લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દેશનાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 સીટો પર 25 મેએ મતદાન થશે. આ તબક્કામાં જમ્મુ-કાશ્મીરની અનંતનાગ પર પણ મતદાન થશે. પહેલાં આ સીટ પર સાત મેએ મતદાન થવાનું હતું.

ADR (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) અને નેશનલ ઇલેક્શન વોચે છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડવાવાળા 869 ઉમેદવારોમાંથી 866 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. ત્યાર બાદ છઠ્ઠા તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો નોંધાયેલા છે. અહેવાલ મુજબ 866 ઉમેદવારોનાં એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 21 ટકા અથવા 180 ઉમેદવારોની વિરુદ્ધ ગુનાઇત કેસો નોંધાયેલા છે, જેમાંથી 141 એટલે કે 16 ટકા ઉમેદવારોએ તેમની પર ગંભીર ગુનાઇત કેસો જાહેર કર્યા છે, જેમાં છ પર હત્યાના આરોપ પણ છે.

અહેવાલ મુજબ ભાજપના 51માંથી 28 (55 ટકા), કોંગ્રેસના 25માંથી આઠ (32 ટકા), SPના 12માંથી નવ (75 ટકા), RJDના ચારમાંથી ચાર (100 ટકા), આપના પાંચમાંથી પાંચ (100 ટકા), TMCના નવમાંથી ચાર (44 ટકા) અને BJD છમાંથી 12(33 ટકા) ઉમેદવારો વિરુદ્ધ  ગુનાઇત કેસો નોંધાયેલા છે.અહેવાલ મુજબ આ ઉમેદવારોમાંથી સ્નાતક થયેલા 12, બિનસ્નાતક 13, પાંચથી 12ની વચ્ચે શૈક્ષણિક યોગ્યતા ધરાવતા 332, સ્નાતક અને એનાથી વધુની યોગ્યતા 487 અને ડિપ્લોમાહોલ્ડર 22 ઉમેદવારો છે.  અહેવાલ મુજબ છઠ્ઠા તબક્કામાં 25-40 વર્ષના 271 ઉમેદવારો છે, જ્યારે 41-60 વર્ષના સૌથી વદુ 436 ઉમેદવારો છે, જ્યારે 61થી 80 વર્ષના 159 ઉમેદવારો છે, જ્યારે છઠ્ઠા તબક્કામાં 92 મહિલા મેદવારો મેદાનમાં છે.