Home Blog Page 571

રાશિ ભવિષ્ય 29/09/2025 થી 05/10/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.

મોહસીન નકવીનું જાહેરમાં અપમાન, ભારતે ન લીધી ટ્રોફી

સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 એશિયા કપ 2025 ફાઇનલમાં પાકિસ્તાન સામે પાંચ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બે બોલ બાકી રહેતા 147 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો અને નવમી વખત ટ્રોફી જીતી હતી. ટાઇટલ જીત્યા બાદ, ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવીનું જાહેરમાં અપમાન કર્યું હતું. નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના વડા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ છે. તેઓ પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. નકવી તેમના ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. નોંધનીય છે કે ભારતે એશિયા કપ ટ્રોફી વિના ઉજવણી કરી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય ટીમે એશિયા કપ દરમિયાન પાકિસ્તાનના કોઈ પણ ખેલાડી સાથે હાથ ન મિલાવવાની અને મેદાનની બહાર કોઈપણ પ્રકારની વાતચીત ન કરવાની નીતિ અપનાવી હતી. પીસીબી ભારતની નીતિથી ખૂબ જ નારાજ હતું. ફાઇનલ પછી 75 મિનિટ પછી એવોર્ડ સમારંભ શરૂ થયો, જેમાં તટસ્થ પ્રસ્તુતકર્તા સિમોન ડૌલે માઇક્રોફોન લીધો. એવોર્ડ સમારંભ શરૂ થાય તે પહેલાં નકવી એક બાજુ ઉભા રહ્યા, જ્યારે ભારતીય ખેલાડીઓ 15 યાર્ડની અંદર ઉભા રહ્યા. ભારતીય ખેલાડીઓ મોહસીન નકવી સાથે સ્ટેજ શેર કરી શક્યા નહીં. નકવી સ્ટેજ પર આવતાની સાથે જ ભારતીય ચાહકોએ “ભારત માતા કી જય” ના નારા લગાવવા લાગ્યા.

અચાનક કોઈએ ટ્રોફી છીનવી લીધી

ભારતે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યા પછી, સમાચાર આવ્યા કે અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના ઉપપ્રમુખ ખલીલ અલ ઝરોઉની સૂર્યા બ્રિગેડને ટ્રોફી રજૂ કરશે. જોકે, સિમોન ડૌલે પાછળથી જણાવ્યું હતું કે ભારતીય ટીમ એવોર્ડ સમારંભમાં ટ્રોફી સ્વીકારશે નહીં. નકવી રાહ જોતા હતા, અને અચાનક આયોજકોમાંથી કોઈ ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી લઈ ગયો. નકવીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પ્લેન ક્રેશ વિશે ઈશારો કરીને ગોલની ઉજવણી કરી રહ્યો હતો. ૨૧ સપ્ટેમ્બરના રોજ ભારત સામેની સુપર ૪ મેચ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફે પણ આવી જ ઉશ્કેરણીજનક હરકતો કરી હતી, જેના માટે તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ટાઇટલ મેચમાં તિલક વર્મા પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા. તેમણે અણનમ અડધી સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બચાવ્યું અને તેમને વિજયની નજીક પહોંચાડ્યું. તિલકએ ૫૩ બોલમાં અણનમ ૬૯ રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતને છેલ્લી ઓવરમાં દસ રનની જરૂર હતી, અને રૌફ પાસે બોલ હાથમાં હતો. તિલક બીજા બોલ પર છગ્ગો અને રિંકુ સિંહે ચોથો બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જેનાથી સ્ટેડિયમમાં ભારતીય દર્શકો અને ચાહકો તેમના ટીવી સ્ક્રીન પર ઉજવણી કરવા લાગ્યા.

પંચાંગ 29/09/2025

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો દોર હજુ પણ ચાલુ છે. શાળાઓ, હાઇકોર્ટ, પોલીસ સ્ટેશનો અને સચિવાલય પછી, હવે દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. માહિતી મળતાં, દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી. જોકે, અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. હંમેશની જેમ, ધમકી ઇમેઇલ દ્વારા મળી હતી.

