નવી દિલ્હીઃ યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં કાશ્મીર પર ચર્ચા કરવામાં નિષ્ફળ રહ્યા બાદ નિરાશ થયેલા ઈમરાન ખાન હવે નવી ચાલ ચાલી રહ્યા છે. ઈમરાન ખાને પાકિસ્તાનની જનતાને કહ્યું છે કે, કાશ્મીરના લોકોના સમર્થનમાં 5 ફેબ્રુઆરીના રોજ નજતા પોતાના ઘરોમાંથી બહાર નિકળે. પાકિસ્તાનમાં 5 ફેબ્રુઆરી કાશ્મીર દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ઈમરાન ખાને મોદી સરકારને ફાસિટ ગણાવતા ટ્વિટ કર્યું છે કે- હું ઈચ્છુ છું કે પાકિસ્તાનીઓ ઘર અને વિદેશોમાં 5 ફેબ્રુઆરીએ 80 લાખ કાશ્મીરીઓના સમર્થનમાં એકજુથતા દેખાડે. જેમને 9 લાખ ભારતીય સૈનિકો દ્વારા દબાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા 6 મહિનાથી મોદીની ફાસિસ્ટ સત્તા દ્વારા તેમને દબાવવામાં આવી રહ્યાં છે. આ અગાઉ પણ અનેકવાર ઈમરાન ખાન પાકિસ્તાનીઓના સમર્થનમાં લોકોને એકત્ર થવાનું આહવાન કરી ચુક્યા છે.
સ્વિત્ઝરલેંડના શહેર દાવોસમાં આયોજીત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન એક વાતચીતમાં ઈમરાન ખાન બરાબરના ભેરવાઈ ગયા હતા. જ્યારે તો કાશ્મીર અને ભારતના મુસલમાનોનો રાગ આલાપી રહ્યાં હતાં તે દરમિયાન જ પત્રકારે તેમને સ્સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, તમે ઉઈગુર મુસલમાનો વિષે એટલે નથી જાણવા માંગતા કારણ કે ચીન સાથે તમારા આર્થિક સંબંધો છે.
કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદથી જ પાકિસ્તાન હેબતાઈ ગયું છે. ઈમરાન ખાન તો યુદ્ધની જેમ ધમકી પણ આપી ચૂક્યા છે, પરંતુ તેઓ કશું કરી શકતા નથી અને હવે વિપક્ષી પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના નિશાના પર છે. તેમની ખુદની પાર્ટી તહરીકે ઈન્સાફ પાકિસ્તાનના કાર્યકર્તાઓ ઈમરાન પર દબાણ કરી રહ્યા છે. ઈમરાનને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો કે જ્યારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ તેમને કોઈ જ ભાવ ન આપ્યો. તો નરેન્દ્ર મોદીને સાઉદી અરબનું સૌથી મોટું સન્માન આપીને સન્માનિત કરવામાં આવ્યા. ઈમરાન માત્ર મલેશિયાનું સમર્થન પ્રાપ્ત કરી શક્યા.
