Home Blog Page 5031

રાશિ ભવિષ્ય 27/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ તા. 27/01/2020

‘જાણ કરવામાં મોડું થાય એમાં વીમો આપવાની ના પાડી ન શકાય’

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે વાહન ચોરી થયાના કેસમાં એ વિશેની સૂચના વીમા કંપનીને આપવામાં મોડું થાય તો એને દાવો નકારી કાઢવાનો આધાર ગણી ન શકાય.

ન્યાયમૂર્તિઓ એન.વી. રામના, બી.આર. ગવઈ અને આર.એસ. રેડ્ડીની બનેલી બેન્ચે આ ચુકાદો બે-સભ્યોની બેન્ચે આ કેસ તેને સુપરત કર્યા બાદ આપ્યો છે.

મોટી બેન્ચને પૂછવામાં આવ્યું હતું કે વાહન ચોરીના કેસમાં વીમા કંપનીને જાણ કરવામાં મોડું થાય તો શું વીમાનો દાવો નકારી શકાય ખરો? અને એ પણ ત્યારે કે જ્યારે પોલીસ એફઆઈઆર તુરંત નોંધવામાં આવી ચૂકી હોય.

વીમા કંપનીએ એવો દાવો કર્યો હતો કે કમર્શિયલ વેહિકલ્સ પેકેજ પોલિસી માટેના સ્ટાન્ડર્ડ ફોર્મમાં સ્પષ્ટ જણાવેલું છે કે જો દાવોકર્તા ચોરીના કેસમાં વીમા કંપનીને તાત્કાલિક જાણ નહીં કરે તો પોલિસીની શરતનું પાલન ન કરવા બદલ એને ક્લેમ આપવાનો ઈનકાર શકી શકાશે.

પરંતુ સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચે વીમા કંપનીની દલીલને નકારી કાઢતાં કહ્યું કે, જ્યારે વાહનની ચોરી થાય ત્યારે વ્યક્તિની પ્રથમ પ્રાથમિકતા ચોરી વિશે પોલીસમાં જઈને એફઆઈઆર નોંધાવવાની હોય છે. આવા કેસમાં વાહનમાલિક તેના વાહનને શોધવામાં પોલીસને મદદ કરવા માગતો હોય છે. ચોરીના સંબંધમાં એફઆઈઆરની નોંધણી અને એની તપાસ બાદ વાહન ન મળે તો પોલીસનો અંતિમ રિપોર્ટ એ વાતનો પાકો પુરાવો છે કે વાહનની ચોરી થઈ છે. એટલું જ નહીં, વીમા કંપની તરફથી સર્વેયર પાસેથી પણ એવી અપેક્ષા રાખી શકાય કે તે એ તપાસ કરે કે વીમા ક્લેમ કરનારનો ચોરી સંબંધિત દાવો વાસ્તવિક છે કે નહીં. જો સર્વેમાં એ માલૂમ પડે્ કે ચોરીનો દાવો વાસ્તવિક છે અને એ વિશે તુરંત એફઆઈર પણ કરવામાં આવી હતી તો અમારા મતે વાહન ચોરીનો એ અંતિમ પુરાવો છે. એ પછી કંઈ ન જોઈએ. એવા કેસમાં વીમા ક્લેમનો ઈનકાર કરી શકાય નહીં.

‘રામ લખન’ જોડીને મોટા પડદા પર ફરી લાવશે સુભાષ ઘઈ

મુંબઈ – નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘઈ જેકી શ્રોફ અને અનિલ કપૂરની ‘રામ લખન’ જોડીને રૂપેરી પડદા પર ફરી લાવવાના છે. પરંતુ નવી ફિલ્મ 1989ની સુપરહિટ ‘રામ લખન’ ફિલ્મની સીક્વલ નહીં હોય એવી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.

નવી ફિલ્મ એક સામાજિક સંદેશ સાથેની એક ક્રાઈમ કોમેડી હશે. ફિલ્મનું નામ હશે ‘રામચંદ કિશનચંદ.’

