Home Blog Page 4831

આ દરગાહ પર ‘ફૂલોં વાલી સેર’ એ જ ગાંધીને સાચી શ્રધ્ધાંજલિ

નવી દિલ્હી: સત્ય અને અહિંસાનો સંદેશો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાધીની આજે પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી, હત્યાના ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં શાંતિ સ્થાપવાના ઉદેશ્યથી ગાંધીજી મહરૌલી સ્થિતિ કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહ પર ગયા હતા. એ સમયે દિલ્હી સાંપ્રદાયિક હિંસમાં સળગી રહ્યું હતું. એક તરફ દિલ્હીમાં કડકડતી ઠંડી અને બીજી તરફ સાંપ્રદાયિક તણાવને કારણે થયેલા નુકસાનને નજરે જોવા માટે 79 વર્ષી ગાંધી સવારે આઠ વાગ્યે ત્યાં પહોંચી ગયા હતા. તે ઘણા ચિંતિત હતા કે ધર્મના નામે મુસલમાનો પર તેમની જ જમીન પર હુમલો કરવામાં આવ્યો. એ સમયે તેમની સાથે મૌલાના આઝાદ અને રાજ કુમારી અમૃત કૌર પણ હતી.

બાપુ થોડા સમય પહેલા જ ઉપવાસ પર હતા એટલા માટે તેમની શરીર પણ નબળું પડી ગયુ હતુ અને અસ્વસ્થ હતા. હિંસા દરમ્યાન આ પવિત્ર સ્થળ પર હુમલો કરવામાં આવ્યો અને ઘણી બર્બરતા કરવામાં આવી, જેના કારણે અનેક મુસલમાનોને તેમનું ઘર છોડીને સુરક્ષિત સ્થળ પર જવાની નૌબત આવી. આ સ્થિતિ એટલી વિકટ હતી કે, દરગાહના કર્મચારીઓએ પણ જીવ ગુમાવવાના ડરે એ સ્થળ છોડીને સુરક્ષિત જગ્યાએ જતા રહેવું પડયું હતું.

એ દિવસોમાં સમગ્ર મહરૌલી વિસ્તાર ગામડાઓથી ઘેરાયેલો હતો. ગ્રીન પાર્ક, હૌજ ખાસ, સફદરજંગ ડેવલપમેન્ટ એરિયા (એસડીએ), આઈઆઈટી તેમજ જૂદા જૂદી દક્ષિણી દિલ્હીની કોલીનીઓ 50ના દાયકાના મધ્યથી જ અસ્તિત્વમાં આવી હતી. મહાત્મા ગાંધી પૂર્ણહુતિમાં બાપુના અંગત સહાયક પ્યારે લાલ નાયરે લખ્યું કે, દરગાહ કેટલાક ભાગને ક્ષતિગ્રસ્ત જોઈને બાપુ સંપૂર્ણ રીતે તૂટી ગયા હતા. અહીં પાકિસ્તાનથી આવતા શર્ણાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને સરકાર દ્વારા કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહની નજીકમાં શરણ આપવામાં આવ્યું હતું.

દરગાહ પર બાપુએ તમામ લોકોને શાંતિથી રહેવાની અપીલ કરી. તેમણે શરણાર્થીઓને ક્ષતિગ્રસ્ત વિસ્તારના પુનનિર્માણ માટે કહ્યું. ગાંધીજીએ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દરગાહનું રિપેરિંગ કરાવવા માટે કહ્યું કારણે રમખાણો દરમ્યાન અહીં મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. જેના માટે ગાંધીજીએ નેહરુને 50 હજાર રુપિયાનું ફંડ આપવા પણ કહ્યું હતુ. 50 હજાર રૂપિયા એ સમયે એક મોટી રકમ ગણાતી હતી. તેમની યાત્રા દરમ્યાન ગાંધીજી લખ્યું અજમેર સ્થિત દરગાહ ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકી દરગાહ દેશની બીજી એવી દરગાહ છે જ્યાં દર વર્ષે મુસલમાનો જ નહીં પણ હજારોની સંખ્યામાં અન્ય ધર્મના લોકો પણ આવે છે.

