Home Blog Page 4832

રાશિ ભવિષ્ય 25/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે, વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુરવકનું જ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

કોરોનાના પડકારમાં પણ છૂપાયેલી છે અનેક તકો…

કોરોનાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ એક ભયંકર આર્થિક મંદી તરફ સરકી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. ચારેકોર મંદીના ભણકારા વાગી રહયા છે. આફત જરૂર છે, પણ આફતને ય અવસરમાં પલટી શકાય છે એ વાત પણ માનવજાતે ભૂતકાળમાં સાબિત કરી જ છે. આ આફતને ય આપણે અવસરમાં પલટી શકીએ, જો મક્કમ નિર્ધાર કરીને મજબૂતીથી આગળ વધીએ તો.

ખાસ કરીને ભારતીય અર્થતંત્ર કઇ રીતે આ પડકારને પહોંચી વળે એમ છે અને કઇ રીતે આપણે એમાંથી વધારે શક્તિશાળી બનીને બહાર નીકળી શકીએ એમ છીએ? રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલ નથવાણી લખે છે કે… 

—————————————————————

ખી દુનિયા આજે કોરોનાના કોરડા ખાઈ રહી છે. અમેરિકા અને યુરોપ જેવા વિકસિત સમાજને આ મહામારીએ પાંગળું કરી દીધું છે. તે સંજોગોમાં ભારત જે મક્કમતાથી કોરોનાના પડકાર સામે લડત આપી રહ્યું છે તેનો દાખલો બીજા દેશો પણ આપી રહ્યા છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વ એક ભયંકર આર્થિક મંદી અને રાજકીય ઉથલ પાથલ તરફ સરકી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. કોરોનાથી ઓઠાંમાં ઓછા લોકોના જીવ જાય, ઓછામાં ઓછા લોકોને તેનો ચેપ લાગે, વધુમાં વધુ લોકોની સારવાર થાય અને કોરોનાના દર્દીઓ ઝડપભેર સાજા-નરવા થાય તે પ્રાથમિકતા સરકારોની હોય તે સ્વાભાવિક છે. તે છે તેમાં કાંઈ ખોટું નથી અને સરકારની કાર્યવાહીમાં તે ઝળકે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

રિલાયન્સના સ્થાપક-અધ્યક્ષ ધીરુભાઈ અંબાણી અવાર-નવાર ‘એડવર્સિટી’ ને ‘ઓપોર્ચ્યુનિટી’માં બદલવાની શીખ આપતા! પ્રતિકૂળતામાંથી તક ઝડપવી, પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલવી તે રિલાયન્સના મેનેજમેન્ટ મંત્રોમાં મોખરે છે. ધીરુભાઈ અને મૂકેશભાઈ અંબાણીએ અવારનવાર તે સિદ્ધ કર્યું છે તે પણ હકીકત છે. પરંતુ આપણે કોરોનાના પડકાર અને પ્રતિકૂળતાની વાત કરતા હતા.

કોરોનાનો ફટકો સમગ્ર જગતના અર્થતંત્ર પર પડશે. 3 ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્ર પર લગભગ 1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે અને આપણો જી.ડી.પી. ઘટીને 1.9 ટકા કે 1.6 ટકા થઇ જશે તેવું નિષ્ણાંતો માને છે. જોકે કોરોના મહામારી આવી તે અગાઉથી અર્થતંત્ર નબળું તો પડી જ રહ્યું હતું. કોરોના મહામારી એ પડતા અર્થતંત્ર પર પાટુ કહી શકાય. પરંતુ જયારે માનવજીવન બચાવવાની ઘડી હોય ત્યારે અર્થતંત્ર ગૌણ બને તે સ્વાભાવિક છે. જોકે ભારતીય અર્થતંત્ર અને રાજતંત્ર બુનિયાદી રીતે એટલાં સક્ષમ છે કે તે આવા આઘાતો ઝીલીને તેમાંથી ઝપાટાભેર બહાર નીકળી શકે છે!

