Home Blog Page 4832

રોહિત શર્માએ સુપરઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું; ભારતે T20I સિરીઝ જીતી લીધી

હેમિલ્ટન – વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્માએ આજે અહીં સીડન પાર્કમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં છગ્ગાનો વરસાદ વરસાવતાં ન્યૂઝીલેન્ડનો સુપર ઓવરમાં પરાજય થયો છે અને એ સાથે જ ભારતે પાંચ-મેચોની સિરીઝ પર 3-0થી કબજો લઈ લીધો છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.

એના જવાબમાં ન્યૂઝીલેન્ડનો દાવ ભારે નાટ્યાત્મક વળાંકોવાળો બની રહ્યો હતો. જીતની એકદમ નજીક આવવા છતાં ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન કરી શકી હતી. આમ, મેચ ટાઈ થઈ હતી અને પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવો પડ્યો હતો.

સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડનો વિલિયમ્સન અને માર્ટિન ગપ્ટીલ મેદાનમાં ઉતર્યા હતા. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ફેંકેલી ઓવરમાં કિવી જોડીએ 6 બોલમાં 17 રન ઝૂડી કાઢ્યા હતા. વિલિયમ્સને 11 રન કર્યા હતા.

ભારતનો જવાબ આપવા માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી મેદાનમાં ઉતરી હતી. ફાસ્ટ બોલર ટીમ સાઉધીની તે ઓવરના પહેલા બોલમાં રોહિતે બે રન લીધા હતા. બીજા બોલમાં એક રન દોડ્યા બાદ રાહુલે ત્રીજા બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. ચોથા બોલમાં રાહુલ સિંગલ દોડ્યો હતો અને તે પછીના બંને બોલમાં રોહિતે સિક્સર ફટકારી હતી. આમ, ભારતે 6 બોલમાં 20 રન ઝૂડીને મેચ જીતી લીધી.

રોહિત શર્માએ અગાઉ 40 બોલમાં 65 રન કર્યા હતા, જેમાં 3 સિક્સર અને 6 બાઉન્ડરી હતી. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. સાથી ઓપનર લોકેશ રાહુલે 27 રન કર્યા હતા અને આ જોડીએ પહેલી વિકેટ માટે 9 ઓવરમાં 89 રન કર્યા હતા.

શિવમ દુબે 3, કેપ્ટન વિરાટ કોહલી 38 અને શ્રેયસ ઐયર 17 રન કરીને આઉટ થયો હતો. મનીષ પાંડે 14 અને રવિન્દ્ર જાડેજા 10 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડના દાવમાં માર્ટિન ગપ્ટીલ (31) અને કોલીન મુનરો (14)ની જોડીએ 47 રનનો પાયો નાખ્યો હતો. ત્રીજા નંબરે આવેલા વિલિયમ્સને તોફાની બેટિંગ કરી હતી અને 48 બોલમાં 95 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એના દાવમાં 6 સિક્સર અને 8 બાઉન્ડરીનો સમાવેશ થતો હતો.

ન્યૂઝીલેન્ડના પરાજય માટે જવાબદાર બની રહી એના રેગ્યૂલર દાવની આખરી ઓવર. એમાં ન્યૂઝીલેન્ડે જીત માટે 9 રન કરવાના હતા. મોહમ્મદ શમીએ ફેંકેલી તે ઓવરમાં ગૃહ ટીમે કુલ 8 રન કર્યા હતા. જીતનો રન કરી શકી નહોતી અને બે વિકેટ ગુમાવી હતી. ત્રીજા બોલે વિલિયમ્સન અને છેલ્લા બોલે રોસ ટેલર (17) આઉટ થયો હતો.

હવે ચોથી મેચ 31 જાન્યુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 179 રન કર્યા હતા. એમાં રોહિત શર્માનું યોગદાન સૌથી વધુ, 65 રનનું હતું.






















