PM મોદી, CM સહિત અનેક દિગ્ગજોએ પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને દેશવાસીઓને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ  મીડિયાના માધ્યમથી તેમણે લખ્યું છે કે, આપણો દેશ, સમાજ અને દરેક વ્યક્તિનુ જીવન નિર્વિધ્ન રહે. તેમજ ઉત્સવ સમાજની શક્તિ હોય, ઉત્સવ સમાજ અને વ્યક્તિનાં જીવનમાં નવો પ્રાણ ભરે છે. સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા લોકમાન્ય તિલકની દેન છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટ્વિટ કરી દેશવાસીઓને ગણેશોત્સવ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને સોશિયલ મીડિયા મારફતે ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી.

અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે બાપ્પા સૌની મનોકામના પૂર્ણ કરે તેવા આશીર્વાદ સૌ કોઈ માગી રહ્યા છે.