કોરોનાને લીધે પાશ્ચાત્ય દેશોનાં અર્થતંત્રોને જેટલા જોરદાર ઝટકા વાગ્યા છે તેટલા ભારત, ઇન્ડોનેશિયા જેવા દેશોને નથી વાગ્યા. કોરોનાને લીધે ચીન વિરુદ્ધ વૈશ્વિક મત ધીમે-ધીમે જોર પકડી રહ્યો છે. તેનો લાભ ભારતને મળી શકે તેમ છે. ‘મેક ઈન ઇન્ડિયા’ કે ‘ડીજીટલ ઇન્ડિયા’ જેવી નીતિઓમાં વધુ સુધારા કરી,’ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને વધુ આકર્ષક બનાવી શકાય. તેથી વૈશ્વિક મૂડીનો પ્રવાહ ભારત તરફ વાળી શકાય અને ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બની શકે. અમેરિકા અને જાપાનની ઘણી કંપનીઓએ ચીનમાંથી ખસી જવા મન બનાવી લીધું છે અને તે દેશોની સરકારો પણ તે માટે તેમની કંપનીઓને ચીનમાંથી નીકળવા પ્રોત્સાહનો જાહેર કરવા માંડ્યા છે ત્યારે આ પ્રકારની તક કેવી રીતે ઝડપી લેવી તે નક્કી કરવાનું કામ સરકારનું છે. તાજેતરમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું ઉત્પાદન અને જગતના દેશોમાં તેની નિકાસ માટે ભારત સરકારે લીધેલાં પગલાં આ દિશામાં એક મોટી પહેલ છે. ફેસબુકનો જિયો સાથે 5.7 અબજ ડોલર (રૂ. 43,574 કરોડ)નો સોદો પણ ભારતીય અર્થતંત્ર અને ડિજિટલ વ્યવસાયને એક નવી દિશા ચીંધતું પગલું છે. તેને લીધે ભારતીય શેરબજારમાં 743 પોઇન્ટના ઉછાળા સાથે જે સુધારો નોંધાયો તેણે અર્થતંત્રને ચેતનવંતુ કરવામાં મોટો ફાળો આપ્યો છે તેમ કહી શકાય!

દેશની સરકાર તથા મોટી ઓઇલ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલ ખરીદવાની ‘ને તેના સોદા કરવાની એક મોટી તક કોરોનાએ આપી છે. જો કે આ સંજોગોમાં નાણાંની તંગી પણ છે જ! છતાંય દેશની સ્ટોરેજ કેપેસિટી જેટલું ઓઇલ ખરીદી લેવાય અને વર્તમાન ભાવે સોદા પાડી શકાય તો તે જરૂરી એટલા માટે છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લાં વીસ વર્ષમાં જેટલા નથી ઘટ્યા તેટલા ઘટ્યા છે. એક વાર અર્થતંત્ર ગતિ પકડશે પછી નજીકના ભવિષ્યમાં આટલા નજીવા ભાવે ક્રૂડ મળે તેમ લાગતું નથી.

ભારત કોરોના મહામારીના ખરાબમાં ખરાબ તબક્કામાંથી તો ઉગરી ગયું છે. પરંતુ હજી તેણે સતર્ક રહેવું જોઈશે કારણ કે જો વાઇરસ ફરી ઉથલો મારે તો, જેની શક્યતા નકારી શકાય નહિ, તો બીજા વધુ લોકડાઉનમાંથી ગુજરવું પડે! ધંધા-રોજગાર અને ઉદ્યોગ-વ્યવસાયે તે મુજબનાં આયોજનો કરવાં પડે!

કોરોનાને પગલે ડિજીટલ અર્થતંત્રમાં ઉછાળાની શક્યતા પણ નિષ્ણાતો જોઈ રહ્યા છે. ઘેર બેસીને કામ કરવું, ઘેર જ શિક્ષણના વર્ગો, ઘરમાં જ મનોરંજન, નેટ બેન્કિંગ, ઇ-કોમર્સ, ઇ-રિટેલ વિગેરેનો ઉપયોગ વધે. આ બધાને લીધે મોંઘીદાટ ઓફિસો, તેમાં ઇન્ટિરિયર વિગેરે ખર્ચા, ફેન્સી કાર, સરપ્લસ કર્મચારીઓ વિગેરેને લગતા ખર્ચા ઘટે અથવા ઘટાડવા પડે અને ડિજીટલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે!

સરકારે સામૂહિક સ્વાસ્થ્ય અને સામુદાયિક કલ્યાણ પર પણ વધુ ભાર મૂકવો પડશે કારણ કે કોરોનાને લીધે અર્થતંત્ર ઉપર પડનારા ભારે ફટકાને લીધે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ તો વધુ પહોળી થશે. એટલું જ નહીં, અર્થતંત્રના નિષ્ણાતોને ભય છે કે લગભગ વીસેક કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જઈ શકે!