દરગાહ છોડયા પહેલા ગાંધીજીએ એક મોટી સભાને સંબોધિત કરતા સાંપ્રદાયિક સદભાવ તેમજ એકતાનો સંદેશ પણ આપ્યો હતો. દિલ્હીમાં 12 એપ્રિલ 1915થી લઈને 30 જાન્યુઆરી 1948 સુધી કુલ 744 દિવસના પ્રવાસમાં ગાંધીજીએ દિલ્હીમાં માત્ર બે વખત ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે 22 સપ્ટેમ્બર 1939ના રોડ બિરલા મંદિરનું ઉદ્ઘાટન એ શરત પર કર્યું કે મંદિરમાં દલિતોને પણ પ્રવેશ આપવામાં આવે. તેમણે બીજી વખથ જે ધર્મ સ્થળની મુલાકાત લીધી તે આ દરગાહ હતી. જોકે, તે દિલ્હીમાં વાલ્મીકિ મંદિરના એક નાનાકડા રૂમમાં રહેતા હતા જ્યાં તે વાલ્મીકિ સમુદાયના બાળકોને ભણાવતા હતાં.

બખ્તિયાર કાકી દરગાહ દર વર્ષે વસંત ઋતુમાં ખીલી ઉઠે છે, જ્યારે દિલ્હીમાં સાંપ્રદાયિક સૌહાર્દનો ઉત્સવ મનાવવા માટે વાર્ષિક ‘ફૂલ વાલોની સેર’ નું આયોજન કરવામાં આવે છે. આ સાચા અર્થમાં ગાંધીજી માટે એક શ્રદ્ધાંજલિ છે, જે હંમેશા એક વાત માટે દ્રઢ હતા કે, ભારતમાં ધર્મનિરપેક્ષતા જીવિત રહે. 1961માં તત્કાલિન વડાપ્રધાન નેહરુ દ્વારા સાત દિવસીય પર્વને પુનર્જીવિત કરવામાં આવ્યું. આ તહેવાર દરમ્યાન હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો દરગાહ પર ચાદર ચઢાવે છે.

અભિજિત મૂહુર્તમાં રાજકોટ ઠાકોરસાહેબને રાજતિલક

રાજકોટઃ 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની આજે અભિજિત મુહૂર્ત (બપોરે 12.15 મિનિટે)માં તિલકવિધિ થઈ હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ દંડી સ્વામી અને સંતો–મહંતો ઉપસ્થિતિ રહ્યા હતા. બુધવારે મહોત્સવમાં 51 શાસ્ત્રીજીએ માંધાતાસિંહ પર જળાભિષેક કર્યો હતો તેમજ સાંજે દીપમાળા કરી રાજકોટનું રાજચિહ્ન બનાવવામાં આવ્યું હતું આ બંને પ્રસંગની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ થઇ હતી.

 

મેન વર્સિસ વાઇલ્ડના શૂટીંગ પછી આ મુદ્દે ફસાયા રજનીકાંત

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત Man VS Wild ના શૂટિંગને લઈને વિવાદમાં ફસાયા છે. છેલ્લા થોડા દિવસથી અટકળો વહેતી થઈ હતી કે બેયર ગ્રિલ્સની સાથે શૂટિંગ સમયે સુપરસ્ટાર રજનીકાંત ઘાયલ થયા હતા. જો કે બાદમાં બેયર ગ્રિલ્સે આ મામલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. આ સિવાય રજનીકાંત શૂટિંગના કારણે એક અન્ય સમસ્યામાં ફસાતા દેખાઈ રહ્યા છે. હકીકતમાં કેટલાક લોકોએ રજનીકાંતની ધરપકડની માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રજનીકાંતે બેયર ગ્રિલ્સ સાથે શૂટિંગ બાંદીપુર ટાઈગર રિઝર્વ પાર્કમાં કર્યું. ત્યારે કેટલાક લોકોએ ત્યાં રહેતા જાનવરોની ચિંતા વ્યક્ત કરતા રજનીકાંત વિરુદ્ધ આંદોલન પણ કર્યું.

