Home Blog Page 5032

હવે આ જાણકારી નહીં આપો તો પગારમાંથી કપાશે 20 ટકા TDS

નવી દિલ્હી:  ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) અંગે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. બદલાયેલા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનો પગાર ટીડીએસ કાપવા લાયક છે અને તે પેન કે આધારની જાણકારી નહીં આપે તો પગારમાંથી 20 ટકા ટીડીએસ કાપવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના સર્કૂલરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, નવા નિયમમાં આધાર નંબરને પણ સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ ટેક્સ સંબંધિત કામમાં ફક્ત પેન કાર્ડને જ સ્વીકારવામાં આવતું હતું, પણ ગયા વર્ષે સરકારે કહ્યું કે જો કોઈ પાસે પેન કાર્ડ ન હોય તો ટેક્સ સંબંધીત કામમાં આધારનો પણ ઉપયોગ કરી શકાય છે.

નવા નિયમ હેઠળ જો કોઈ કર્મચારીનો પગાર 2.5 લાખ રૂપિયા સુધી હોય તો કોઈ ટેક્સ નહિં કપાય. વર્તમાનમાં 2.5 લાખ સુધી ઈન્કમ ટેક્સ ફ્રી છે અને 2.5-5 લાખ સુધી ઈન્કમ પર 5 ટકા ટેક્સ લાગે છે. તમામ પ્રકારની છૂટનો લાભ ઉઠાવ્યા બાદ જો પગાર 20 ટકા ટેક્સેબલ સ્લેબમાં આવે છે તો ટીડીએસ 20 ટકા જ રહેશે. 5 થી 10 લાખ સુધી ઈન્કમ પર 20 ટકા ટેક્સના દર છે.

જો કોઈનો પગાર 30 ટકા ટેક્સ સ્લેબમાં આવે છે અને તેણે પાન-આધાર જમા નથી કરાવ્યું તો ટીડીએસ કપાતા પહેલા એવરેજ ટેક્સના દર કાઢવા પડશે. જો એવરેજ ટેક્સ રેટ 20 ટકાથી વધુ આવે તો ટીડીએસ તે દરે કાપવામાં આવશે.

પેન કાર્ડને આધાર સાથે લિંક કરવાની તારીખ વધારીને 31 માર્ચ 2020 કરી દેવામાં આવી છે. પેન-આધાર લિંક નહિ કરવા પર પેનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે? આ મામલે ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ પહેલા નિર્ણય સંભળાવ્યો હતો કે, પેનને આધાર સાથે લિંક નહિ કરવા પર કોઈ પણ વ્યક્તિનો પેનકાર્ડ નંબર નિષ્ક્રિય નહિ થાય. કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પોતાના પેનને આધાર કાર્ડ સાથે લિંક નથી કરતું તો તેને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા કે ટ્રાન્ઝેક્શન કરવામાં પેનનો ઉપયોગ કરવાથી અટકાવવામાં આવી શકે છે.

 

ગણતંત્ર દિવસ: જાણો આપણા રાષ્ટ્રીય ધ્વજની વિકાસ યાત્રા

નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વર્ષે દેશમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રાજપથ પર શાનદાર પરેડ સાથે દેશવાસીઓ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોથી 71માં ગણતંત્ર દિવસની ખુશીઓ મનાવવામાં આવી રહી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ તિરંગો એટલે કે આપણા રાષ્ટ્રીય ધ્વજની વિકાસગાથા.

1907માં પહેલા પેરિસ અને પછી બર્લિનમાં ભારતના ઝંડાને મેડમ ભીખાજી કામા અને તેમના નિર્વાસિત સાથી ક્રાંતિકારીઓ દ્વારા લહેરાવવામાં આવ્યો હતો. આ ઝંડાને કામાની સાથે વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્માએ ડિઝાઈન કર્યો હતો. આ પહેલાના ઝંડા સાથે ઘણાઅંશે મળતો આવતો હતો. જોકે, એમાં ઉપરની પટ્ટીમાં સપ્તઋષિ દર્શાવતા સાત સ્ટાર્સ અને એક કમળ હતુ.