બીટિંગ રીટ્રિટ સેરેમની 2020: વિશેષતાઓ અને મહત્વ

નવી દિલ્હીઃ રાજપથ પર 26 જાન્યુઆરીના રોજ 71 મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યા બાદ હવે લોકો બીટિંગ રીટ્રિટ સેરેમનીની રાહ જોવે  છે. મોટાભાગના લોકો આ સેરેમની વિશે જાણતા નથી. ત્યારે આવો આપણે જાણીએ કે આખરે આ સેરેમની શું છે? 26 જાન્યુઆરીની પરેડમાં દુનિયાને પોતાની તાકાત બતાવ્યા બાદ 29 જાન્યુઆરીના રોજ થનારી બીટિંગ રિટ્રીટ સેરેમનીની રાહ જોવાય છે. રાયસીના રોડ પર રાષ્ટ્રપતિ ભવન સામે આનું પ્રદર્શન કરવામાં આવે છે. 26 જાન્યુઆરીની સવારે 10 વાગ્યે નેશનલ સેલ્યૂટ સાથે શરુ થયેલી આ પરેડ આશરે 90 મીનિટ સુધી ચાલી. આમાં એમઆઈ-17 અને રુદ્ર આર્મ્ડ હેલિકોપ્ટરોએ ફ્લાયપાસ્ટ કર્યું. આમાં અલગ-અલગ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને સરકારી વિભાગોના 22 જેટલા ટેબ્લો ઈન્ડિયા ગેટ સામેથી પસાર થયા, બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા શાળાના બાળકો અને સીઆરપીએફની ઓલ વુમન ટીમે પોતાનું પ્રદર્શન બતાવ્યું. આ પરેડને જોવા માટે, હજારોની સંખ્યામાં લોકો રાજપથની બંન્ને બાજુ બેસે છે.

બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીને મુખ્ય રુપે ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે. આ સેનાનું પોતાના બેરેકમાં પાછા ફરવાનું પ્રતિક પણ માનવામાં આવે છે. બીટિંગ રિટ્રીટ સેરેમની ગણતંત્ર દિવસની નવી પરંપરા નથી પરંતુ આ અંગ્રેજોના સમયથી આયોજિત થતી આવી છે. બીટિંગ ધ રિટ્રીટ દિલ્હીના વિજય ચોક પર આયોજીત કરવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનને કલરફૂલ લાઈટ્સથી સજાવવામાં આવે છે. આ નજારો જોવા જેવો હોય છે.

બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન આજે રોજ સાંજે સૂર્યાસ્ત સમયે કરવામાં આવશે. આ દરમિયાન તમામ ખાસ લોકો આમાં ભાગ લે છે. આ દરમિયાન વિજય ચોકને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનની સજાવટ અને બીટિંગ રિટ્રીટનો ભાગ બનવા માટે હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચે છે.

26 જાન્યુઆરીના રોજ પરેડમાં રાજપથ પર સુંદર સંગીતની ધુન સાથે ચાલાનારા ઉંટ ત્રણ દિવસ બાદ એટલે કે 29 જાન્યુઆરીના રોજ થનારી બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં ભાગ લે છે. આ દરમિયાન આ ઉંટ રાયસીના હિલ પર ઉત્તર અને દક્ષિણ બ્લોક પર પણ ઉભેલા દેખાય છે. દુનિયાની આ એકમાત્ર ઉંટોની ટીમ છે કે જે ન માત્ર બેંડ સાથે રાજપથ પર પ્રદર્શન કરે છે પરંતુ સરહદની પણ સુરક્ષા કરે છે.

