દાઉદ ઇબ્રાહિમ નિર્દોષ સાબિત થયો એ કેસ શું છે ?

દેશનો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે 41 વર્ષ પહેલા  મકરપુરા નજીક બનેલી ગોળીબારની ઘટના એને ગુજરાતની સાંસ્કૃતિક ધરતી વડોદરા સાથે જોડે છે. ચાર દાયકા પહેલા દાઉદ અને એના સાગરીતો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં ગુજરાત પોલીસ સહિતની તપાસ એજન્સીઓની બેદરકારીના કારણે દાઉદ અને એના સાગરીતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જાણીએ શુ હતો આ કેસ?

 શું હતી ઘટના ?

11 જૂન 1983માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટના નોંધવામાં આવી હતી. ફરિયાદ પ્રમાણે, દાઉદનો બોડીગાર્ડ હોવાનો દાવો કરનાર આલમઝેબે જ્યારે તે મુંબઈ જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માતે એને ગોળી મારી દીધી હતી. આ ઘટના મકરપુરા રીંગ રોડ પાસે બની હતી. આલમઝેની ઓળખ આમ તો એના હરીફ તરીકેની હતી. જો કે એ પાછળથી દાઉદનો સાથી અને પછી ફરી હરીફ બન્યો. પોલીસ રેકોર્ડમાં એણે ભૂલથી એને ગોળી મારી હોવાનું કબૂલ્યું હતું. જ્યારે આલમઝેબ સામે શરૂઆતમાં હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.

 દાઉદની હતી ચાલ

પોલીસે દાઉદને મળવા આવેલા લોકોની શોધખોળ શરૂ કરતાં અનેક વાતો સામે આવી. એસએસજી હોસ્પિટલમાં એને મળવા આવેલ એક વ્યક્તિ પાસે તિક્ષ્ણ હથિયાર સાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિ સયાજીગંજમાં તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપાયા હતા. સયાજીગંજમાં ઝડપાયેલા બે આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસ મહંમદ ચુનાવાલા, ચંદ્રશેખર ગઢવી, નરેન્દ્ર બારિયા અને અરવિંદસિંહ જાડેજાની હોટલના રૂમમાં પહોંચી હતી. પોસીલે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ચારેય આરોપી એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઉદને મળવા આવ્યા હતા. સયાજીગંજમાં જ્યાં તેઓ રોકાયા હતા એ હોટલમાંથી પોલીસે ત્રણ રિવોલ્વર, બે પિસ્તોલ અને અનેક જીવતા કારતૂસ કબજે કર્યા હતા.

મામલો નિષ્ક્રિય બની ગયો

બીજી તરફ આ કેસમાં દાઉદ ક્યારેય ટ્રાયલ માટે આવ્યો ન હતો, પરંતુ રાવપુરા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ રેકોર્ડમાં એનો ગુનો વર્ષો સુધી નોંધાયેલો રહ્યો. જ્યારે સયાજીગંજના ગુનામાં એના સાગરિતોના નામ સાથે નિષ્ક્રિય જાહેર કરાયા. ત્યારે અન્ય ગુના સંદર્ભે પોલીસ દાઉદ કોર્ટમાં હાજર થાય એની રાહ જોઈ રહી હતી. ફાયરિંગની ઘટના બાદ, દાઉદની 14 જુલાઈની સાંજે આર્મ્સ એક્ટ હેઠળના ગુનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ગરદન પર ગોળી વાગતાં એને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઇન્ડોર પેશન્ટ તરીકે વોર્ડ B1ના બેડ નંબર 14 પર રાખવામાં આવ્યો હતો. મામલો ઘણો જૂનો છે અને સમયની સાથે નિષ્ક્રિય થઈ ગયો. જો કે, એનું નામ રેકોર્ડ પર હતુ અને દાઉદને કોર્ટ સમક્ષ ભાગેડુ જાહેર કરાયો હતો.

કલેક્ટરની મંજૂરીની અવગણા

શરૂઆતમાં દાઉદ અને એના સાહરીતો સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ પાછળથી સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી. જો કે આ કેસમાં આરોપીઓને જામીન મળી જતા એ ભાગી છુટ્યા હતા. ત્યારથી લઈને એક પણ આરોપીને પકડવામાં વડોદરા પોલીસ સહિતની તમામ તપાસ એજન્સીઓ નિષ્ફળ નિવડી. આ કેસ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલો હતો જેમાં કલેકટરની મંજૂરી લેવી જરૂરી હતી. જો કે પોલીસે એમાં પણ કચાસ રાખી. કલેકટરની મંજબરી વગર જ કેસ આગળ વધ્યો.

કેસ થયો રફાદફા

વર્તમાન સમયમાં પોલીસે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે દાઉદ સહિતના આરોપીઓ સામે 41 વર્ષથી કેસ પેન્ડિંગ છે. આ આરોપીઓની પકડાવવાની શક્યતા ઓછી છે. માટે આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અને તપાસ એજન્સીઓની ગંભીર બેદરકારીના કારણે દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ અને એના સાહરીતોને નિર્દોષ સાબીત થયા છે. એમ કહી શકાય કે આ કેસમાંથી એ લોકોને મુક્તિ મળી ગઈ.