1917માં એક નવો ઝંડો સામે આવ્યો આ ઝંડાને અની બેસેન્ટ અને લોકમાન્ય તિલકે હોમ રુલ આંદોલન દરમ્યાન ફરકાવ્યો હતો. આ રીતે ઝંડામાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો. આ ઝંડામાં પાંચ લાલ અને ચાર લીલી આડી લાઈનો હતો તેની ઉપર સપ્તઋષિનું ચિન્હ રાખવામાં આવ્યું હતું.

1921માં બેઝવાડામાં આયોજીત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના સત્રમાં આંધ્રપ્રદેશના એક યુવાએ ગાંધીજીને આ ઝંડો આપ્યો હતો. આ ઝંડો બે રંગોથી બનેલો હતો લાલ અને લીલો. લાલ રંગ હિન્દુઓ અને લીલો રંગ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતો હતો. જોકે, એ યુવકના સૂચન પછી તેમાં સફેદ લાઈન અને ચરખો પણ ઉમેરવામાં આવ્યો હતો.

1931માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે તિરંગાને રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં સ્વીકાર કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો. કોંગ્રેસ ઔપચારિક રીતે આ ઝંડાનો સ્વીકાર કર્યો જેને એ જ વર્ષે 31 ઓગસ્ટના રોજ લહેરાવવામાં આવ્યો. 1921ના એ ઝંડામાં એટલા માટે ફેરફાર કરવામાં આવ્યો કે, કારણ કે કેટલાક લોકોએ આ ઝંડાના ધાર્મિક પક્ષને સ્વીકાર ન કર્યો. શીખ સમુદાયે કહ્યું કે, 1921ના ઝંડામાં તેમને પ્રતિનિધિત્વ આપવામાં આવે અથવા તો ઝંડામાં રહેલા ધાર્મિક રંગોને દૂર કરવામાં આવે. આ રીતે 1931માં પિંગાલી વૈંકેય્યાએ નવો ઝંડો તૈયાર કર્યો જેમાં વચ્ચે ચરખાને સ્થાન આપવામાં આવ્યું.

1947માં રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધ્વજ નક્કી કરવામાં માટે એક કમિટીની રચના કરવામાં આવી. કમિટીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઝંડાને જ રાષ્ટ્ર ધ્વજ તરીકે સ્વીકાર કર્યો. જોકે, તેમાં કેટલાક ફેરફાર પણ કર્યા. 1931માં આ ઝંડાની વચ્ચમાં રહેલા ચરખાને સ્થાને અશોક ચક્ર મૂકવામાં આવ્યું જે આજે પણ છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(બીઆઈએસ) એ ઝંડાના નિર્માણ માટે કેટલાક માપદંડ નક્કી કર્યા છે. જેના હેઠળ ધ્વજનું કાપડ, ડાઈ, કલર, દોરા અને ફરકાવવાની રીતે વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય ઝંડા ખાદીના કાપડમાંથી બનાવવમાં આવે છે. આમાં બે પ્રકારની ખાદીના કાપડનો ઉપયોગ કરવામાં આવે છે.

તિરંગા સાથે જોડાયેલા કોડ ઓફ કન્ડક્ટ પણ છે. ઝંડો રાષ્ટ્રીય પ્રતિક હોય છે જેથી સામન્ય નાગરિકો ઝંડાનો યોગ્ય રીતે ઉપયોગ કરે માટે કોડ ઓફ કન્ડક્ટ બનાવવામાં આવ્યા છે.  રાષ્ટ્રીય ધ્વજમાં રહેલા ત્રણ રંગોનું અલગ અલગ મહત્વ ધરાવે છે. કેસરી રંગ સાહસ અને ત્યાગનું પ્રતિક છે, તો સફેદ રંગ ઈમાનદારી, શાંતિ અને શુદ્ધતાનું પ્રતિક છે. એ જ રીતે લીલો રંગ વિશ્વાસ, શોર્ય અને જીવનનું પ્રતિક છે. તેમજ ધ્વજમાં રહેલું અશોક ચક્ર ધર્મ અને કાયદાનું પ્રતિક છે. અશોક ચક્રમાં 24 સ્પોક્સ હોય છે અને ઝંડો 2:3ની સાઈઝમાં હોવો જોઈએ.

વાહ ભાઈ વાહ! ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 26/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ તા. 26/01/2020

હિન્દુત્વની રાજનીતિ: ઉદ્ધવ ઠાકરે-રાહુલ ગાંધી સાથે અયોધ્યા જશે?