વધુ ચલણી નોટો છાપવી તે એક ઉપાય જરૂર છે પરંતુ આર્થિક રીતે સક્ષમ, મજબૂત અને પૈસાદાર દેશોને તેમ કરવું પોસાય! ભારત જેવા દેશ માટે આવું પગલું ફૂગાવાને આમંત્રણ આપનારું નીવડે જે કોઈ કાળે પરવડી શકે નહિ ! વધુ વિદેશી મૂડી રોકાણ એ જ આગળ જણાવ્યું તેમ આ સ્થિતિનો એક ઉકેલ છે. સરકારે બને તેટલી મૂડી ભારતમાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ અને તે માટેના આર્થિક સુધારા કરવા જોઈએ.

(પરિમલ નથવાણી)

વળી ભારતીય નિકાસકારોએ નિકાસ વ્યવસાયમાં એક પ્રકારની વિશ્વસનીયતા ઊભી કરવી રહે, જે બાંગ્લાદેશે કર્યું છે. ખોટાં વચનો ન આપવાં, જે વચનો આપ્યાં હોય તેનું પાલન કરવું, ગુણવત્તા ખાતરીબંધ હોય, સમયસર માલનો સપ્લાય થાય વગેરે જેવી નાની નાની બાબતો આવી વિશ્વસનીયતા ઊભી કરવામાં ખૂબ ઉપયોગી નીવડે. સરકાર અને સંબંધિત સરકારી વિભાગો પણ આમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવી શકે.

કોરોના મહામારીને લીધે વર્ષ 2020માં વૈશ્વિક અર્થતંત્રમાં એક ટકાનો ઘટાડો થાય તેવું સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે. સરકારો જો લોકોની આવક વધારવામાં મદદગાર સાબિત ન થાય અને ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન ન આપે તો આ ઘટાડો વધી પણ શકે. કોરોનાના જનક ચીન તથા જી-7 સમૃદ્ધ દેશોનાં અર્થતંત્રોમાં પણ 1.2 ટકાનો ઘટાડો નિષ્ણાતો જોઈ રહ્યા છે. આ સંજોગોમાં ભારતીય અર્થતંત્રનું ભાવિ ઉજ્જવળ છે તેની પ્રતીતિ તાજેતરમાં મેકેન્સી નામની સંસ્થાએ વૈશ્વિક ઉદ્યમીઓના કરેલા એક સર્વેક્ષણમાંથી થાય છે. તે સર્વે મુજબ 53 ટકા ભારતીય ઉદ્યમીઓ ખૂબ આશાવાદી છે જ્યારે જાપાનમાં માત્ર 25 ટકા ઉદ્યમીઓ જ અર્થતંત્ર માટે આશાવાદી હતા!

 

જ્યારે હોસ્પિટલનો સ્ટાફ આ નિરાધાર બાળકોનો આધાર બન્યો…

અમદાવાદ: ચાર દિવસ પહેલાની વાત છે, સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં એક દર્દીને લાવવામાં આવ્યો. આ દર્દી શંકાસ્પદ જણાતા તેને દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીની સાથે ત્રણ માસૂમ બાળકો પણ હતા. ૩ વર્ષની નાની જાનકી, ૬ વર્ષનો શૈલેષ અને અરૂણ દંતાણી નામના આ ત્રણ માસૂમ બાળકોના પિતાને તો સારવાર માટે દાખલ કરી દેવાયા. આ નિરાધાર બાળકો કોરોના માટેની ખાસ હોસ્પિટલના પ્રાંગણમાં રાત્રે એકલા રમી રહ્યા હતા.

કોવિડ-૧૯ માટે ખાસ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલના ક્લિન રૂમમાં રમતા ત્રણ બાળકોને જોઈને સમગ્ર હોસ્પિટલના સ્ટાફના ચહેરા પર એક હેત ઉભરાયાનો ભાવ સ્પષ્ટ વરતાતો હતો. આ બાળકોના પિતા શંકાસ્પદ દર્દી તરીકે દાખલ છે તેથી માસૂમ બાળકોને નર્સિંગ સ્ટાફ વાલી બનીને સાચવે છે.

