કોંગ્રેસનાં ચૂંટણી વચનોઃ મહિલાઓને સર્વે વગર અનામત અપાશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે મહિલા ન્યાય ગેરંટી યોજનાની ઘોષણા કરી હતી. આ યોજના હેઠળ ગરીબ મહિલાઓને રૂ. એક લાખ, સરકારી નોકરીઓમાં 50 ટકા અનામત અને મહિલાઓને હોસ્ટેલની સુવિધા આપવાનાં વચનો આપ્યાં હતાં. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું હતું કે કોંગ્રેસ આજે નારી ન્યાય ગેરન્ટીનું એલાન કરી રહી છે. જે હેઠળ પાર્ટી દેશમાં મહિલાઓ માટે નવો એજન્ડા નક્કી કરશે.

મહારાષ્ટ્રના ધુળેમાં ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી બીજી ભારત જોડો યાત્રામાં અમે એક નવો શબ્દ ન્યાય જોડ્યો છે, અમને પહેલી યાત્રામાં ખેડૂતો, યુવા હોય અથવા મહિલા બધાએ કહ્યું કે હિંસા અને નફરતનું કારણ છે, અન્યાય. 90 ટકા ભારતીયોને પ્રતિ દિન અન્યાયનો સામનો કરવો પડે છે. દેશના 22 અગ્રણી લોકોની સંપત્તિ 70 કરોડ લોકોની સંપત્તિના બરાબર છે.મહારાષ્ટ્રમાં ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ લોકસભામાં બહુ ધામધૂમથી અનામત આપી હતી, પરંતુ તમને કહેવામાં આવ્યું કે સર્વે પછી જ અનામત આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો તરત જ તમને અનામત આપશે. કોઈ પણ સર્વેની જરૂર રહેશે નહીં.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે નારી ન્યાય ગેરંટી હેઠળ કોંગ્રેસની પાંચ ઘોષણા કરી હતી, જેમાં પહેલી, મહાલક્ષ્મી ગેરંટી, જેના હેઠળ દરેક ગરીબ પરિવારની એક-એક મહિલાને વાર્ષિક રૂ. એક લાખની મદદ કરવામાં આવશે, બીજી અડધી વસતિને –નવી ભરતોમાં મહિલોને અધિકાર હશે.

ત્રીજી યોજના હેઠળ આંગનવાડી, આશા અને મિડ-ડે મીલ કાર્યકર્તાઓની માસિક આવક કેન્દ્ર યોગદાન બે ગણું કરવામાં આવશે. ચોથી, દરેક પંચાયતમાં મહિલાની નિયુક્તિ કરાશે અને પાંચમી, સાવિત્રીબાઈ ફુલે હોસ્ટેલનું જિલ્લા મથકે બાંધવામાં આવશે.