જોની બેરિસ્ટોના ડિસમિસલ પર આર અશ્વિનનું ટ્વીટ, જાણો…

નવી દિલ્હીઃ એશિઝ સિરીઝ-2023 હેઠળ લોર્ડ્સ ટેસ્ટમાં જોની બેરિસ્ટોના રનઆઉટને લઈને શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. હવે વિવાદમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર રવિચંદ્રન અશ્વિને ઝુકાવ્યું છે. અશ્વિને એલેક્સ કેરીની પ્રશંસા કરી છે, કેમ કે તેણે પ્રેઝન્સ ઓફ માઇન્ડનો ઉપયોગ કર્યો હતો. બેરિસ્ટો જ્યારે લોર્ડસ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે છેલ્લો બોલ રમીને ક્રીઝ પરથી બીજા એન્ડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે કેરીએ તેને રનઆઉટ કર્યો હતો. બેરિસ્ટોના આ રનઆઉટ પર ક્રિકેટ નિષણાતો અને ક્રિકેટરો વચ્ચે મતમતાંતર છે. રવિચંદ્રન અશ્વિને સોશિયલ મિડિયાના માધ્યમ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

તેણે બેરિસ્ટોના રનઆઉટ પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે ટેસ્ટ મેચમાં વિકેટકીપર ક્યારેય આટલા દૂરથી સ્ટમ્પ નથી ઉડાવ્યા, જ્યાં સુધી તેણે અથવા તેની ટીમે બેરિસ્ટોની જેમ બોલ છોડ્યા પછી બેટ્સમેને ક્રીઝ છોડવાની પેટર્ન પર ધ્યાન ના આપવામાં આવ્યું હોય. અને ક્રિકેટને અનફેર પ્લેની ભાવના તરફ ઝૂકવાને બદલે વ્યક્તિની સ્માર્ટનેસની પ્રશંસા કરવી જોઈએ.જોની બેરિસ્ટોના રનઆઉટ પછી થયેલા વિવાને મુદ્દે આર. અશ્વિનના ટ્વીટને ક્રિકેટજગતમાં ફેન્સ ઘા લાઇક કરે છે.

આ ટેસ્ટ મેચમાં બેરિસ્ટોના આઉટ થયો મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો હતો, કેમ કે ઘરેલુ મેદાન પર ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે 43 રનથી હારી ગઈ હતી. બેરિસ્ટો આઉટ થવાથી કેપ્ટન બેન સ્ટોકસ બેજવાબદારી ભર્યું રમ્યો હતો. જોશ હેઢલવૂડના આઉટ થવા પહેલાં ઇન્ગલેન્ડે 214 રનમાં 155 રન બનાવ્યા હતા.

પાંચ મેચોની સિરીઝમાં 0-2થી પાછળ પડી ગયેલું ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ મેચ સાત સુલાઈથી બર્મિંગહેમમાં એજબેસ્ટનમાં રમશે.