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના 100 દિવસ પૂર્ણ થવાના અવસર પર સાત માર્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાતે જશે અને રામલલાના દર્શન કરી તેમના આશિર્વાદ લેશે. જો કે એ પહેલા જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાત સમયે તેમની સાથે રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે? તેવો સવાલ પૂછતા શિવસેના સાંસદ સંજય રાઉતે પોતાના આગવા અંદાજમાં જવાબ આપ્યો હતો. અને સામે સવાલ કર્યો હતો શું ભાજપ નેતા જમ્મુ કશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીને પોતાની સાથે અયોધ્યા લઈ જશે ખરા. સંજય રાઉતે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, અમારી ગઠબંધન સરકારના અન્ય સહયોગી નેતાઓ પણ આ ઉદ્ધવ ઠાકરે સાથે અયોધ્યા જાઈ. રાહુલ ગાંધી પણ અનેક મંદિરોમાં જતા હોય છે.

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ પોતાની પાર્ટીના ઝંડામાં માત્ર ભગવો રંગ રાખ્યો છે. તે સમયે જ શિવસેના પોતાના હિન્દુત્વના એજન્ડાને યાદ અપાવતા રામલલ્લાના દર્શન કરવાનું નકકી કર્યુ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગુરુવારે પોતાની પાર્ટીનો નવો ભગવો ઝંડો જાહેર કરીને પાકિસ્તાની, બાંગ્લાદેશી ઘુસણખોરોને દેશની બહાર કરવા માટે રાજગ સરકારનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે સંકેત આપ્યો છે કે, તે તેમના કાકા બાળ ઠાકરેની હિન્દુત્વની વિચારધારાને આગળ ધપાવવા માંગે છે.

મહત્વનું છે કે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે, તે અયોધ્યા જશે. હવે ઠાકરે સરકારના 100 દિવસ માર્ચમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે.

આ અગાઉ શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે 16 જૂન 2019ના રોજ તેમની પાર્ટીના તમામ સાંસદો સાથે અયોધ્યા પહોંચ્યા હતા. એ સમયે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતને ભાજપ દબાણ બનાવવાની રાજનીતિ અને વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી હતી. એ સમયે શિવસેના ભાજપની સહયોગી પાર્ટી હતી પણ હવે બંન્નના રસ્તા અલગ છે. આ તરફ ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા જવાની જાહેરાતથી કોંગ્રેસ અને એનસીપીમાં ખલબલી મચી ગઈ છે. બંને પાર્ટીને ડર સતાવે છે કે, આના કારણે મુસ્લિમો તેમનાથી નારાજ થઈ શકે છે.

સીએએઃ શાહીનબાગ રોડ ફરી શરુ કરવા માટે સ્થાનિક લોકો કરશે વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ શાહીનબાગમાં શાંતિપૂર્ણ પ્રદર્શન વચ્ચે હિંસા થતા હવે લોકોની સહનશક્તિના સીમાડા તૂટી રહ્યા છે. હવે રસ્તો બંધ થવાના કારણે મુશ્કેલી વેઠી રહેલા લોકોએ પણ રોડ પર આવીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. આ લોકો આશરે 40 દિવસથી બંધ થયેલા કુંજ માર્ગને ફરીથી ખોલવા માટે રેલી કાઢવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ શાહીનબાગમાં કેટલાક પત્રકારો સાથે ઝડપ થઈ હતી. આટલું જ નહી પરંતુ રોડ પાર કરવાના પ્રયત્નો કરી રહેલા લોકોને રોકવાના મામલાઓ પણ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ત્યાં સીએએ અને એનઆરસી વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

શાહીનબાગ પ્રદર્શન વિરુદ્ધ હવે અહીંયાના લોકો જ રોડ પર ઉતરશે. રોડ બંધ થવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સરિતા વિહારના લોકોનો પ્લાન છે કે તેઓ 2 ફેબ્રુઆરીના રોજ પ્રદર્શન કરશે. આ લોકો પોતાની કોલોનીથી શાહીનબાગ સુધી રેલી કરશે. આ લોકોની માંગ છે કે બંધ રોડને સામાન્ય લોકો માટે હવે ખોલી દેવામાં આવે.

