એક મહિનામાં ચોથી દુર્ઘટના, પાણીએ કેટલાકના જીવ કર્યા ટાઢા

રાજ્યમાં સતત ચોથી વખત પાણીમાં ડૂબીને મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં ચાર બાળકીઓ નહ્વા અને કપડા ધોવા તળાવ પર પહોંચી હતી. જ્યાં પાણીમાં પગ લપસતા એક બાદ એક ચારે બાળકી ડૂબ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.

ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. પાણી ડૂબ્યા બાદ ભારે ચકચાર મચી ગયો. સ્થાનિકો દ્વારા બાળકીઓને બચાવાની કામગીરી હાથ ધરાય. બાળકીઓને બહાર કાઠ્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે દરમિયાન ચારે બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી.

દુર્ઘટનાનો સીલસીલો યથાવત્

આ અગાઉ પણ મોરબીના મચ્છુ નદીમાં નહ્વા પડેલા છ સગિર અને એક યુવાનમાંથી બે સગિર સહિત એક યુવાનનુ પાણીમાં ડબૂવાથી મોત થયું હતું. નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રવિવારે રજા માણવા દરિયાકાંઠે ફરવા ગયેલા ત્રણ પરિવારના 6 સભ્યો દાંડીના દરિયામાં ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે 14 મેના રોજ મુળ સુરતના એક પરિવારના 3 નાના બાળકો સહિતના 8 સદસ્યો નર્મદા નજીકના પોઈચા ગામમાં નહ્વા જતા ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં થી એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.