રજનીકાંત અને બેયર ગ્રિલ્સના શોના શૂટિંગ પર ચિંતા વ્યક્ત કરતા કાર્યકર્તાઓએ કહ્યું કે, શૂટિંગ માટે જે ક્રૂ ટાઈગર રિઝર્વ પાર્કમાં ઉપસ્થિત છે, તેમનાથી જાનવરોને મુશ્કેલીઓ થઈ શકે છે. આ સાથે જ જંગલમાં આગ લાગવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ત્યાં આગ લાગે તો તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ શકે છે. એક કાર્યકર્તાએ જણાવ્યું કે, મેન વર્સિસ વાઈલ્ડનું શૂટિંગ ચોમાસાના સમયગાળા દરમિયાન પણ થઈ શકતું હતું. રજનીકાંતે એક ટ્વીટ પણ કર્યું હતું કે, જેણે સોશિયલ મીડિયા પર લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. પોતાના ટ્વીટમાં રજનીકાંતે ગ્રિલ્સને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે એક શાનદાર અને ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ આપવા બદલ ધન્યવાદ.

નિર્ભયાના દોષિતોની ફાંસી હજી ટળે તેવી શક્યતાઃ વિનયના વકીલે કરી દયા અરજી

નવી દિલ્હીઃ નિર્ભયાના હત્યારાઓની ફાંસી ફરી ટળે તેવી શક્યતાઓ છે. ફાંસીની સજાથી બચવા માટે ચાર ગુનેગારોમાંથી એક વિનયે હવે નવો દાવ રમ્યો છે. વિનયના વકીલ એપી સિંહે દયા અરજી દાખલ કરી દીધી છે. બુધવારે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરવામાં આવી છે. વિનયની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટ નકારી ચુક્યું છે.

તો અક્ષય અને પવનની પાસે ક્યૂરેટિવ અરજીનો વિકલ્પ પણ છે. ક્યૂરેટિવ અરજી રદ્દ થયા બાદ દયા અરજી અને તે પણ રદ્દ થયા બાદ તેને પડકારવાનો વિકલ્પ પણ તેની પાસે છે. વિનયની દયા અરજી રદ્દ થયા બાદ મુકેશની જેમ તે પણ પડકાર અરજી દાખલ કરી શકે છે. તેવામાં હવે લગભગ નક્કી છે કે 1 ફેબ્રુઆરીએ તેની લાઇફ લાઇન થોડી વધી જશે.

સુપ્રીમ કોર્ટે બુધવારે નિર્ભયા મામલાના એક દોષી મુકેશની અરજી રદ્દ કરી દીધી છે. તેણે રાષ્ટ્રપતિ દ્વારા તેની દયા અરજી રદ્દ કરવા માટે ન્યાયિક સમીક્ષાની માગ કરી હતી. વર્ષ 2012માં દિલ્હીમાં સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં ચાર દોષીતોને ત્રણ દિવસ બાદ ફાંસી આપવાની છે.

ન્યાયમૂર્તિ આર. ભાનુમતિ, અશોક ભૂષણ અને એ.એ. બોપન્નાની સદસ્યતા વાળી પીઠે કહ્યું કે, આ મામલા સંબંધિત તમામ મામલા રાષ્ટ્રપતિની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે (મુકેશની) દયા અરજી પર નિર્ણય લીધો હતો.

કોર્ટે કહ્યું કે, જેલમાં ગુનેગારને કથિત ખરાબ વ્યવહાર અને ક્રૂરતાને આધાર માનીને દયા ન આપી શકાય. મુકેશના વકીલની તે દલીલને પણ કોર્ટે નકારી, જેમાં તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ દયા અરજી પર ઉતાવળમાં નિર્ણય લીધો. કોર્ટે કહ્યું, ‘રાષ્ટ્રપતિએ ઉતાવડમાં નિર્મય લઈ લીધો તો તેને મતલબ નથી કે તેમણે કંઇપણ વિચાર્યા વિના આ નિર્ણય લીધો છે.’