કોઈ ઋણાનુબંધ ગણો કે ગુજરાતના સંસ્કાર, પણ કોઈને આ બાળકો અજાણ્યા લાગતા નથી. બાળકોને જમાડવા, રમાડવા અને જે જોઈએ તે લાવી આપવા માટે જાણે કે તંત્ર તત્પર છે. આ બાળકોને આજે સલામતીના કારણોસર શહેરના શાહીબાગ સ્થિત આશ્રય ગૃહમાં લઈ સ્પેશિયલ વાનમાં લઈ જવાયા ત્યારે સ્ટાફ પૈકી કેટલાય લોકોની આંખમાંથી આસું રોકાતાં નહતાં.

હોસ્પિટલના ડીન ડોક્ટર મૈત્રેય ગજ્જર કહે છે કે તેઓને તેમના પિતાની સાથે અહીં લાવવામાં આવ્યા હતાં.  લઘર-વઘર પહેરવેશ, માથું ઓળ્યા વગરના વાળ અને ભૂખથી નંખાઇ ગયેલા ચહેરા તેમની હાલતની ચાડી ખાતા હતા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ બનાવાયેલા વોર્ડમાં આ બાળકોને ટ્રાન્સફર કરી તેમની મેડિકલ તપાસ કરતાં તેઓમાં કોરોનાના કોઇ લક્ષણો જણાયા નહીં. એ અમારા માટે સૌથી મોટી રાહત હતી.

આ માસૂમો એટલા માનસિક આઘાતમાં હતા કે, તેઓ પોતાના નામ પણ આપી શકતા નહતા. મહામહેનતે તેઓએ તેમના નામ આપ્યા. તેમાં પણ ત્રણ વર્ષની જાનકીને તો આજે પણ ખબર નથી કે તે ક્યાં છે. આ બાળકો માટે આ સિવિલ હોસ્પિટલ જ તેમનું ઓઢણું અને ઘર હતી. આ બાળકોને તેના પિતા સિવાય પરિવારમાં કોઈ પણ નથી.

આ બાળકો એટલા નાના છે કે તેમને ઘર શું છે તેની પણ ખબર નથી એટલે જ કદાચ વિદાય વખતે પણ તેમની આંખોમાં કોઇ વેદના કે વિશાદ દેખાતો ન હતો. એમને એ પણ ખબર નથી કે આવતીકાલનું તેમનું ભવિષ્ય શું છે? તેમના પિતાને પણ ખબર નથી કે તેમના બાળકો શું કરે છે? તેવી હ્યદયદ્વાવક પરિસ્થિતિ વચ્ચે પણ ડોક્ટર્સ અને નર્સે પૂરવાર કરી દીધું કે તેઓ ખરા અર્થમાં દેવદૂત જ છે.

કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને ટ્રમ્પે કહ્યુંઃ રિપોર્ટ ખોટો છે…

વોશિગ્ટન: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ છે જેથી તેના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ચાલી રહી છે. અટકળોના દોર વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે તેના નિવેદનમાં કિમ જોંગ અત્યંત બિમાર હોવાના રિપોર્ટને સંપૂર્ણ રીતે ખોટો ગણાવ્યો છે.

ટ્રમ્પે આ મામલે એક ટીવી ચેનલની ટીકા કરતા કહ્યું કે, આ ખબર પ્રસારિત કરનાર ચેનલે જૂના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે. મને લાગે છે કે, આ રિપોર્ટ ખોટો છે. જોકે કિમ જોંગ સંપૂર્ણ સ્વસ્થ છે કે નહીં એ સવાલના જવાબમાં ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી નહતી.

મહત્વનું છે કે, સોમવારે એવા અહેવાલ આવ્યા હતા કે, સર્જરી બાદ કિમની સ્થિતિ અત્યંત નાજૂક છે અને એવી પણ અટકળો ચાલી રહી હતી કે, તે બ્રેન ડેઈડ છે. કિમ તાજેતરમાં તેમના દાદાના જન્મ દિવસની ઉજવણીમાં પણ ગેરહાજર રહયો હતો.

પંચાંગ 25/04/2020

કર્ફ્યુ પછીની સ્થિતિ

કોરોનાના કારણે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં સંચારબંધી લાદી દેવામાં આવી હતી.

આજે વહેલી સવારથી જ સંચારબંધી માંથી નગરજનો મુક્ત થયા અને લૉકડાઉન યથાવત રાખવામાં આવ્યું હતું.

