બંગાળમાં સત્તાવિરોધી લહેરથી ઝઝૂમી રહેલાં મમતા બેનરજી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં રસપ્રદ લડાઈ જોવા મળી છે. TMCને ઘણા મોટા મુદ્દા પરેશાન કરી રહ્યા છે. રાજ્યમાં ઉદ્યોગોની જરૂર છે, જેમાં રોજગારીનું સર્જન થઈ શકે. જો અહીં નાના-મોટા ઉદ્યોગ હોત તો યુવાનોએ નોકરીઓ માટે ઝઝૂમવું ના પડત. પશ્ચિમ બંગાળના હુગલી, પશ્ચિમી મેદિનીપુર અને બાંકુરા જિલ્લામાં નોકરીઓની અછતે લોકસભા ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.  અહીં મોદી સરકારના 10 વર્ષ અને મમતા બેનરજીના 13 વર્ષના શાસનની વચ્ચે છે.

રાજ્યમાં મમતા સમર્થક પણ માને છે કે ભ્રષ્ટાચારે રાજ્ય સરકારને નુકસાન પહોંચાડ્યું છે. TMCના એક સ્થાનિક નેતાએ એ વાત સ્વીકારી હતી કે શિક્ષક કૌભાંડે મમતા સરકાર પર ઘેરો ડાઘ લગાડ્યો છે. અધૂરામાં પૂરું હાલમાં હાઇકોર્ટે રદ કરેલા OBC સર્ટિફિકેટે પણ સરકારની છબિને નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યના એક વેપારીએ પણ જણાવ્યું હતું કે 13 વર્ષ પછી TMCને વામપંથીઓથી અલગ નથી જોતા, જેથી આપણે ભાજપની જેમ બીજાને પણ અજમાવવા જોઈએ. વળી, ભાજપ વર્ષ 2019ના દેખાવથી TMC હલી ગઈ હતી. પાર્ટીએ 18 લોકસભા જીતી હતી, જેથી TMCએ 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અટકાવી હતી. જો ભાજપે લોકસભા ચૂંટણીમાં વધુ સીટો જીતી હોત તો વિધાનસભા ચૂંટણીમાં લાભ થાત.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવાનો અને ઘૂસણખોરોને રાજ્યની ડેમોગ્રાફી બદલવાની મંજૂરી આપવાનું પાપ કરવાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આરોપ લગાવ્યો હતો.