આતંકવાદી 111 જૂથના નેતા તરીકે ઓળખ

ધમકીભર્યા ઇમેઇલ મોકલનારએ પોતાને એક આતંકવાદી જૂથના નેતા તરીકે ઓળખાવ્યો. ઇમેઇલમાં કહેવામાં આવ્યું હતું કે, “હું શાળાઓ અને એરપોર્ટના વહીવટ માટે આતંકવાદી જૂથ, જેને આતંકવાદી 111 તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો નેતા છું.” તેમણે ઉમેર્યું, “સ્વર્ગ અને પૃથ્વીની પેલે પાર, આ શાપિત દુનિયામાં જ્યાં કંઈ પણ ક્યારેય યોજના મુજબ ચાલતું નથી, હું એકલો અસ્પૃશ્ય છું; હું મારી જાતને મારી મર્યાદા સુધી ધકેલી શકતો નથી. કારણ કે હું અમર્યાદિત છું, હું દુષ્ટતાનો બાળક છું, હું નફરતનો સાર છું.” મેઇલમાં કહેવામાં આવ્યું છે કે તમારી ઇમારતોની આસપાસ બોમ્બ મૂકવામાં આવ્યા છે, તમારી પાસે પ્રતિક્રિયા આપવા માટે 24 કલાક છે અથવા રક્તપાતનો સામનો કરવો પડશે.

જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા ભારતીય સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઉત્તર કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (LOC) પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘૂસણખોર આતંકવાદીઓએ સુરક્ષા દળની ટુકડીને પડકાર ફેંક્યો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓને રોકવા માટે ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા, પરંતુ તેમના મૃતદેહ હજુ સુધી મળી આવ્યા નથી.

Srinagar: Two encounters are underway in Kashmir between terrorists and security forces at Chitragam area in South Kashmir’s Shopian district and at Pattan in North Kashmir’s Baramulla district on september 30,2022(Photo: Nisar Malik /IANS)

સૂત્રોના જણાવ્યા અનુસાર, બે આતંકવાદીઓના મૃતદેહ LoC નજીક પડ્યા છે અને આતંકવાદીઓની ઓળખ થાય તે પહેલાં તેમને પકડી લેવામાં આવશે. છેલ્લા આઠ દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ બીજી મુલાકાત છે. અગાઉ, શનિવાર, 20 સપ્ટેમ્બર, 2025 ના રોજ, ઉધમપુરના દુડુ-બસંતગઢ જંગલોમાં આતંકવાદીઓ સાથેની મુલાકાત થઈ હતી, જેમાં એક સૈનિક શહીદ થયો હતો અને એક SPO સહિત બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અનેક એન્કાઉન્ટર

એ નોંધવું જોઈએ કે 8 સપ્ટેમ્બર, 2025 ના રોજ, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ઓપરેશન ગુદ્દર ચલાવ્યું હતું, જેમાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં બે સૈનિકો શહીદ થયા હતા. શહીદ સૈનિકોમાં કૈથલના રહેવાસી લાન્સ નાયક નરેન્દ્ર સિંધુ અને ઉત્તર પ્રદેશના રહેવાસી પેરા કમાન્ડો પ્રભાત ગૌરનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. એક આતંકવાદી શોપિયનનો રહેવાસી અમીર અહેમદ ડાર અને બીજો રહેમાન ભાઈ નામનો વિદેશી હતો. અમીર સપ્ટેમ્બર 2023 થી લશ્કરનો સભ્ય હતો અને પહેલગામ હુમલાના કાવતરામાં સામેલ હતો.

 

કરુર ભાગદોડ : અભિનેતા વિજયે કરી મોટી જાહેરાત

કરુરમાં થયેલી ભાગદોડ બાદ, તમિલનાડુના ટીવીકેના વડા અને અભિનેતા વિજયે જાહેરાત કરી કે રેલીમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ₹20 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. શનિવારે તમિલનાડુના કરુરમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે ₹10 લાખના વળતરની જાહેરાત કરી હતી.