પહેલીવાર 1976 માં 90 ઉંટની એક ટીમ ગણતંત્ર દિવસનો ભાગ બની હતી, જેમાં 54 જેટલા સૈનિકો અને શેષ બેંડના જવાનો હતા. બીએસએફ એકમાત્ર એવી ફોર્સ છે કે જેની પાસે ઓપરેશન અને સમારોહ બંન્ને માટે સજ્જ થયેલા અને ખૂબ કુશળ ઉંટોની એક ટીમ છે. શાહી અને ભવ્ય અંદાજમાં સજ્જ આ ઉંટોને સરહદની સુરક્ષા માટે તેનાત કરવામાં આવે છે અને પ્રથમવાર ઉંટોની આ ટીમ વર્ષ 1976 માં આ રાષ્ટ્રીય પર્વની ઝાંખીનો ભાગ બની હતી.

પરેડ અને બીટિંગ રિટ્રીટમાં શામિલ કરવામાં આવનારા ઉંટોનો શ્રૃંગાર દુલ્હનની જેમ કરવામાં આવે છે. પગથી લઈને ગળું અને પીઠના ભાગ સુધી આ લોકોને સજાવવામાં આવે છે. બાદમાં આ ઉંટો પર બીએસએફના જવાન પણ શાહી અંદાજમાં અને મૂછે તાવ દેતા બેસે છે.

આ ઉંટોને અલગ અલગ સમારોહમાં પ્રસ્તુત કરવામાં આવે છે એટલે આ લોકો પાસે ઉંટોનો શ્રૃંગાર કરવા માટે મોટો ખજાનો હોય છે. અલગ-અલગ પ્રસંગો માટે આમની પાસે આશરે 65 જેટલા ડ્રેસ છે. વિદેશી ડિપ્લોમેટ્સ આવવા પર આ લોકો એ પ્રકારનો ડ્રેસ પહેરે છે અને ગણતંત્ર દિવસ જેવા સમારોહ માટે અલગ ડ્રેસ પહેરે છે.

આ ઉંટ પર સવારી કરનારા જવાનો પણ ખાસ હોય છે. આ લોકોની ઉંચાઈ 6 ફૂટ અથવા તેનાથી વધારે હોય છે. બીએસએફ આવા જવાનોની પસંદ આ પ્રકારના પ્રસંગો માટે કરે છે. આ જવાન આ પ્રકારની પરેડના સમયે દેખાય છે.

આ ઉંટ બટાલિયનની એક અન્ય ખાસ વાત પણ છે. આ ઉંટો પર બીએસએફના જે જવાન સવાર થાય છે, તેમની મુછો પણ સામાન્ય નથી હોતી. તમામની મુછો ઉપરની તરફ ઉઠેલી હોય છે જે આ લોકોની એક ખાસ ઓળખ કહી શકાય.

શું હોય છે ખાસ?
  1. બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીના મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ હોય છે.
  2. આનું મુખ્ય આકર્ષણ ત્રણેય સેનાઓ એક સાથે મળીને સામુહિક બેંડનો કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો હોય છે. પરેડ પણ જોવા લાયક હોય છે.
  3. આ કાર્યક્રમમાં ડ્રમર ગાંધીજીને પ્રિય હતી એવી એક ખાસ ધુન વગાડે છે.
  4. ત્યારબાદ રિટ્રીટટનું બ્યુંગલ વાગે છે. આ દરમિયાન બેંડ માસ્ટર રાષ્ટ્રપતિની નજીક જાય છે અને બેંડ પાછુ લઈ જવા માટેની મંજૂરી માંગે છે. ત્યારબાદ માનવામાં આવે છે કે સમાપન સમારોહ પૂર્ણ થઈ ગયો છે.
  5. બેંડ માર્ચ પાછી લઈ જતા સમયે, “સારે જહાં સે અચ્છા” ગીતની ધુન સાથે કાર્યક્રમનું સમાપન થાય છે.
  6. અંતમાં રાષ્ટ્રગાન ગાવામાં આવે છે અને આ પ્રકારે ગણતંત્ર દિવસના આયોજનનું ઔપચારિક સમાપન થાય છે.