આના માટે સરિતા વિહારમાં રહેનારા કેટલાક લોકો સરિતા વિહારના એસીપી અજબ સિંહને મળ્યા હતા. તેમણે સિંહને કહ્યું કે, આવતા સપ્તાહ સુધી કોઈ રસ્તો નહી કાઢવામાં આવે તો પ્રદર્શન કરવામાં આવશે. પ્રદર્શનની તૈયારીમાં જોડાયેલા એક સ્થાનિક ગબ્બર સિંહ ચૌહાણે કહ્યું કે, આ કોઈ રાજનૈતિક પાર્ટીની રેલી જેવું નહી હોય. જેવી રીતે શાહીનબાગના લોકોને પ્રદર્શન કરવાનો હક છે તેમ જ સરિતા વિહાર અને જસોલાના લોકોને આનો વિરોધ કરવાનો હક છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અત્યારે તે લોકો એ નક્કી નથી કરી શક્યા કે રોડને સામાન્ય લોકો માટે ખોલવામાં આવે કે નહી ? પ્રદર્શનકારીઓનું કહેવું છે કે બેરિકેડ કદાચ દૂર પણ થઈ જાય તોપણ રોડ પર ચાલવું મુશ્કેલ છે. કારણ કે અહીંયા આશરે 40 ફૂટનો ભારતનો નક્શો મૂકવામાં આવ્યો છે. આને ક્રેનની મદદથી દૂર કરી શકાય છે. આને વેલ્ડિંગ કરીને બનાવવામાં આવ્યો છે, જેને દૂર કરવા માટે કેટલાક દિવસનો સમય લાગી શકે છે.

શાહીનબાગ પ્રદર્શનમાં શુક્રવારે હિંસા પણ થઈ હતી. ત્યાં કે પત્રકારો પર હુમલો થયો હતો. પ્રદર્શનકર્તાઓએ લાઈવ પ્રોગ્રામ કરવા માટે પહોંચેલા પત્રકારોના કેમેરા પણ તોડી નાંખ્યા હતા.

આઈપીએસ અતુલ કરવાલને 26 જાન્યુઆરીએ વીરતા અને શોર્ય માટે એવોર્ડ અપાશે

અમદાવાદઃ ગુજરાત માટે એક ગૌરવ લઈ શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. આઈપીએસ અતુલ કરવાલને 26 મી જાન્યુઆરીના રોજ તેમની વીરતા અને શોર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવશે.  અતુલ કરવાલ 1988 ની બેંચના આઈપીએસ અધિકારી છે. અત્યારે તેઓ હૈદરાબાદ એકેડમીમાં ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતના આ આઈપીએસ અધિકારીને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ 1988 ની બેંચના આઈપીએસ અધિકારી અતુલ કરવાલને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદના ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. કરવાલ ગુજરાત કેડરના પહેલા આઈપીએસ અધિકારી છે જે એસવીપી-એનપીએના ડાયરેક્ટર પદની જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા ગુજરાત કેડરના કોઈપણ અધિકારીને એકેડમીના ડાયરેક્ટરની જવાબદારી મળી નથી. આ એકેડમી ભારતીય પોલીસ સેવા માટે પસંદ કરવામાં આવતા અધિકારીઓને પ્રશિક્ષણ આપે છે.

રોયલ ફેમિલીને અતૂટ રાખવા ફેવિકોલે આપી આ સલાહ

નવી દિલ્હી: બ્રિટિશ રૉયલ ફેમિલીના ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિંસ હેરી અને મેઘનના નાટકીય રૂપથી બહાર નીકળવા પર વ્યંગાત્મક કટાક્ષ કરતા ફેવિકોલે પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર મજેદાર ટ્વીટ કર્યું છે.

ટ્વીટમાં ફેલિકોલે શાહી પરિવાર પર કટાક્ષ કરતા લખ્યું કે તેમણે દુનિયાના સૌથી મોટા હીરા કોહિનૂરને બદલે ફેવિકોલને ભારતથી લઈ જવો જોઈતો હતો. રોયલ ક્રાઉનની ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘ડિયર રૉયલ ફેમિલી, કોહિનૂર નહીં, ફેવિકોલ લઈ જવું હતું.’ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, ‘ફેવિકોલ હોત તો સસ-એક્સ ન થાત અને પરિવાર અતૂટ રહ્યો હોત.’ સાથે તેમણે #meghanandharry #FevicolKaJod #MazbootJod હેશટેગ લખ્યા છે. આ ટ્વીટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

રવિવારે કહેવામાં આવ્યું કે પ્રિંસ હેરી અને મેઘન, જેમણે પહેલા તેમણે શાહી કર્તવ્યોથી અલગ થવાની જાહેરાત કરી હતી, ‘રોયલ હાઈનેસ’ ખિતાબનો ઉપયોગ નહીં કરે અને તે હવે શાહી કર્તવ્યો માટે સાર્વજનિક ધન પણ પ્રાપ્ત નહીં કરે.