આ ફિલ્મ 50ની ઉંમર વટાવી ચૂકેલા બે પોલીસ અધિકારી વિશેની હશે. આ બંને પાત્ર જેકી અને અનિલ ભજવશે. બંને જણ ‘રામ લખન’માં સાથે જોવા મળ્યા હતા અને 30 વર્ષ પછી તેઓ ફરી સાથે કામ કરશે.

નવી ફિલ્મમાં જેકી શ્રોફનું પાત્ર એક સરળ અને પ્રામાણિક અધિકારીનું હશે જ્યારે અનિલ કપૂરનું પાત્ર મોજીલા અને મસ્તીપ્રેમીનું હશે. મતલબ કે 50ની વયના અને જુદા જુદા રાજ્યમાંથી ભેગા થયેલા એક સારા અને એક ખરાબ પોલીસ અધિકારી વિશેની આ ફિલ્મ હશે.

સુભાષ ઘઈ 2014 પછી આ પહેલી વાર ફિલ્મ ડાયરેક્ટ કરશે. છેલ્લે એમણે ‘કાંચીઃ ધ અનબ્રેકેબલ’ ફિલ્મ બનાવી હતી. એમાં કાર્તિક આર્યન અને મિશ્તી મુખ્ય ભૂમિકાઓમાં હતાં, પરંતુ ફિલ્મ જરાય ચાલી નહોતી.

જેકી શ્રોફ અને અનિલ કપૂરે ‘રામ લખન’ ઉપરાંત બીજી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમ કે, ‘કાલા બાઝાર’, ‘ત્રિમૂર્તિ’, ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’, ‘પરિંદા’, ‘યુદ્ધ’, ‘અંદર બાહર’ અને ‘કભી ના કભી’.

પ્રજાસત્તાક દિન પરેડમાં CRPFની મહિલા ડેરડેવિલ્સ છવાઈ ગઈ…

દેશના 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે 26 જાન્યુઆરી, રવિવારે નવી દિલ્હીમાં યોજવામાં આવેલી પરંપરાગત વાર્ષિક રાષ્ટ્રીય પરેડમાં દેશના સંરક્ષણની ત્રણેય પાંખે તેની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. મિસાઈલો, ટેન્કો, લડાયક વિમાનો, રડાર, સબમરીનો જોવા મળી હતી, પણ દર્શકોને સૌથી વધારે પ્રભાવિત કરી ગઈ હતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની મહિલા જવાનોનાં દિલધડક બાઈક સ્ટન્ટ્સ. મહિલા બાઈકર્સના સંઘનાં કરતબ જોવા માટે ઘણા લોકો સુરક્ષા જવાનોની અવગણના કરીને આગળ દોડી ગયા હતા.


પ્રજાસત્તાક દિન પરેડમાં આ પહેલી જ વાર CRPFની મહિલા બાઈકર્સ દ્વારા અદ્દભુત સ્ટન્ટ જોવા મળ્યા હતા. એમને કરતબ કરતી જોવાની ઈચ્છાને સુરક્ષા જવાનો પણ રોકી શક્યા નહોતા.




દોડતી બાઈક્સ ઉપર અનેક હિંમતભર્યા કરતબ બતાવ્યા હતા. એકથી વધુ મોટરસાઈકલો ઉપર મહિલા જવાનોએ માનવ પિરામીડની રચના કરી બતાવી હતી.


હેડ કોન્સ્ટેબલ મીના ચૌધરીએ મોટરસાઈકલ પર અદ્દભુત રીતે સંતુલન જાળવીને બંને હાથમાં બે 9mm પિસ્તોલને ફાયર કરવા માટે સજ્જ સ્થિતિમાં પકડી હતી


સાત ડેરડેવિલ્સ મહિલા રાઈડર્સ દ્વારા સીઆરપીએફ ફ્લેગમાર્ચ જોઈને દર્શકો ચકિત થઈ ગયા હતા


મહિલા બાઈકર્સ કરતબ બતાવી રહી હતી ત્યારે લોકો પોતપોતાની જગ્યાએથી ખસવાનું નામ લેતા નહોતા. આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર સુજાતા ગોસ્વામીએ એમની પાંચ ટીમસાથીઓની સાથે બાઈક પર સ્પીડમાં આવી હતી અને રાજપથ પર ડેરિંગ ફોર્મેશન દર્શાવ્યું હતું


મહિલા બાઈકર્સની ટૂકડીની આગેવાની ઈન્સ્પેક્ટર સીમા નાગે લીધી હતી. દોડતી મોટરસાઈકલની ટોચ પર ઊભાં રહીને એમણે મંચ તરફ સલામી આપી હતી.






