કેજરીવાલની અરજી પર હવે ત્રીજી મેએ સુપ્રીમમાં સુનાવણી

નવી દિલ્હીઃ દિલ્હીના અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે EDને મોટા સવાલ કર્યા હતા. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ સવાલ કર્યો હતો કે આ કેસમાં સાક્ષીઓની વિશ્વસનીયતા પર સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મગુંટા રેડ્ડી પર દબાણ આણવાનું કામ કર્યું હતું. તેઓ કેજરીવાલની વિરુદ્ધ નિવેદન આપે, જેથી એના બદલામાં તેઓ પુત્ર રાઘવ મુંગટાને જામીન મળે.

અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. કલમ 19 હેઠળ ધરપકડ કરવા માટે ED પાસે કયા કારણો હતા? તેમણે કોર્ટ સમક્ષ કહ્યું કે ઈડીએ જે દસ્તાવેજોની વાત કરી છે તેની સાથે અરવિંદ કેજરીવાલને કોઈ લેવાદેવા નથી. જ્યારે EDએ ECIR દાખલ કર્યો, ત્યાર બાદ કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી. છેલ્લા 18 મહિનામાં. સિંઘવીએ કહ્યું કે મારી ધરપકડના દોઢ વર્ષ પહેલા કેસ શરૂ થયો હતો. 3 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઈએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. સીબીઆઈ કેસમાં મારું નામ નથી લીધું.

જ્યાં સુધી મનીષ સિસોદિયા મામલાની વાત છે. પક્ષ-વિપક્ષમાં નિષ્કર્ષ છે તો અમને જણાવો કે કેજરીવલનો કેસ ક્યાં છે? કોર્ટે સવાલ કરતાં પૂછ્યું હતું કે કાર્યવાહી શરૂ થવા અને પછી ધરપકડ વગેરેની કાર્યવાહીની વચ્ચે આટલા સમયનો અંતરાલ કેમ?