કર્ફ્યુ ખુલતા ની સાથે જ શહેરના બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.

શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજે સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી.

લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં.

સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ અપીલ કરવામાં આવી રહી હતી પણ લોકો તેનુ પાલન કરતા નહતા

(પ્રજ્ઞેશ વ્યાસ)

ડેટ સ્કીમોના સંકટે સેન્સેક્સ 536 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 9,200ની નીચે

અમદાવાદઃ ફ્રેન્કલિન ટેમ્પલટન ક્રેડિટ સંકટે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. નિફ્ટી 1.75 ટકા તૂટીને 9155ની નીચે બંધ આવ્યો હતો. ફ્રેન્કલિન ટેમ્પલટન ક્રેડિટ સંકટની સૌથી વધુ અસર ફાઇનાન્શિયલ અને બેન્કિંગ શેરો પર જોવા મળી હતી. જેનાથી બેન્ક નિફ્ટી 3.4 ટકા તૂટીને 19,585ના સ્તરે બંધ થયો હતો. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોની તેજીએ બજારને ટેકો પ્રાપ્ત થયો હતો.

ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે પોતાની છ યોજનાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. એનાથી બજારમાં ડેટ યોજનાઓ અને ઋણથી જોડાયેલી કંપનીઓની હાલત ખરાબ થઈ હતી. આનાથી નાણા બજારમાં સંકટ શરૂ થવાના સંકેત મળ્યા છે.

સ્થાનિક શેરબજારમાં બે દિવસોની તેજી પછી ઘટીને બંધ રહ્યું હતું. બેન્કિંગ, NBFC શેરો સિવાય રિયલ્ટી, ઓટો, આઇટી શેરોમાં ઘટાડો થયો હતો. નાના અને મધ્યમ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. જોકે ફાર્મા અને ફર્ટિલાઇઝર શેરોમાં લેવાલી રહી હતી. જેથી સેન્સેક્સ 534 પોઇન્ટ ઘટીને 31,327ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 160 પોઇન્ટ તૂટીને 9154ના મથાળે બંધ થયો હતો.  બેન્ક નિફ્ટી 681 પોઇન્ટ ઘટીને 19,587 પર બંધ થયો હતો. મિડકેપ 269 પોઇન્ટ ઘટીને 12,696 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટમાં 30માંથી 22 શેરો વેચવાલીના દબાણે ઘટીને બંધ થયો હતો. નિફ્ટી 50માંથી 39 શેરો ઘટીને બંધ થયો હતો. બેન્ક નિફ્ટીના 12માંથી 11 શેરો વેચવાલીથી ઘટીને બંધ થયા હતા. બીજી બાજુ ડોલરની સામે 38 પૈસા ઘટીને 76.54ના સ્તરે બંધ થયો હતો.

ફ્રેન્કલિનમાં રૂ. 30,000 કરોડ અટક્યા

ફ્રેન્કલિન સમસ્યામાં ફંડ મેનેજરનું કહેવું છે કે ફ્રેન્કલિનમાં રૂ. 30,000 કરોડ અટકવા મોટી સમસ્યા છે. તેમનું કહેવું છે કે રોકાણકારોના પૈસા ડૂબશે નહીં, જોકે ફ્રેન્કલિને જે રીતે નિર્ણય લીધા છે એ ખોટા છે. હજી અનેક રોકાણકારો હવે ફંડ્સથી પૈસા કાઢવા ઇચ્છે છે.

ફ્રેન્કલિન સંકટ પર સરકારની નજર

ફ્રેન્કલિન સંકટ પર સરકારે કહ્યું છે કે એની આ ઘટના પર નજર છે. નાણાં મંત્રાલયે ફ્રેન્કલિન સંકટ પર સેબી સાથે ચર્ચા કરશે ખરાબ એસેટ ક્વોલિટીને કારણે સંકટ આવ્યું છે.

 

કોરોનાની સાથે અન્ય દર્દીઓની પણ યોગ્ય સારવાર કરોઃ મુંબઈ હાઈકોર્ટ

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે તેઓ કેટલીક જનહિતની અરજીઓ પર જવાબ નોંધાવે.

કોર્ટને જનહિતની અરજીઓમાં એવી ફરિયાદ કરવામાં આવી છે કે બિન-કોરોના વાઈરસના દર્દીઓને રાજ્યની હોસ્પિટલોમાં એડમિટ થવામાં તકલીફ પડી રહી છે.