અંતમાં, પાંચ મોટરસાઈકલો પર 21-મહિલા હિંમતબાજ જવાનોએ માનવ પીરામિડ રચીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં










 

 

 



















































બીજી T20Iમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારત સિરીઝમાં 2-0થી આગળ

ઓકલેન્ડ – ટીમ ઈન્ડિયાએ સતત બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં જીત મેળવી છે. આજે અહીં ઈડન પાર્ક ખાતે રમાઈ ગયેલી મેચમાં ભારતે યજમાન ટીમને 7-વિકેટથી આસાનીથી પરાજય આપીને પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની સરસાઈ પ્રાપ્ત કરી છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતના બોલરોએ યજમાન બેટ્સમેનોને નિયંત્રણમાં રાખતાં ન્યૂઝીલેન્ડ ટીમ તેના હિસ્સાની 20 ઓવરમાં 132 રન જ કરી શકી હતી અને એમાં તેની પાંચ વિકેટ પડી ગઈ હતી.

તેના જવાબમાં, ભારતે 17.3 ઓવરમાં 3 વિકેટના ભોગે 135 રન કરીને મેચ જીતી લીધી હતી. આ ફોર્મેટમાં જોરદાર ફોર્મમાં રમતા ઓપનર અને વિકેટકીપર લોકેશ રાહુલ આજે અણનમ 57 રન ફટકાર્યા હતા.

સિરીઝની ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.

આજની મેચમાં, ભારતના બોલરોની ચોક્સાઈ અને કડક બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડનો એકેય બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતો કે એની નજીક પણ પહોંચી શક્યો નહોતો. ઓપનર માર્ટિન ગપ્ટીલ અને વિકેટકીપર ટીમ સેઈફર્ટ, બંનેએ 33-33 રન કર્યા હતા. સેઈફર્ટ નોટઆઉટ રહ્યો હતો. અન્ય ઓપનર કોલીન મુનરોએ 26, કેપ્ટન વિલિયમ્સને 14, કોલીન ડી ગ્રેન્ડહોમે 3, રોસ ટેલરે 18 રન કર્યા હતા.

ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલરો – શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મધ્યમ ઝડપી બોલર શિવમ દુબેએ 1-1 બેટ્સમેનને આઉટ કર્યો હતો.

ભારતના દાવમાં, ઓપનર રોહિત શર્મા માત્ર 8 રન કરી શક્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 11 રન કરીને આઉટ થયા બાદ રાહુલ અને પહેલી મેચના હિરો શ્રેયસ ઐયરે (44) 86 રનની વિજયી ભાગીદારી કરી હતી. રાહુલે 50 બોલના દાવમાં બે સિક્સર અને 3 બાઉન્ડરી ફટકારી હતી તો ઐયરે 33 બોલનો સામનો કર્યો હતો અને 3 સિક્સર અને એક બાઉન્ડરી ફટકારી હતી.

ટ્વેન્ટી-20 ફોર્મેટમાં કે.એલ. રાહુલની છેલ્લી પાંચ ઈનિંગ્ઝનો સ્કોર…

91

45

54

56

57* (આજે)















પ્રજાસત્તાક દિન 2020: ગુજરાતના ટેબ્લોમાં ‘રાણીની વાવ’ની ઝાંખી…

71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે 26 જાન્યુઆરી, રવિવારે નવી દિલ્હીમાં યોજવામાં આવેલી પરંપરાગત વાર્ષિક રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી જે ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેમાં ભારતની પ્રાચીન સ્થાપત્યકળાના ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત સમી 'રાણીની વાવ - જલમંદિર' ((Step-well)ની ઝાંખી દર્શાવવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવેલી રાણીની વાવ અથવા 'રાણકી વાવ' કે 'રાની કી વાવ'ને યુનેસ્કો સંસ્થાએ વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરી છે. સ્થાપત્યવિદ્યાની અજાયબી સમી આ વાવમાં જમીનથી ઊંડે એક પછી એક સાત માળનું બાંધકામ રાણી ઉદયમતીએ 1063ની સાલમાં એમનાં પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં આ વાવ બંધાવી હતી, જે રાણીની વાવ તરીકે પ્રખ્યાત થઈ છે.


