સોનાક્ષીના મુસ્લિમ યુવક સાથે લગ્નથી સોશિયલ મિડિયા પર વિવાદ

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલની સાથે લગ્ન કરવાની છે. જોકે અહેવાલ છે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા સહિત પરિવાર તેમનાં લગ્નને લઈને નારાજ છે, કેમ કે હાલના દિવસોમાં શત્રુઘ્ન સિંહા અને લવ સિંહા પાસે સોનાક્ષીનાં લગ્ન વિશે રિએક્શન માગવામાં આવ્યું તો તેઓ ચૂપ રહ્યા હતા. જેથી સોશિયલ મિડિયા પર ચર્ચા છે કે સોનાક્ષીના પરિવારમાં તેનાં લગ્નને લઈને બધું ઠીકઠાક નથી ચાલી રહ્યું. આ સાથે સોનાક્ષી સિંહાને તેમની માતા અને ભાઈએ પણ ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી હતી.

 સોનાક્ષી સિંહાની 19 જૂને સંગીત સેરેમની છે. તેની 22 જૂને સગાઈ થવાની છે અને 23 જૂને લગ્ન થવાના છે. હાલમાં સોનાક્ષીનાં લગ્નના અહેવાલોને પહેલાજ નિહલાનીએ કન્ફર્મ કર્યા હતા. વાસ્તવમાં લગ્નના અહેવાલો વચ્ચે સમાચાર હતા કે શત્રુઘ્ન સિંહા પુત્રીથી ખફા છે, પરંતુ નિહલાનીએ કહ્યું હતું કે આવું બિલકુલ નથી, તેઓ લાંબા સમય સુધી નારાજ ના રહી શકે અને સોનાક્ષી તો તેમની લાડલી દીકરી છે અને તેનાં લગ્નમાં પણ તેઓ જરૂર આવશે.જોકે હાલમાં જોવા મળ્યું હતું કે સોનાક્ષી સિંહા પરિવારમાં કોઈને ફોલો કરે છે અને કોને અનફોલો કરે છે. જ્યારે સોનાક્ષી સિંહાની માતા ઇન્સ્ટાગ્રામ પર સોનાક્ષીનને અનફોલો કરે છે, તે માત્ર છ લોકોને ફોલો કરે છે.

સોશિયલ મિડિયા પર સોનાક્ષી સિંહાના લગ્નની ચર્ચા ચૌરે ને ચૌટે થઈ રહી છે. યુઝર્સ વિધર્મી યુવકથી લગ્ન કરવા જઈ રહેલી સોનાક્ષીને ટ્રોલ કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં મુસ્લિમ મહિલા  બિનમુસ્લિમથી લગ્ન નથી કરી શકતી, જ્યાં સુધી યુવક ધર્મ ના બદલે. મોટા ભાગના મુસ્લિમ બહુમતી દેશોમાં અન્ય ધર્મમાં લગ્નને સારા નથી માનતા. જોકે મુસ્લિમ યુવકોને ખ્રિસ્તી કે યહૂદી યુવતી સાથે લગ્ન કરવાની મંજૂરી છે.