મુંબઈઃ છેલ્લા અમુક દિવસોથી મુંબઈ તથા પડોશના વિસ્તારોમાં મેઘરાજાએ વિશ્રામ લીધો છે. એને કારણે નાગરિકોને ઘણી રાહત મળી છે. પરંતુ, હવે મુંબઈ સહિત કોકણ ક્ષેત્રમાં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. એને કારણે આગામી 24 કલાકમાં મુંબઈ, થાણે જિલ્લાઓ તથા ઉપનગરોમાં મુસળધાર વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
મહારાષ્ટ્રમાં આગામી 24 કલાક માટે સાત જિલ્લાઓ માટે યેલો એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. આમાં મુંબઈ અને થાણે જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. અન્ય જિલ્લાઓ છે – રાયગડ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, સાંગલી.
