ગાયને દોહીને ગધેડીને ન પવાય

ગાયને દોહીને ગધેડીને ન પવાય

 

કોઈ ઉત્તમ કામમાં વાપરી શકાય તેવું ધન અથવા શક્તિ કોઇની પાસેથી લઈને એને અયોગ્ય કામ અથવા પ્રમાણમાં તુચ્છ કહી શકાય તેવા કામમાં વાપરવું એ ક્યારેય સ્વીકાર્ય બને નહીં એટલે ‘ગાયને દોહીને ગધેડીને ન પવાય’ એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)