દાયકાઓથી અલોપ થઈ ગયેલી સરસ્વતી નદીના પૂરના પાણી એક સમયે ઘૂસી ગયા બાદ આ વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્ત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે વાવનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. 'રાણકી વાવ' ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે અને પ્રાચીન ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.










રાણીની વાવની વિશેષતાઓઃ

  • વાવની લંબાઈ આશરે 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે
  • ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે.
  • જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવાઓ સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે એટલે કે ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો.
  • લોકજીવન સાથે સંલગ્ન સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
  • ઉત્તમ સ્થાપત્ય અને વાસ્તુશાસ્ત્રનો લાલિત્યપૂર્ણ શિલ્પકલા સાથે સુભગ સમન્વય
  • અનોખું બાંધકામ- સાત મજલા અને 340 થાંભલાઓ
  • વાવની દીવાલો પર શૈવ અને વૈષ્ણવ માર્ગનાં અવર્ણનીય શિલ્પો
  • આ વાવનું બાંધકામ પૂર્વ-પશ્ચિમ: પૂર્વમાં પ્રવેશદ્વાર, પશ્ચિમ તરફ જળકુંડ
  • લગભગ 40 વર્ષ સુધી ચાલેલ રાણકી વાવનું બાંધકામ
  • અનુપમ કોતરણી ધરાવતા 340 સ્તંભો (થાંભલા)
  • શૈવ-વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં શિલ્પો
  • શિવ, પાર્વતી, વિષ્ણુ, રામ, સૂર્ય, માતા દુર્ગા, ચામુંડા, મહાલક્ષ્મી, કુબેર આદિની મનોહર પ્રતિમાઓ
  • અપ્સરાઓ, યોગિનીઓના શિલ્પમાંથી પ્રગટતું અનુપમ દેહલાલિત્ય
  • કમનીય કાયા પર સોળ શૃંગાર દર્શાવતાં મોહક નારી-શિલ્પો
  • રાણકી વાવનું બાંધકામ ઇસ 1022 થી 1062-63 સુધી ચાલ્યું હોવાનો ઉલ્લેખ છે. કાળક્રમે વાવ દટાઈ ગઈ હતી અને ભૂલાઈ ગઈ હતી.
  • 1968માં ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ.
  • રાણકી વાવ અમદાવાદથી રોડ માર્ગે આશરે 140 કિમી દૂર (આશરે બે-અઢી કલાક)
  • અમદાવાદ-મહેસાણા 75 કિમી. પાટણ-મહેસાણા આશરે 65 કિમી.
  • અમદાવાદથી મહેસાણા થઈ પાટણ જવું (અમદાવાદ-પાલનપુર હાઇવે પર)
  • ભારે વરસાદ/સખત ઉનાળામાં વાવની મુલાકાત ટાળવી. વિન્ટર સિઝન શ્રેષ્ઠ
  • વાવ જોવાનો સમય: સવારે આઠ પછી. સાંજે પાંચ/ છ વાગ્યા સુધી
  • મોટર માર્ગે જવું સારું. અમદાવાદ/ મહેસાણાથી સ્ટેટ ટ્રાંસપોર્ટ બસ સર્વિસ સારી
  • પોતાના ફોર-વ્હીલરમાં જવું સલાહભર્યું. રસ્તા સરસ
  • પોતાના નાસ્તા-પાણી લઈ જવું ઇચ્છનીય. બેઠકો-બાંકડા સાથે વિશાળ બગીચો.
  • સવારે વહેલા રાણકી વાવ વિઝિટ કરી પછી મોઢેરા સૂર્યમંદિર/બહુચરાજી જઈ શકાય

