અમદાવાદમાં તાપમાનનો પારો ઉચકાતાં લોકો ત્રાહિમામ!

અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે તાપમાનનો પારો ફરી એકવાર ઊંચકાયો છે. ભયાનક ગરમીમાં ભરબપોરે ઘર બહાર નીકળવાનું કોઈને મન ન થાય, પણ નોકરી-ધંધાર્થે અને અન્ય કારણોસર લોકોને બહાર નીકળવાની ફરજ પડે છે.દેશભરમાં તાપમાન ઝડપથી ઊંચું જઈ રહ્યું છે, જેનાથી લોકો હેરાન છે. ઘણાં શહેરોમાં એપ્રિલમાં જ તાપમાન 40 ડિગ્રી પાર કરી ચૂક્યું છે.

ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. આથી બજારમાં નવા માટલાંની ડિમાન્ડ વધી ગઈ છે. લોકો પાણીદાર ફ્રુટ્સ જેવાં કે તરબૂચ, ટેટી, દ્વાક્ષનું વધારે સેવન કરતાં હોય છે.તાપમાનનો પારો વધતાં ગરમીથી રક્ષણ આપે તેવાં ચશ્મા અને ટોપીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીમાં લોકો ના છૂટકે બહાર નીકળતાં હોય છે. ત્યારે સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે.ગરમીથી અબોલ પશુ-પક્ષીઓ પણ એટલાં જ ત્રાહિમામ હોય છે. ત્યારે તેમનાં માટે પણ વિશેષ સગવડો કરવામાં આવે છે.(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)