સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુગમ રીતે જળવાઈ રહે તે માટે GSPCના એમ.ડી. અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં તેમણે જાહેરાત કરી હતી કે, 30 જૂન સુધીમાં નવા ડોમેસ્ટિક PNG કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકોને રૂપિયા500નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જે કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ બિલમાં ક્રેડિટ તરીકે મળશે. હાલ સુરતમાં 15.20 લાખ કનેક્શન કાર્યરત છે અને નવા કનેક્શન આપવાની પ્રક્રિયાનો સમયગાળો 45 દિવસથી ઘટાડીને માત્ર 7 દિવસ કરી દેવામાં આવ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં હાલ ઇંધણ અને ફર્ટિલાઇઝરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને જોતા વહીવટીતંત્ર સતત સંકલનમાં રહીને કામ કરી રહ્યું છે. ખાસ કરીને હોસ્પિટલો, શાળાઓ અને સામાજિક સંસ્થાઓને PNG કનેક્શનમાં અગ્રતા આપવામાં આવી રહી છે. તેમજ HPCL, BPCL અને IOCL ના ડીલરો દ્વારા 3 અને 5 કિલોના નાના ગેસ સિલિન્ડરનો સપ્લાય પણ શરૂ કરી દેવાયો છે. આ બેઠકમાં કલેક્ટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.




કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતથી આ ડેલિગેશને પ્રવાસનો પ્રારંભ કર્યો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડૉ. ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે, તેમ જણાવ્યું હતું.
કોમનવેલ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ.એ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નીહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું હતું.
ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સ્થળ મુલાકાત કરવાનું છે.






આ ખેંચતાણ ત્યારે વધુ તીવ્ર લાગી રહી છે કારણ કે રાજ્યનાં મુખ્ય મંત્રી અને TMCનાં સર્વોચ્ચ નેતા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા નીકળ્યાં છે. હકીકતમાં, ડેરેક ઓ’બ્રાયન, સાગરિકા ઘોષ, મેનકા ગુરુસ્વામી અને સાકેત ગોખલે સહિતનું TMC પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હી સ્થિત ચૂંટણી પંચના કાર્યાલય પહોંચ્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા 23 ફેબ્રુઆરી 2026નાં રોજ 27 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ આર.જી સિંધુની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી, જોકે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચની રજૂઆત બાદ આ પીઆઈની બદલીનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે. હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પીઆઈ જી.એમ ચૌધરીની બદલી કરવામાં આવી છે.
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઉભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બેંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે.