ન્યાયમૂર્તિ કે.આર. શ્રીરામે કહ્યું છે કે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા આ પીટિશનોની ગંભીર નોંધ લે અને કોઈ અસરકારક ઉકેલ સાથે એમના સોગંદનામા નોંધાવે.

લોયર મેહરવાન ફાર્શેદ તથા અન્ય બે જણ – દયાનંદ સ્ટાલીન અને મુક્તાર ખાને અલગ અલગ રીતે જનહિતની અરજીઓ નોંધાવી છે.

ન્યાયમૂર્તિ શ્રીરામે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફાર્શેદ વતી એડવોકેટ ગૌરવ શ્રીવાસ્તવ અને મુંબઈ મહાનગરપાલિકા વતી એડવોકેટ અનિલ સખારેની દલીલો સાંભળી હતી.

વિડિયો કોન્ફરન્સિંગ સુનાવણી માટે ફાળવવામાં આવેલી રૂમ નંબર-10માં આ બે લોયર અને સ્ટાલીનના વકીલ ગાયત્રી સિંહ હાજર રહ્યા હતા.

વિડિયો કોન્ફરન્સિંગ માટેની સિસ્ટમમાં અવરોધ ઊભો થવાથી અમુક ખાનગી મેડિકલ એસોસિએશન માટેના લોયર્સ સુનાવણીમાં સામેલ થઈ શક્યા નહોતા.

કોર્ટે સરકાર અને મહાપાલિકાને કહ્યું હતું કે તમારે એવી વ્યવસ્થા બનાવવી જોઈએ જેથી કોરોના ઉપરાંત અન્ય રોગોના દર્દીઓની પણ યોગ્ય રીતે સારવાર-ઉપચાર થઈ શકે. કોરોનાનાં દર્દીઓની સંભાળમાં વ્યસ્ત સરકારી તંત્રોએ માત્ર કોરોનાનાં દર્દીઓ પૂરતા જ સીમિત રહેવું ન જોઈએ.

કોર્ટે કહ્યું કે બિન-કોરોના દર્દીઓની સારવાર માટે અસરકારક તબીબી ચકાસણી થવી જોઈએ. કોરોનાની મહામારી સામેના સંઘર્ષ દરમિયાન અન્ય રોગીઓને સારવારનો ઈનકાર કરી શકાય નહીં.

કોર્ટે એવી ત્રણ પીટિશન સાંભળી હતી જેમાં બિન-કોરોના દર્દીઓની એવી પીડાનો ઉલ્લેખ કરાયો હતો જેમને ક્લિનિક અને હોસ્પિટલોમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

ફ્રેન્કલિન સંકટની અન્ય ડેટ યોજના પર પ્રતિકૂળ અસર પડશે

અમદાવાદઃ કોરોના વાઇરસના રોગચાળાથી ઊભી થયેલી રોકડ તરલતાના સંકટને લીધે દેશના જાણીતા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્ડિયાએ છ ડેટ યોજનાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.એની સાથે આ ફંડમાં રોકાણકારોના રૂ. 26,000 કરોડ સલવાઈ ગયા છે. ફ્રેન્કલિન ટેમ્પલટનના આ નિર્ણયને લીધે મ્યુચ્યુઅલ ફંડની ડેટ યોજનાઓમાં રોકાણ કરતા રોકાણકારો ડરી ગયા છે.

કઈ છ યોજનાઓ બંધ થઈ

ફ્રેન્કલિન ટેમ્પલટન ફંડે જે છ યોજના બંધ કરી છે, એમાં ફ્રેન્કલિન ઇન્ડિયા લો ડ્યુરેશન ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ડાયનેમિક એક્યુઅલ ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇન્કમ પ્લાન, ફ્રેન્કલિન ઇન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલિન ઇન્ડિયા ઇન્કમ ઓર્પોચ્યુનિટીઝ ફંડ સામેલ છે. આ યોજનાઓ કુલ મળીને રૂ. 26,000 કરોડની એસેટ મેનેજ કરે છે.

કેમ લીધો કંપનીએ નિર્ણય કર્યો?

ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સંજય સપ્રેએ કહ્યું હતું કે મોટા ભાગની ડેટ સિક્યોરિટી માટે ભારતીય બોન્ડ માર્કેટમાં લિક્વિડિટી ઘણી ઘટી ગઈ છે. કોરોના રોગચાળા અને લોકડાઉન પછી રોકાણકારોએ આ યોજનાઓમાંથી ઝડપથી પૈસા કાઢ્યા હતા. આને કારણે આ યોજનાઓને ફંડે યોજનાઓને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

એનો મતલબ શો?

કંપની પોતાની રોકાણ (યોજના)ને વેચી ના શકી, કેમ કે બજારમાં એનું કોઈ લેવાલ નથી. બજારની વર્તમાન પરિસ્થિતિમાં રોકાણકાર કોઈ જોખમ લેવા તૈયાર નથી?  રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિને અખત્યાર કરતાં ઓછા રેટિંગવાળા બોન્ડમાં રોકાણ કરવા નથી ઇચ્છતા. રોકાણકારોની વેચવાલી એટલે કે રિડમ્પશનના દબાણને પૂરું કરવા માટે ફંડ રોકાણ (યોજના)ને વેચવામાં સક્ષમ નથી.

એનો અર્થ થયો કે રોકાણ ફસાઈ ગયું

હા, આ સાચું છે કે તમે તમારું રોકાણ વેચી નહીં શકો. તમારે રાહ જોવી પડશે કે ફંડ હાઉસ એમની એસેટ ને વેચીને પૈસા પાછા આપે. આ નિર્ણયની પાછળ ઇરાદો એ છે કે રિડમ્પશનનું દબાણને પૂરું કરવા માટે ગભરાટમાં ના વેચવામાં આવે. જો ડેટ માર્કેટમાં લિક્વિડિટીની સ્થિતિ સુધરશે તો ફંડ હાઉસ પોતાની એસેટ વેચીને તમારા પૈસા પાછા આપશે.

કેટલી રાહ જોવી પડશે?

આ કહેવું અત્યારે ઘણું મુશ્કેલ છે. મોટા ભાગના સલાહકારોનું કહેવું છે કે યોજનાઓ અને મેચ્યોરિટી કેટલાક સંકેતો આપી શકે છે. જોકે એના વિશ્વાસે ના રહેવું જોઈએ. બધું ડેટ માર્કેટની સ્થિતિઓ પર નિર્ભર કરશે અને એ પણ જોવું રસપ્રદ રહેશે કે ફંડ હાઉસ પોતાનું હોલ્ડિંગ વેચી શકે છે કે નહીં.

ફ્રેન્કલિન ટેમ્પલટનની અન્ય યોજનાઓમાં રોકાણનું શું થશે?

મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર આવી સ્થિતિમાં એ કહી રહ્યા છે કે અચાનક ઊભી થયેલી સ્થિતિમાં જલદી પ્રતિક્રિયા આપવાથી બચો. દરેક યોજનાને જુઓ. આવનારા દિવસોમાં ડેટ માર્કેટમાં જોખમ હજી વધવાનું છે.જેથી એક-એક પગલું ફૂંકી-ફૂંકીને મૂકો.

શું આનાથી મારી અન્ય ડેટ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પર અસર થશે?

હા, ફ્રેન્કલિનના આ નિર્ણયની અસર સંપૂર્ણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પર થશે. મોટા ભાગના નિષ્ણાતો કહે છે કે આનાથી મોટા ભાગના રોકાણકારો ગભરાઈને ડેટ ફંડોની યોજનાઓમાંથી પૈસા કાઢી રહ્યા છે. આનાથી ડેટ માર્કેટ પર દબાણ વધુ વધશે. જોકે અસર કેટલી થશે આ વિશે કોઈ કશું કહી શકે એમ નથી. આગામી કેટલાંક સપ્તાહ સતર્કતા રાખવાની જરૂર છે.

મારા અન્ય ડેટ ફંડો વિશે મારે શું કરવું જોઈએ ?

તમારે તમારી દરેકક યોજનાની સમીક્ષા કરવી જોઈએ અને માલૂમ કરવું જોઈએ કે શું તમે તમારા પોર્ટફોલિયોના જોખમની સાથે ઠીક છે. ધ્યાન રાખો કે ટેમ્પલટન આ ઘટનાની ડેટ માર્કેટ પર બહુ નકારાત્મક અસર થશે.

શું ડેટ ફંડ વેચીને પૈસા બેન્કમાં ફિકસ્ડ ડિપોઝિટ રાખવી જોઈએ?

