આજે કયા કયા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ થવાની શક્યતા?

ગાંધીનગર:રાજયમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં જળબંબકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં અનેક જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં હાલ 4-4 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બુધવારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત અન્ય કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્ય માટે આગામી 48 કલાક ભારે હોવાનું કહેવાય છે. વેધર રિપોર્ટ અનુસાર આજે ભરુચમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય શકે છે. જ્યારે બનાસકાંઠા, વલસાડ, તાપી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 5 સપ્ટેમ્બરે પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, ભરૂચ, ડાંગ, સુરત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.