ભારતનો રાજદ્વારી વિજયઃ યુરોપીયન સંસદે CAA વિશે મતદાન મુલતવી રાખ્યું

લંડન – ભારતમાં સંસદે પાસ કરી દીધેલા નાગરિકતા સુધારિત કાયદા (સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ – CAA) પર યુરોપીયન સંસદમાં આજે મતદાન થવાનું હતું, પરંતુ એને મુલતવી રાખવામાં આવ્યું છે.

આ મતદાન હવે માર્ચ મહિનામાં યુરોપીયન સંસદના સત્ર વખતે યોજવામાં આવશે. આ જાણકારી યુરોપીયન સંસદે એક નિવેદન બહાર પાડીને આપી છે.

યુરોપીયન સંસદના આ નિર્ણયને ભારત સરકાર માટે રાજદ્વારી જીત તરીકે ગણવામાં આવે છે.

યુરોપીયન સંસદે જોકે કહ્યું છે કે CAA પ્રસ્તાવ પર આ સંસદમાં ચર્ચા ચાલુ રાખવામાં આવશે.

કયા કારણસર CAA પર ગુરુવારનું મતદાન રદ કરવામાં આવ્યું છે તે હજી જાણી શકાયું નથી.

પરંતુ એટલું સિદ્ધ થયું છે કે યુરોપીયન સંસદમાં પાકિસ્તાન ઉપર ભારતે વિજય મેળવ્યો છે.

સાથોસાથ, ભારત સરકારે એમ પણ કહી દીધું છે કે CAA ભારતનો આંતરિક મામલો છે અને તેનો અમલ લોકતાંત્રિક રીતે કરવામાં આવ્યો છે.

ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે, ભારત સરકારે કહ્યું છે કે એને આશા છે કે યુરોપીયન સંસદના સભ્યો CAA અંગે ભારતના વલણને સમજશે.

લોકસભા સ્પીકર ઓમ બિરલા

CAAની વિરુદ્ધમાં યુરોપીયન સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાય એની સામે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જોરદાર રીતે વાંધો ઉઠાવ્યો છે. એમણે યુરોપીયન સંસદના વડાને કહ્યું હતું કે એક સંસદ કોઈ કાયદો પાસ કરે પછી એની પર બીજી કોઈ સંસદ ચુકાદો આપે એ યોગ્ય ન કહેવાય. કેટલીક વ્યક્તિઓ એનો દુરુપયોગ કરી શકે.

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ CAA સામે યુરોપીયન સંસદમાં પ્રસ્તાવ પર ચર્ચા કરાય અને મતદાન કરાય એનો વિરોધ કર્યો છે.

રાશિ ભવિષ્ય 30/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય,


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

ત્રીજી T20I મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ પર રોમાંચક વિજય…

ભારતીય ક્રિકેટ ટીમે 29 જાન્યુઆરી, બુધવારે હેમિલ્ટનમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને અત્યંત રોમાંચક એવા સુપર ઓવર પરિણામમાં પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતે પાંચ-મેચોની શ્રેણીને 3-0ની સરસાઈ સાથે કબજામાં લઈ લીધી છે.


ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.


એના જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ ભારે નાટ્યાત્મક વળાંકોવાળો બની રહ્યો હતો. જીતની એકદમ નજીક આવવા છતાં ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન કરી શકી હતી. આમ, મેચ ટાઈ થઈ હતી અને પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો.


સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન અને માર્ટિન ગપ્ટીલે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ફેંકેલી ઓવરમાં 6 બોલમાં 17 રન ઝૂડી કાઢ્યા હતા.


ભારતના રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડીએ ફાસ્ટ બોલર ટીમ સાઉધીની ઓવરમાં 20 રન ફટકારતાં ભારતે મેચ અને એ સાથે જ સિરીઝ જીતી લીધી હતી.


રોહિત શર્માને 'પ્લેયર ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો.


હવે ચોથી મેચ 31 જાન્યુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.




































BSE ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ; ટર્નઓવર વધીને 4,031 કરોડ

મુંબઈ તા. 29 જાન્યુઆરી, 2020 : બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે ટર્નઓવર 4,031 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. આજે બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ.4,031.90 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આ સિદ્ધિ બદલ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ”મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો વિનિયોગ કરશે.”