મ્યુચ્યુઅલ ફંડ રોકકાણકાર પોતોના સલાહકારને પૂછી રહ્યા છે. તેમની સલાહ છે કે હાલ અનાવશ્યક જોખમ ના લો અને સારી ક્રેડિટ ક્વોલિટીવાલા ફંડોની સાથે બન્યા રહો. જે યોજનાઓમાં વધુ જોખમ છે, એને દૂર કરો.

દેશમાં આવી કેટલી યોજનાઓ છે

દેશમાં આવી કમસે કમ 28 યોજનાઓ છે. બિરલા સનલાઇફ, ડીએસપી બ્લેકરોક, આઇસીઆઇસીઆઇ પ્રુન્ડેન્શિયલ, રિલાન્યસ મ્યચ્યુઅલ ફંડ અને યુટીઆઇ  વગેરે.. વગેરે મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ આ યોજનાઓ ઓફર કરે છે.

ફણગાવેલા મગના ઢોકળાં

લૉકડાઉનમાં વાનગીની કઈ વેરાઈટી બનાવશો? જે સ્વાદિષ્ટ પણ હોય અને પૌષ્ટિક પણ! કેવાં રહેશે ફણગાવેલા મગના ઢોકળાં?
આ ઢોકળાં ઇન્સ્ટન્ટ બને છે હં!


સામગ્રી:

  • મગ 2 કપ
  •  ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • દહીં 1/2 કપ
  • લીલા મરચાં 3-4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ઈનો પાવડર અથવા ખાવાનો સોડા 1 ટે.સ્પૂન
  • રાઈ અને તલ 1 ટી.સ્પૂન
  • તેલ 3-4 ટે.સ્પૂન

રીત:

મગને ફણગાવવાની રીત:
મગને બે થી ત્રણ પાણીએથી ધોઈને પાણીમાં 5-6 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લો. એક કોટનના, મલમલના કપડામાં મગને બાંધી રાખો. ૮ થી ૯ કલાક બાદ એમાં ફણગા આવી જશે.

ઢોકળા બનાવવાની રીત:મગ, આદુ તેમજ મરચાંને મિક્સીમાં થોડું પાણી નાખીને બારીક વાટી લો. દહીં, ચણાનો લોટ, ચપટી હિંગ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખીને દસ મિનિટ માટે ખીરુ રહેવા દો.

દસ મિનિટ બાદ ઢોકળાં બનાવવાના વાસણમાં ઢોકળાં બનાવવા માટેનું પાણી ઉકળવા મૂકો. તેમાં કાંઠલો અથવા સ્ટેન્ડ મૂકી દો. એક થાળીમાં તેલ ચોપડીને આ થાળીને કાંઠલા પર મૂકી દો.

એક નાના બાઉલમાં ચાર કળછી ઢોકળાનું ખીરુ લો. તેમાં એક ટે.સ્પૂન તેલ રેડો. એક ટી.સ્પૂન ખાવાનો સોડા અથવા ઈનો નાખો અને ઢોકળાં માટે ગરમ કરવા મૂકેલા પાણીમાંથી 2 ટે. સ્પૂન જેટલું ગરમ પાણી રેડો અને કળછી વડે ખીરું હલાવો. જેવું ખીરામાં ફીણ આવે એટલે તરત ઢોકળાના વાસણમાં મૂકેલી થાળીમાં આ ખીરું રેડી દો અને વાસણને ઢાંકી દો.

પંદરથી વીસ મિનિટ બાદ ચપ્પુ વડે ઢોકળાં ચેક કરી લો. જો ચપ્પુની ધાર ચોખ્ખી નીકળે તો ઢોકળા તૈયાર છે. પાંચ મિનિટ બાદ ઢોકળાના ચોરસ કટકા કરી લો. ગેસ બંધ કરી દો. એક વઘારિયામાં બે ટે.સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીને તતળાવો અને ગેસ બંધ કરી દો. હળવેથી તેલમાં તલ નાંખીને ઢોકળાંની થાળી પર હળવેથી તેલ રેડી દો અને તવેથા વડે બધા ઢોકળાં પર ફેલાવી દો. (તલ વઘારમાં નાખતી વખતે સંભાળવું કેમ કે ગરમ તેલમાં તલ ઉડશે.)

ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે ઢોકળાં પીરસો.