિભા કૃષ્ણમૂર્તિ, યુનિસેફના સુનિષા આહુજા તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત નિયામક ડૉ. રીટા પટનાયક હાજર રહ્યા હતા. આ ઉપરાંત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન ડૉક્ટર મહેશ બાલસેકર, , DAISના ડીન અને સીઈઓ અભિમન્યુ બસુ અને રિલાયન્સ ફાઉન્ડેશનના એજ્યુકેશન હેડ ડૉ. નિલય રંજને પણ કોન્ફરન્સમાં પોતાના અનુભવો શેર કર્યા હતા.રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના વિચારોનું પ્રતિબિંબ રિલાયન્સ ફાઉન્ડેશન શાળામાં જોવા મળે છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘હેપ્પી સ્કૂલ, હેપ્પી લર્નર્સ’ની વિચારધારા અનુસાર શિક્ષકો ભારતીય અને આંતરરાષ્ટ્રીય બાળપણની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓમાંથી જ્ઞાન લઈને બાળકોને પ્રોત્સાહન મળે તેવું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે. આ અનુભવ સાથે, રિલાયન્સ ફાઉન્ડેશનનું વિઝન ભારતભરમાં અર્લી ચાઈલ્ડહુડ કેર અને એજ્યુકેશન લેન્ડસ્કેપને બદલવામાં મદદ કરવાનું છે, ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના બાળકો માટે.