સંસદ/લોકસભામાં રાહુલ ગાંધીનું પુનરાગમન

કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડ ખાતેના સંસદસભ્ય રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટ, સોમવારે નવી દિલ્હીસ્થિત સંસદભવનમાં લોકસભા ગૃહમાં એમની બેઠક પુનઃ પ્રાપ્ત કરી હતી.

સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. મોદી અટકની કથિત બદનામીના કેસમાં રાહુલને સજા ફરમાવતા ગુજરાતની કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. એને કારણે રાહુલનું સાંસદપદ પ્રસ્થાપિત થયું છે.

રાહુલ ગાંધીએ સંસદભવન પહોંચ્યા બાદ સંકુલ ખાતે મૂકવામાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ઊભીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.