શનિવારે, અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. અપેક્ષિત હાજરી 10,000 હતી. જોકે, 27,000 થી વધુ લોકો હાજર રહ્યા હતા. લોકો સવારથી જ વિજયની રાહ જોઈ રહ્યા હતા, ગરમી, ભૂખ અને તરસથી પીડાતા હતા. વિજય સાંજે 7 વાગ્યા પછી પહોંચ્યા. તેમના ભાષણ દરમિયાન, લોકો બેભાન થવા લાગ્યા, જેના કારણે ભાગદોડ મચી ગઈ. લગભગ 39 લોકો માર્યા ગયા અને લગભગ 100 ઘાયલ થયા. આ ઘટના અંગે રાજકીય વર્તુળોમાં પણ દોષારોપણનો દોર શરૂ થઈ ગયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને કરુરમાં અભિનેતા અને ટીવીકેના વડા વિજયની રેલીમાં થયેલી ભાગદોડ બાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ શક્ય કેન્દ્રીય સહાયની ખાતરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ ઘટના અંગે તમિલનાડુ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના મહાસચિવ કે. પલાનીસ્વામીએ રવિવારે દાવો કર્યો હતો કે શનિવારે અહીં ટીવીકેની રાજકીય રેલીમાં થયેલી ભાગદોડ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષામાં થયેલી ભૂલોનો પુરાવો છે.

પલાનીસ્વામીએ કહ્યું કે જો પોલીસ અને રાજ્ય સરકારે પૂરતા સાવચેતીનાં પગલાં લીધાં હોત, તો આવી “દુર્ઘટના” ટાળી શકાઈ હોત. અકસ્માતમાં ઓગણત્રીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને ૫૧ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

મિથુન મન્હાસ BCCIના નવા અધ્યક્ષ બન્યા

મિથુન મન્હાસ બીસીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સૌપ્રથમ દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટનની નિમણૂકની જાહેરાત તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મિથુન મન્હાસને સત્તાવાર રીતે બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં જન્મેલા મિથુન મન્હાસનું નામ પહેલાથી જ આગામી બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે સૂચવવામાં આવ્યું હતું. સત્તાવાર જાહેરાત બાકી હતી. અપેક્ષા મુજબ, 28 સપ્ટેમ્બરના રોજ AGMમાં તેમનું નામ જાહેર થઈ શકે છે.

મન્હાસ બીસીસીઆઈના અધ્યક્ષ બનનારા પ્રથમ અનકેપ્ડ ખેલાડી

મિથુન મન્હાસ બીસીસીઆઈના અધ્યક્ષ બનનારા ત્રીજા ક્રિકેટર છે. તેમની પહેલા સૌરવ ગાંગુલી અને રોજર બિન્ની હતા. મિથુન મન્હાસ રોજર બિન્નીનું સ્થાન લે છે, જેમને વય મર્યાદાને કારણે પદ છોડવું પડ્યું હતું. મિથુન મન્હાસની પ્રમુખ તરીકે નિમણૂક એ પહેલી વાર છે જ્યારે કોઈ અનકેપ્ડ ખેલાડી, એટલે કે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી, તેણે બીસીસીઆઈની બાગડોર સંભાળી છે.

બીસીસીઆઈના અધ્યક્ષ બનતા પહેલા તેમણે આ ભૂમિકાઓ નિભાવી હતી

બીસીસીઆઈના નવા અધ્યક્ષ મિથુન મન્હાસ અગાઉ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં પ્રશાસક તરીકે સેવા આપી ચૂક્યા છે. તે પહેલાં, તેમણે દુલીપ ટ્રોફીમાં ઉત્તર ઝોન માટે કન્વીનર તરીકે પણ સેવા આપી હતી. તેમણે આઈપીએલમાં પણ યોગદાન આપ્યું છે, જ્યાં તેમણે આઈપીએલ ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સના સપોર્ટ સ્ટાફમાં સેવા આપી હતી.

મિથુન મન્હાસનું ક્રિકેટર તરીકે પ્રદર્શન

મિથુન મન્હાસના ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો તેમણે 157 ફર્સ્ટ-ક્લાસ મેચ, 130 લિસ્ટ એ મેચ અને 91 ટી-20 મેચ રમી છે. આ ફોર્મેટમાં, મિથુન મન્હાસે ઘરેલુ ક્રિકેટમાં લગભગ 15,000 રન બનાવ્યા છે.