પ્રજાસત્તાક દિવસ પરેડ: લશ્કરી તાકાત, સંસ્કૃતિની જોવા મળી ઝલક

નવી દિલ્હી – ભારતવાસીઓ હર્ષોલ્લાસપૂર્વક આજે દેશનો 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આજે સવારે એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં પરંપરા અનુસાર વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતે આજનો પ્રજાસત્તાક દિવસ ઉજવણી કાર્યક્રમ અતિથિ વિશેષ તરીકે બ્રાઝિલના પ્રમુખ જેયર બોલસાનોરાની હાજરીમાં માણ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

રાજપથ યોજવામાં આવેલી રાષ્ટ્રીય પ્રજાસત્તાકદિન પરેડમાં દેશની સૈન્ય તાકાત અને બહુરંગી સાંસ્કૃતિક છટાનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો એ વખતે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને તિરંગાને 21 તોપની સલામી આપવામાં આવી હતી.

પ્રજાસત્તાક દિન પરેડમાં સેનાની ત્રણેય પાંખના જવાનો તથા અન્ય સુરક્ષા દળોનાં જવાનો એકબીજા સાથે કદમ મિલાવીને ચાલ્યા હતા, જે દ્વારા તેઓ સમગ્ર દુનિયાને ભારતનો એવો સંદેશ આપી રહ્યા હતા કે માત્ર અમારા કદમ જ નહીં, પરંતુ તમામ દેશવાસીઓ એકબીજા સાથે કદમ મિલાવીને ચાલે છે.

પ્રજાસત્તાક દિન પરેડના મુખ્ય અંશઃ

  • પરેડમાં એક પછી એક 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સરકારી મંત્રાલયો તથા વિભાગોનાં સુશોભિત ટેબ્લો (ચિત્રરથ) નીકળતા જતા હતા ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, મહિલાઓ અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાની સીટ પરથી ઊભાં થઈને તાળીઓ પાડતાં જોવા મળ્યાં હતાં

  • ગુજરાતનો ચિત્રરથ રાજપથ પર આવ્યો હતો ત્યારે લોકોએ હર્ષનાદો અને તાળીઓથી એને વધાવી લીધો હતો. એમાં રાણીની વાવનું દ્રશ્ય જોવા મળ્યું હતું.
  • ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ ફોર્સના જવાનોએ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અમિત યાદવના નેતૃત્ત્વમાં માર્ચપાસ્ટ કર્યું હતું.
  • 140 એર ડિફેન્સ રેજીમેન્ટના લેફ્ટેનન્ટ વિવેક વિજય મોરેએ પરેડ વખતે એર ડિફેન્સ ટેક્નિકલ કન્ટ્રોલ રડારનું પ્રદર્શન કર્યું હતું.
  • ભારતે ભીષ્મ ટેન્ક દ્વારા દુનિયાને પોતાની લશ્કરી તાકાતનાં દર્શન કરાવ્યા હતા.
  • રાફેલ વિમાનનો ટેબ્લો જેવો પરેડમાં આવ્યો કે લોકોએ તાળીઓ પાડીને એનું સ્વાગત કર્યું હતું. રાફેલ વિમાનો આકાશમાં દુશ્મનોનાં દાંત ખાટા કરવા માટે સક્ષમ છે
  • ભૂમિદળની જુદી જુદી રેજીમેન્ટના જવાનોએ પરેડ કરી હતી.
  • સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના ઊંટ પર સવાર થયેલા જવાનોનાં દળે લોકોનાં દિલ જીતી લીધા હતા.