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં બંધની અસર…

અમદાવાદ: શહેરના કેટલાક વિસ્તારોમાં સીએએ, એનઆરસી, એનપીઆરના વિરોધ સાથે જડબેસલાક બંધ પાળવામાં આવ્યો. 29 જાન્યુઆરીને બુધવારની સવારથી જ બહુજન ક્રાંતિ મોર્ચા સહિત અનેક સંગઠનોએ ગુજરાતના જુદા જુદા ભાગોમાં બંધ પાળ્યો હતો.

 

અમદાવાદ શહેરના દરિયાપુર, કાળુપુર, ત્રણ દરવાજા, ઢાલગરવાડ , જમાલપુર, મિરઝાપુર, શાહપુર, ખાનપુર જેવા મુસ્લિમ બહુસંખ્યક વિસ્તારોમાં વેપાર ધંધા સદંતર બંધ રહ્યા. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો. કોટ વિસ્તાર સહિત ની અમદાવાદ શહેરની કેટલાક વેપારી સ્થળોએ સીએએ, એનઆરસી, એનપીઆર ના વિરોધમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.

આ સાથે મુસ્લિમ સંગઠનો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતા – કાર્યકર્તાઓએ લોકોને શાંતિથી બંધ પાળવા અપીલ કરી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ, આર.પી.એફ, એસ.આર.પી, હોમગાર્ડસ ના જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ સાથે અસામાજીક તત્વો કોઇપણ ભાંગફોડ પ્રવૃત્તિના કરે એ માટે પોલીસની જુદી જુદી ગાડીઓનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સાયના નેહવાલ હવે રાજકીય ઈનિંગ ખેલવા તૈયારઃ ભાજપમાં પ્રવેશ

નવી દિલ્હી: દેશની સ્ટાર ખેલાડી સાયના નેહવાલ બેડમિન્ટનમાં ધૂમ મચાવ્યા પછી હવે રાજકીય ઈનિંગ ખેલવા માટે તૈયાર છે. સાયના નેહવાલ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ હતી. સાયનાએ કહ્યું કે, ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ છે વડાપ્રધાન મોદી, જેનાથી મને પ્રેરણા મળે છે. સાયનાની સાથે તેમની મોટી બહેને પણ ભગવો ધારણ કર્યો.

વડાપ્રધાન મોદીથી મળે છે પ્રેરણા

ભાજપમાં સામેલ થયા પછી સાયનાએ કહ્યું કે, દેશ માટે સારુ કામ કરી રહેલી પાર્ટી સાથે જોડાઈને હું ઘણી ખુશ છું. મોદીજી દિવસ રાત કામ કરે છે જેથી તેની સાથે કામ કરવાની મજા આવશે. મોદીએ સ્પોર્ટ્સને ઘણુ મહત્વનું આપ્યું છે. ખેલો ઈન્ડિયાની પહેલ એક ઉમદા કાર્ય છે.

નેહવાલે નવી દિલ્હીમાં ભાજપનો ભગવો ધારણ કર્યો. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે સાયનાને ભગવો પહેરાવ્યો. સાયના પહેલા પણ અનેક ખેલાડીઓએ ભાજપમાં જોડાયા છે. જેમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, રેસરલ યોગેશ્વર દત્ત અને બબિતા ફોગાટ જેવા મોટા ચહેરાઓ સામેલ છે.

સાયનાન બેડમિન્ટન કેરિયર પર નજર નાખીએ તો તેમણે 22 સુપર સીરીઝ અને ગ્રાન્ડ પ્રિક્સ ખિતાબ જીત્યા છે. આ ઉપરાંત સાયનાએ 2012ના લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું આવુ કરનાર સાયના દેશની પ્રથમ મહિલા શટલર બની હતી. આ ઉપરાંત સાયના વર્લ્ડ નંબર વન પણ રહી ચૂકી છે. તે મહિલા સિંગલ્સ રેકિંગમાં 23 મે 2015ના રોજ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તે આ સફળતા મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી છે.