વિવાદોના વડા રહેલા બ્રાઝિલિયન પ્રમુખ 26મીએ મુખ્ય મહેમાન

નવી દિલ્હી: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાઈર બોલસોનરો ચાર દિવસના સત્તાવાર પ્રવાસ પર આજે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ આવતીકાલે યોજાનારા ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા બાદ બોલસોનારોનો આ સૌ પ્રથમ ભારત પ્રવાસ છે. તેમની સાથે કેબિનેટના આઠ પ્રધાન અને એક મોટું વ્યાપારી પ્રતિનિધિ મંડળ પણ નવી દિલ્હી આવ્યું છે. રાષ્ટ્રપતિ બોલસોનારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી અને તેમની ઉપસ્થિતિમાં બન્ને દેશ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયા હતા. ગેસ, ખાણ, સાયબર સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કુલ 15 જેટલી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારી પરસ્પરની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે એક વ્યાપક કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2023માં બન્ને દેશ વચ્ચે રાજકીય સંબંધોનું પ્લેટીનિયમ જુબિલી વર્ષ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો ગત વર્ષ સત્તા પર આવ્યા હતા.

દક્ષિણપંથી વિચારધારાના બોલસોનરો હંમેશા તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તેમણે બ્રાઝિલના ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહેવામાં આવે છે. બોલસોનરોએ ડિસેમ્બર 2018માં બ્રાઝિલની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી હતી. જાન્યુઆરી 2019માં તેમણે પદભાર સંભાળ્યો. દક્ષિણપંથી વિચારધારાનું સમર્થન કરનારા બોલસોનરોએ લેફ્ટ સરકારને દૂર કરીને સત્તા મેળવી હતી. ભારત દ્વારા ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે આમંત્રણનો પણ વિરોધ થઈ રહ્યો છે.

બોલસોનરો તેમના અંગત વિચારોને લઈને પણ વિવાદમાં રહે છે. મહિલાઓ અને હોમોસેક્સ્યુઅલ લોકો માટેના તેમના વિચારો દેશની પ્રજાને નથી ગમતા. તેમણે બ્રાઝિલની સંસદમાં દલીલ દરમ્યાન વિપક્ષની નેતા મારિયા ડો રોઝારિયો પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતુ કે, હું તમારો બળાત્કાર નહીં કરું કારણ કે તને એને લાયક નથી. આ નિવેદન બદલ ચોતરફ તેમની ટીકા છતાં તેમણે માફી માંગી નહતી. ચૂંટણી દરમ્યાન જાઈર બોલસોનરો પર ચપ્પુ વડે હુમલો થયો હતો.

2017માં તેમણે એક સ્પીચ દરમ્યાન કહ્યું હતું કે, મારા પાંચ બાળકો છે જેમાંથી ચાર મર્દ છે, પાંચમાં સંતાનનો નબળાઈના સમયે જન્મ થયો એટલે છોકરી થઈ. 2002માં તેમણે ‘ગે’ લોકોના અધિકારોમાં ચાલી રહેલા અભિયાનનો ભાગ બનવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, હું એટલા માટે નહીં લડુ કારણ કે હું બે મર્દોને એકબીજા સાથે કિસ કરતા જોઈશ તો તેમને ત્યાં જ મારવા લાગીશ.

બોલસોનરોના ભારત પ્રવાસના વિરોધનું અન્ય એક કારણ એ પણ છે કે, તે શેરડી, એટલે કે સુગરના ગ્લોબલ માર્કેટમાં બ્રાઝિલ ભારતનું ફરીફ છે. બ્રાઝિલ અવારનવાર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈજેશનમાં ભારત વિરુદ્ધ વાત રાખી ચૂક્યું છે. તેમનું કહેવું છે કે, ભારત શેરડી પકવતા ખેડૂતોની નક્કી કરેલી લિમિટની બહાર જઈને મદદ કરે છે.