  • M-17V5 હેલિકોપ્ટરે રાષ્ટ્રીય ધ્વજ તથા સેના ધ્વજ સાથે આકાશમાં ઉડ્ડયન કર્યું હતું
  • નૌકાદળના ટેબ્લોમાં બોઈંગ P-8આઈ લોન્ગ રેન્જ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ અને કોલકાતા વર્ગની ડિસ્ટ્રોયર તથા કલવરી વર્ગની સબમરીન રજૂ કરવામાં આવી હતી
  • નૌકાદળના જવાનોએ બ્રાસ બેન્ડ વગાડ્યું હતું
  • સેના સિગ્નલનું નેતૃત્ત્વ કરનાર ટૂકડીની આગેવાની કેપ્ટન તાન્યા શેરગિલે લીધી હતી
  • ભૂમિદળે T-90 ભીષ્મ ટેન્કને પેશ કરી હતી. ટેન્કના કમાન્ડર હતા કેપ્ટન સન્ની ચહર.
  • DRDO વિભાગ દ્વારા એન્ટી-રડાર સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી
  • શીખ લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટનું નેતૃત્ત્વ તેની છઠ્ઠી બટાલીયનના મેજર અંજુમ ગોરકાએ કર્યું હતું.
  • એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર-વેપન સિસ્ટમ ઈન્ટીગ્રેટેડ રુદ્ર અને 2 એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટરો, ધ્રુવ આર્મી એવિએશનમાં ડાયમંડ ફોર્મેશને દર્શકોનું દિલ જીતી લીધું હતું

અગાઉ સવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે જઈને અમર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સેનાનાં જવાનોએ પણ શહીદોને સલામી આપી હતી. આ પહેલી જ વાર બન્યું હતું કે વડા પ્રધાને અમર જવાન જ્યોતિને બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રજાસત્તાક દિન પરેડની વધુ તસવીરો…



















































ઉદ્ધવ ઠાકરે 7 માર્ચે અયોધ્યા જશેઃ રામલલાના દર્શન કરશે

મુંબઈ – શિવસેના પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ નક્કી કરવામાં આવી છે. તેઓ એમની મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારના સત્તાના 100 દિવસ પૂરા થવાના પ્રસંગની ઉજવણી કરવા અયોધ્યા જશે.

શિવસેનાનાં નેતા અને રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

રાઉતે કહ્યું કે ઠાકરે 7 માર્ચે અયોધ્યા જશે અને એ મુલાકાત માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ‘અયોધ્યામેં જલ્લોષ! માર્ચ, 7, 2020’, એમ રાઉતે ટ્વીટમાં જણાવ્યું છે.

સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રામલલાનાં દર્શન કરશે અને સરયૂ નદીના કિનારે આરતી પણ કરશે. દેશભરમાંથી હજારો શિવસૈનિકો પણ ત્યારે અયોધ્યા જશે. અમારા માટે આ આસ્થાનો વિષય છે અને કોઈએ પણ એને રાજકારણ સાથે સાંકળવું નહીં, એમ રાઉતે કહ્યું છે.

ઠાકરેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે અયોધ્યા જેવું જોઈએ એવી ભાજપ દ્વારા કરાયેલી ટીકાનો જવાબ આપતાં રાઉતે કહ્યું કે રામ મંદિર બાંધકામના મુદ્દે કોંગ્રેસ અને એનસીપીની નેતાગીરીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવારે રામ મંદિર ચુકાદાને આવકાર્યો છે. રામ મંદિર બંધાવું જ જોઈએ એવો તેમણે પણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે એવું મેં સાંભળ્યું છે. તેથી કોઈએ પણ યોગ્ય માહિતી મેળવવી જોઈએ અને પછી બોલવું જોઈએ.

મહારાષ્ટ્રમાં સરકારમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ભાગીદારો છે. ઠાકરેની અયોધ્યા મુલાકાતમાં સામેલ થવા માટે શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીને પણ આમંત્રણ આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરે 2019ના જૂન મહિનામાં અયોધ્યા ગયા હતા અને કામચલાઉ બાંધવામાં આવેલા રામલલાના મંદિરમાં દર્શન કર્યા હતા. એ વખતે તેમની સાથે એમના પત્ની રશ્મી ઠાકરે અને મોટા પુત્ર આદિત્ય તેમજ પાર્ટીના 18 નવા ચૂંટાયેલા સંસદસભ્યો પણ ગયા હતા.

ભાજપ-એનડીએ સાથે સંબંધ તોડી નાખ્યા બાદ ઠાકરે આ પહેલી જ વાર અયોધ્યા જશે.

કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવીને શિવસેનાએ હિન્દુત્વનો મુદ્દો છોડી દીધો છે એવી વાતોને ફગાવી દેવા માટે ઠાકરે માર્ચમાં અયોધ્યા જવાના છે.

સુવિચાર – ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