ઠાકુર અને વર્મા સ્ટાર પ્રચારક નહીંઃ ચૂંટણી પંચનો નિર્ણય

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપનારા નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ સિંહ વર્મા પર ચૂંટણી આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આયોગે બંન્નેને તાત્કાલિક ધોરણે ચૂંટણી પ્રચારકોના લિસ્ટમાંથી બહાર કાઢી દેવાનો નિર્દેશ પાર્ટીને આપ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના નિવેદનોની ખૂબ ટીકા થઈ રહી છે. ચૂંટણી આયોગ દ્વારા ફરિયાદ બાદ કડક કાર્યવાહી કરી છે.

ભાજપના નેતાઓના આ પ્રકારના નિવેદનો બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા ભાજપને આપવામાં આવેલી નોટિસમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પશ્ચિમ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્મા પર કાર્યવાહી કરતા પ્રચાર પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આયોગે બંન્ને નેતાઓને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી બહાર મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

હિમાચલ પ્રદેશના હમીરપુરથી સાંસદ અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતા “દેશના ગદ્દારોને ગોળી મારો” તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનની ખૂબ ટીકાઓ થઈ હતી. બીજી તરફ પશ્ચિમ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્માએ શાહીનબાગમાં ચાલી રહેલા વિરોધની તુલના કાશ્મીરથી કરતા કહ્યું હતું કે, તેઓ આપના ઘરોમાં ઘુસી જશે અને તમારી બહેન-દિકરીઓ સાથે રેપ કરશે.

નિવેદનનો વિરોધ થયા બાદ સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, તેઓ પોતાના નિવેદન પર અડગ છે અને માફી નહી માંગે. આટલું જ નહી પરંતુ આજે એક મીડિયા ઈન્ટરવ્યુમાં ભાજપના સાંસદે અરવિંદ કેજરીવાલને નક્સલી અને આતંકી પણ ગણાવ્યા હતા.

ઉત્તર ભારતમાં બદલાયું વાતાવરણઃ ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે બરફવર્ષા

નવી દિલ્હીઃ દેશના ઉત્તરના ભાગમાં સતત વરસાદ થવાના કારણે ઠંડીમાં ઘટાડો થયો નથી. આ સાથે જ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મૂ કાશ્મીરના ઉંચાઈ વાળા ક્ષેત્રોમાં બરફ વર્ષા થઈ છે અને રાષ્ટ્રીય રાજધાની સહિત પંજાબ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં વરસાદ થયો છે. હવામાન વિભાગે ભારતના ઉત્તર પશ્ચિમી ક્ષેત્રોના પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાનું અનુમાન લગાવવામાં આવ્યું. વિભાગે ભારે બરફવર્ષા અથવા વિજળી કડકવાની સાથે વરસાદ થવાની અને બરફ વર્ષાનું અનુમાન લગાવ્યું છે.

હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, સવારે 8.30 વાગ્યે ન્યૂનતમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું કે જે સામાન્યથી બે ડિગ્રી વધારે હતું. જમ્મૂ કાશ્મીરના ઉંચાઈ વાળા ક્ષેત્રોમાં તાજેતરમાં બરફવર્ષા થઈ જ્યારે મેદાની પ્રદેશોમાં વરસાદ થયો છે. શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 0.6 ડિગ્રી સેલ્સિયસલ નીચે નોંધવામાં આવ્યું. આ સિવાય ઔલી, બદ્રીનાથ, હેમકુંડ સાહેબ, નંદા દેવી જૈવ સહિતના ક્ષેત્રો બરફથી ઢંકાઈ ગયા છે.

હિમાચલ પ્રદેશમાં શિમલા, કુફરી, મનાલી અને ડલહૌજી સહિતના ક્ષેત્રોમાં તાજેતરમાં બરફવર્ષાને લઈને મહત્તમ તાપમાન ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાવામાં આવ્યું. હવામાન વિભાગના ડાયરેક્ટર મનમોહન સિંહે કહ્યું કે રાજ્યની રાજધાનીમાં સવારે 8.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી બે સેન્ટિમીટર બરફવર્ષા નોંધવામાં આવી. પંજાબ અને હરિયાણાના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે, કેન્દ્રા શાસિત પ્રદેશ ચંદીગઢમાં 2.5 મિલીમીટર વરસાદ થયો અને તાપમાન 12.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.

