નવી દિલ્હીઃ યુદ્ધ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહનું સીઝફાયર થયું છે, પરંતુ હવે તેના ટકાઉપણાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સવાલ એ છે કે શું આ સીઝફાયર લાંબું ચાલશે? કારણ એ છે કે ઇઝરાયલે સિદ્ધાંતરૂપે સીઝફાયર સ્વીકાર્યો હોવા છતાં તે સંપૂર્ણ રીતે તેને લઈને સંતોષમાં નથી. સીઝફાયર જાહેરાત બાદ ઇઝરાયલે લેબેનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાને નિશાન બનાવી ભારે હવાઈ હુમલા કર્યા છે. અહેવાલો મુજબ હિઝબુલ્લા પર હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દીધો છે.
લેબેનોનના જણાવ્યાનુસાર ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 182 લોકોનાં મોત થયાં છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચેના તાજેતરના મોટા સંઘર્ષોમાં આ હુમલો મહત્વનો માનવામાં આવે છે.
ઇસ્લામાબાદમાં સીઝફાયર અંગે ચર્ચા
એ દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શનિવારથી અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર સંબંધિત વિગતો પર ચર્ચા થવાની છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ઉપપ્રમુખ જેડી વેન્સ ઇસ્લામાબાદ પહોંચશે, જેની વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે. ઈરાને પણ ચર્ચામાં ભાગ લેવા સંમતિ આપી છે.
એથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો સીઝફાયર આગળ વધારવા તૈયાર છે, પરંતુ લેબેનોન પર ઇઝરાયલના હુમલાઓ પછી તેના ભવિષ્ય અંગે અટકળો વધી ગઈ છે. હિઝબુલ્લા પર હુમલા બાદ ઈરાને બુધવારે ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો હોવાનું કહેવાય છે. અમેરિકા તરફથી ઈરાનને વૈશ્વિક ઓઇલ પરિવહન માટે મહત્વપૂર્ણ આ માર્ગ તાત્કાલિક ખોલવાની માગ કરવામાં આવી છે.

ઈરાનનો આરોપ – સીઝફાયરની ત્રણ શરતોનો ભંગ
અહેવાલો મુજબ લેબેનાન અને હિઝબુલ્લા પર હુમલાઓથી ઈરાન નારાજ છે. ઈરાનનો દાવો છે કે સીઝફાયરની ત્રણ શરતો તોડવામાં આવી છે:
- લેબેનોનમાં સીઝફાયરનો ભંગ થયો
- ઈરાન પર હુમલો નહીં કરવાની શરત છતાં એક ડ્રોને ઈરાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જેને ફાર્સ પ્રાંતના લાર શહેર પાસે તોડી પાડવામાં આવ્યો.
- ઈરાનના યુરેનિયમ સંવર્ધનના અધિકારને નકારી કાઢવામાં આવ્યો, જ્યારે તે સીઝફાયરની છઠ્ઠી શરતમાં સામેલ હતો.
ઈરાની સંસદના અધ્યક્ષ બાગેર ગાલિબાફે કહ્યું કે 10 મુખ્ય શરતોમાંથી ત્રણના ભંગ પછી સીઝફાયર અને ચર્ચા બંનેનો અર્થ નથી રહ્યો.












આ વિસ્તરણ ભાગીદારોની સંખ્યામાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ (FME)ની સંખ્યા માર્ચ 2020માં 8 હતી. જે વધીને હાલમાં 202 થઈ છે, જે 25 ગણો વધારો દર્શાવે છે. આ સાથે, ફંડ સ્કીમોની સંખ્યા 10 કરતાં ઓછી હતી તે વધીને 313 થઈ છે. જે પ્રોડક્ટ ઓફરિંગ અને રોકાણ વ્યૂહરચનાઓમાં ઝડપી વધારો દર્શાવે છે. ગિફ્ટ સિટી આધારિત ફંડ્સે કુલ 17.34 અબજ ડોલરની મૂડી એકત્ર કરી છે. જેમાંથી અંદાજે 17 અબજ ડોલરનું પહેલેથી જ રોકાણ થઈ ચૂક્યું છે.
આ ઉપરાંત, કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટ એન્ડ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સી.આઈ.ઓ. વિકાસ ખેમાણીએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી આધારિત અમારું ઓફશોર ઇનબાઉન્ડ ફંડ સરળતાથી કામ કરી રહ્યું છે. અમે ગિફ્ટ સિટીને માત્ર ભારત માટેના ગેટવે તરીકે નહીં, પરંતુ પહેલેથી જ સ્થાપિત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે જોઇએ છીએ, જ્યાં વૈશ્વિક અને સ્થાનિક બંને પ્રકારની કંપનીઓની ભાગીદારી સતત વધી રહી છે. ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રગતિશીલ નિયમનાત્મક માહોલ સાથે ગિફ્ટ સિટી અગ્રણી ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે.”

