આસામમાં સુરત જેવી દુર્ઘટના, કોમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટમાં લાગી આગ

પાંચ વર્ષ પહેલા એક ગોઝારી ઘટના સુરતમાં બની હતી. જેને આખા ગુજરાતને હલાવીને રાખી દીધું હતું. આજે ફરી એક વાર આસામમમાં એવી જ ઘટની બની છે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના આસામમાં સામે આવી છે.

આસામની એક કમ્યુટર લેબમાં આગ ફાટી નીકળી હતી. આસામના સિલચરના શિલાંગ પટ્ટી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં એક કોમ્પ્યુટર ઈન્સ્ટીટ્યૂટ ટૉપ ફ્લોર પર ચાલે છે. ઘટના દરમિયાન અહીં કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હાજર હતા. આગ લાગતાની સાથે ચકચાર મચી ગયો છે. ઇન્સ્ટિટ્યૂટમાં આવેલા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા. કેટલાક બાળકો બારીથી નીકળીને પાઈપની મદદથી નીચે ઉતરતા જોવા મળ્યા.

જ્યારે બીજી બાજુ સ્થાનિકોની મદદથી વિદ્યાર્થીઓને બચાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની 3થી 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વનું છે કે બિલ્ડિંગની છત પર ઘણા બધા બાળકો હજુ પણ ફસાયેલા છે. જોકે, તેમની સંખ્યા અંગે કોઈ માહિતી નથી મળી. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ રાહત અને બચાવ કામમાં જોડાઈ હતી. તો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પાંચ વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 જેટલા વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને પાંચ વર્ષ પૂર્ણ થશે.