‘શરજીલને છોડી મૂકો નહીં તો…’: AMUનાં વિદ્યાર્થીઓની ધમકી

આગરા – દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના વિરોધી શરજીલ ઈમામની ધરપકડ કરવામાં આવી છે. કથિતપણે દેશવિરોધી ભડકાઉ ભાષણ કરવા બદલ દેશદ્રોહના આરોપસર દિલ્હી પોલીસે શરજીલની ગઈ કાલે બિહારના જેહાનાબાદમાં ધરપકડ કરી હતી અને એને દિલ્હી લાવવા આજે નીકળી ગયા હતા.

દરમિયાન, ઉત્તર પ્રદેશમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના 70 જેટલા વિદ્યાર્થીઓએ માગણી કરી છે કે શરજીલ ઈમામને તાત્કાલિક છોડી મૂકવામાં આવે. આ વિદ્યાર્થીઓ ગઈ કાલે યુનિવર્સિટીની કેન્ટીનમાં ભેગા થયા હતા અને ઈમામને છોડી મૂકવાની માગણી કરી હતી.

શરજીલની ધરપકડના વિરોધમાં AMUના વિદ્યાર્થીઓએ મોરચો કાઢ્યો હતો અને એલાન કર્યું છે કે જો શરજીલને જલદી છોડી મૂકવામાં નહીં આવે તો કંઈક એવું થશે જેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.

ગઈ 16 જાન્યુઆરીએ AMU કેમ્પસમાં શરજીલે રાષ્ટ્રવિરોધી ભાષણ કર્યું હોવાનો એની પર આરોપ છે અને અલીગઢ પોલીસે એની સામે ફરિયાદ નોંધી હતી.

IITના ભૂતપૂર્વ વિદ્યાર્થી-સહાયક શિક્ષક શરજીલને ઉત્તર પ્રદેશ, આસામ, મણીપુર, અરૂણાચલ પ્રદેશ અને દિલ્હી સહિત અનેક રાજ્યોની પોલીસ પકડવા માગતી હતી. આખરે દિલ્હી પોલીસે એને બિહારના જેહાનાબાદમાંથી પકડ્યો હતો અને જેહાનાબાદની કોર્ટ પાસેથી 48-કલાકના ટ્રાન્ઝિટ રીમાન્ડ પર શરજીલને તાબામાં લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, શરજીલના પિતા ભૂતકાળમાં બિહારમાં જનતા દળ (યુનાઈટેડ)ની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ એમને સમર્થન આપ્યું હતું.

શરજીલે ગઈ કાલે તેના ટ્વિટર પર આમ લખ્યું હતું: ‘મેં 28 જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 3 વાગ્યે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું અને ઈચ્છુક પણ છું. મને કાયદાની પ્રક્રિયામાં પૂરો વિશ્વાસ છે. મારી સલામતી હવે દિલ્હી પોલીસના હાથમાં છે. શાંતિ જાળવીએ.’

AMUના પ્રવક્તા શફી કિડવાઈએ કહ્યું છે કે યુનિવર્સિટીનું વહીવટીતંત્ર કેમ્પસમાં કોઈ પણ પ્રકારની દેશવિરોધી પ્રવૃત્તિને ટેકો આપતું નથી અને તેને વખોડી કાઢે છે અને આયોજક સામે કડક પગલું ભરશે.