બીસીસીઆઈમાં કોને કયું પદ મળશે?

મિથુન મન્હાસ બીસીસીઆઈના અધ્યક્ષ રહેશે. તેમના ઉપરાંત, રાજીવ શુક્લાને બોર્ડના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેવજીત સૈકિયાને બીસીસીઆઈના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રભતેજ સિંહ ભાટિયાને સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને એ. રઘુરામ ભટને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અરુણ ધુમલને આઈપીએલ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે.

ધીરસ્ય તત્ર ન મુહ્યતિ : મેનેજમેન્ટમાં સ્થિરતા અને સફળતાનો મંત્ર

‘ધીરસ્ય તત્ર ન મુહ્યતિ’નો આ સંદેશ મહાભારતમાં ઊંડો અર્થ ધરાવે છે, જે Resilience તરીકે ઓળખાય છે, એટલે કે પડકારો, નિષ્ફળતાઓ કે Setbacks પછી ફરી ઊભા થવાની ક્ષમતા. વ્યવસાયિક જગતમાં સફળતા ક્યારેય સીધી રેખામાં મળતી નથી, તેમાં ચઢાવ-ઉતાર, નિષ્ફળતા અને અણધાર્યા પડકારો સામેલ હોય છે. પરંતુ જે વ્યક્તિ કે સંસ્થા ધીરજ રાખીને ધૈર્યપૂર્વક ફરી ઊભી થાય છે એ જ લાંબા ગાળે ટકી રહે છે.

ઉદાહરણ તરીકે સ્ટીવ જોબ્સને જોતાં આપણે શીખી શકીએ કે પોતાની જ સ્થાપિત કંપની એપલમાંથી બહાર કાઢવામાં આવ્યા પછી પણ તેમણે ધીરજ ગુમાવી નહીં, નેક્સ્ટ અને પિક્સાર જેવી કંપની ઉભી કરી અને પાછા એપલમાં આવી iPhone, iPod, iPad જેવી પ્રોડક્ટ્સથી દુનિયામાં સંચારક્રાંતિ કરી. આ Resilienceનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં ધીરુભાઈ અંબાણીએ એક સામાન્ય માણસ તરીકે શરૂઆત કરીને અનેક અવરોધો, વિરોધ અને નિષ્ફળતાઓ છતાં ધીરજ ગુમાવી નહીં અને રિલાયન્સને એક વૈશ્વિક સામ્રાજ્ય બનાવી દીધું. ક્રિકેટ જગતમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ ધીરજ અને સ્થિરતાનું પ્રતિક છે, કારણ કે ઘણી વાર ક્રિકેટમાં અણધાર્યા સંજોગો ઊભા થયા છતાં તેઓ શાંત મિજાજથી ધીરજપૂર્વક નિર્ણય લેતા અને ટીમને વિજય અપાવતા.

આજના સમયમાં Resilience એ લીડરશિપ માટે સૌથી જરૂરી ગુણ ગણાય છે, કેમ કે બજારમાં સ્પર્ધા, ટેક્નોલોજીના ફેરફાર, આર્થિક મંદી કે કુદરતી આફતો – આવી પરિસ્થિતિઓ વારંવાર આવે છે. પરંતુ જે સંસ્થા ધીરજપૂર્વક ટકી રહે છે, શીખે છે અને નવીનતા અપનાવે છે તે જ આગળ વધી શકે છે.

