ભાજપનું સંકલ્પ પત્ર જાહેર, વિકસીત ભારત 2047નો આ છે રોડ મેપ!

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. સંકલ્પ પત્રમાં વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા,ગરીબ,ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે. આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પત્રકાર પરિષદ સંબોધી હતી.  આ પત્રકાર પરિષદમા પ્રદેશના મહામંત્રી રજની પટેલ,મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ,પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝુબિન આશરા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંકલ્પ પત્ર અંગે મીડિયાને જણાવ્યું કે, ‘દેશના નાગરીકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબ કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા બદલ સંકલ્પ સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહને અભિનંદન. સંકલ્પ પત્રમા જનતાની સેવા કરવાની ગેરંટીનુ સંકલ્પ લઇને ભાજપ આવ્યુ છે. આ વખતે પણ જનતા જનાર્દનના આશિર્વાદથી PM મોદીના નેતૃત્વમા 400 થી વધુ બેઠકો જીતાડશે તેવો વિશ્વાસ છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમા સુશાસનનો પાયો મજબૂત કર્યો છે તેના કારણે ગુજરાતમાં તમામ 26 બેઠક પર જનતાના આશિર્વાદથી ભવ્ય જીત મળશે. સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે. દેશની જનતાને મફત અનાજ યોજના જાહેર કરી છે તે આગામી સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

સી.આર.પાટીલએ જણાવ્યું કે, સંકલ્પ પત્રમા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે. કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી PM મોદીએ આપી છે. PM નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજનામા 70 વર્ષથી વધુ ઉમંરના વડિલોને લાભ મળે તે માટે જાહેરાત કરી છે. મહિલાઓની સુરક્ષા અધિકારીઓનુ રક્ષણ ,વિકાસ માટે અનેક યોજના દ્વારા દેશની મહિલાઓને વિશ્વાસ અપાવ્યો છે. PMએ લોકસભા અને રાજયસભામા મહિલાઓને 33 ટકા અનામત આપવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. PM મોદી દેશના યુવાનોને લોન મળે તે માટે ગેરેંટર બન્યા. ખેડૂતો  કિસાન સન્માન નિધી યોજના જાહેરાત કરી હતી આ યોજના પણ લંબાવી છે. યુનાઇટેડ નેશનના સર્વે પ્રમાણે મોદી દેશમાથી 25 કરોડ લોકોને ગરિબી રેખાથી બહાર લાવ્યા છે.