2008ની વૈશ્વિક આર્થિક મંદીમાં અનેક કંપનીઓ તૂટી પડી પરંતુ જે કંપનીઓએ ધીરજ રાખી, ખર્ચ કાપ્યો, કર્મચારીઓનો વિશ્વાસ જાળવ્યો અને નવી વ્યૂહરચના ઘડી તે જ ફરી ઊભી થઈ શકી. મહાભારતમાં પણ પાંડવોએ અગણિત કષ્ટો – જંગલવાસ, અન્યાય અને અપમાન સહન કર્યા છતાં ધીરજ ગુમાવી નહીં અને અંતે ધર્મયુદ્ધમાં વિજયી થયા. એ જ રીતે આજના મેનેજમેન્ટમાં પણ જ્યારે Setbacks આવે ત્યારે તાત્કાલિક મૂંઝાઈ જવું કે હિંમત ગુમાવવી એ સંસ્થાની નબળાઈ છે, પરંતુ ધીરજ રાખીને સ્થિરતાથી ફરી આગળ વધવું એ જ સફળતાનો સાચો માર્ગ છે. તેથી ‘ધીરસ તત્ર ન મુહ્યતિ’નો ગીતાજીનો (અધ્યાય 2, શ્લોક-13) આ સિદ્ધાંત માત્ર આધ્યાત્મિક જીવનમાં નહીં પરંતુ વ્યવસાયિક અને વ્યવસ્થાપન જગતમાં પણ સદાય પ્રેરણા આપતો રહે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

AMAના નવા પ્રમુખ રાજીવ ગાંધી, ઉપપ્રમુખ મોહલ સારાભાઈ

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ની 68મી વાર્ષિક સામાન્ય સભા શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. આ પ્રસંગે એએમએના નવા હોદ્દેદારોની ટીમની પસંદગી કરવામાં આવી.

રાજીવ ગાંધી, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ – હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડ અને એરોટ્રાન્સ, એએમએના પ્રમુખ તરીકે નિયુક્ત થયા.

મોહલ સારાભાઈ, મેનેજિંગ ડિરેક્ટર – અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, એએમએના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા.

ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે “નવી લીડરશીપ ટીમ ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત નવીનતા અને નેતૃત્વના મહાન વારસાને આગળ ધપાવશે તથા મેનેજમેન્ટના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના એએમએના ઉદ્દેશને વધુ મજબૂત બનાવશે.”

બિહાર ચૂંટણી માટે ECI એ મોટી જાહેરાત કરી

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ 2025 માં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીઓ અને અનેક રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટે 470 કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. તેમણે તેમની યાદી પણ જાહેર કરી છે. બિહાર વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બરમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ અને ઓડિશામાં પેટાચૂંટણીઓ સાથે યોજાવાની છે. આ માટે, વિવિધ રાજ્યોમાં કાર્યરત 470 અધિકારીઓને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 320 IAS, 60 IPS અને 90 IRS/ICAS અધિકારીઓનો સમાવેશ થાય છે.

શું આ બેઠકો પર ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ યોજાશે?

ચૂંટણી પંચના અપડેટ મુજબ, ઓક્ટોબર-નવેમ્બર 2025 માં બિહારની 225 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે. ગુજરાતના કડી અને વિસાવદરમાં, કેરળની એક બેઠક, પંજાબમાં લુધિયાણા પશ્ચિમમાં અને પશ્ચિમ બંગાળમાં કાલીગંજ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ યોજાશે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની કટરા બજાર બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાવાની છે, જે ધારાસભ્ય બાવન સિંહના અવસાનથી ખાલી પડી છે, પરંતુ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રાજ્યસભાની પેટાચૂંટણી જમ્મુ અને કાશ્મીરમાં ચાર, પંજાબમાં એક, આંધ્રપ્રદેશમાં ત્રણ અને ઓડિશા, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં એક-એક બેઠક માટે પણ યોજાવાની છે.

નિરીક્ષકોની જવાબદારીઓ શું હશે?

ચૂંટણી પંચે ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે. તેમની જવાબદારી ચૂંટણીની તારીખોની જાહેરાતથી લઈને ચૂંટણી પરિણામોની જાહેરાત સુધી ઉમેદવારોની તમામ પ્રવૃત્તિઓ અંગે ચૂંટણી પંચને રિપોર્ટ કરવાની અને જરૂરી સૂચનો આપવાની છે. તેઓ ન્યાયી, વિશ્વસનીય અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે પણ જવાબદાર રહેશે. નિરીક્ષકોને તેમની ફરજોનું કડક પાલન કરવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવાની સૂચના આપવામાં આવી છે. સ્પષ્ટ સૂચનાઓ જણાવે છે કે જો કોઈ ફરિયાદ મળે તો નિરીક્ષકો જવાબદાર રહેશે.