બજેટ તૈયાર કરવામાં આ પાંચ અધિકારીની ભૂમિકા મહત્વની

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટને લઈને સીતારમણ અનેક અર્થશાસ્ત્રીઓ, ટોચના ઉદ્યોગપતિઓ, ખેડૂતો તેમજ અન્ય સંગઠનો સાથે બેઠક કરી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બજેટને લઈને વ્યક્તિગત રસ લઇ રહ્યા છે. બજેટ થકી આગામી સમયમાં એશિયાની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવાનો મોદી સરકારનો પ્રયત્ન રહેશે.

દેશને સ્લોડાઉનની ઝપેટમાંથી બહાર કાઢીને ફરી પાટા પર લાવવા માટે સીતારમણનું આ બજેટ અનેક રીતે મહત્વપૂર્ણ રહેશે. આ વખતે આ બજેટને લઈને સરકારની આવક અને ખર્ચના લેખા જોખા તૈયાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવી રહેલા પાંચ વ્યક્તિઓ અંગે જાણવાનું રસપ્રદ બની રહેશે. કોણ છે આ પાંચ અધિકારી?

રાજીવ કુમાર (નાણા સચિવ)

રાજીવ કુમાર નાણા મંત્રાલયના ટોચના અધિકારી છે. કુમાર ઝારખંડ કેડરના 1984ની બેન્ચના આઈએએસ અધિકારી છે. તેમના કાર્યકાળ દરમ્યાન જ સરકારે બેંકિંગ વ્યવસ્થામાં સુધારા સંબંધિત અનેક મહત્વના પગલા લીધા છે. જેમાં સરકારી બેંકનું મર્જર અને દેવામાં ડુબેલ બેંકોમાં ફંડિંગ કરવા જેવા ઉપાયો સામેલ છે. આ વખતે આશા છે કે, બજેટમાં બેંકિંગ સેક્ટરને સંકટમાંથી ઉગારવા તેમજ અર્થવ્યવસ્થામાં વપરાશને પ્રોત્સાહન આપવા માટે તેમણે જરૂરી સૂચનો આપ્યા હોય.

અતનુ ચક્રવર્તી(આર્થિક બાબતોના સચિવ)

અતનુ ચક્રવર્તી પાસે સરકારી પરિસંપત્તિઓના ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત કુશળતા છે. બજેટ બનાવવામાં ચક્રવર્તીની મહત્વની ભૂમિકા છે, કારણ કે હાલમાં જ જ્યારે આર્થિક વૃદ્ધિની ગતિ પાંચ ટકાથી નીચે જતી રહી હતી ત્યારે ચક્રવર્તીની અધ્યક્ષતામાં જ એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ દેશના અર્થતંત્રને ફરી પાટા પર લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડોલરના રોકાણની રૂપરેખા તૈયાર કરી હતી. તેમનું મંતવ્ય ભારતને બજેટ સંબંધી નુકસાનીને નક્કી કરવાની દ્રષ્ટીએ ઘણું મહત્વનું રહેશે. આ ઉપરાંત અર્થતંત્રમાં પૂંજી નાખવા સંબંધિત તેમના સૂચનો જરૂરી બની રહેશે.

ટી.વી. સોમનાથન (એક્સપેન્ડિચર સેક્રેટરી)

સોમનાથનની નાણા મંત્રાલયમાં તાજેતરમાં જ એન્ટ્રી થઈ છે. તેમનું કામ સરકારના ખર્ચાઓમાં ઘટાડો કરવાનું છે જેથી માંગમાં વૃદ્ધિ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. જોકે, તેમના પર બીનજરૂરી ખર્ચાઓને અલગ તારવવાની પણ જવાબદારી છે. તે અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે, એટલા માટે સોમનાથન એ સ્પષ્ટ રીતે જાણે છે કે, મોદી કયા પ્રકારનું બજેટ ઈચ્છે છે.

અજય ભૂષણ પાંડેય(રાજસ્વ સચિવ)

અજય ભૂષણ પર મહેસૂલ એટલે કે, સંસાધનોને પ્રોત્સાહન આપવાની જવાબદારી છે. સ્લોડાઉનની મુશ્કેલી વચ્ચે મહેસૂલમાં ઘટાડાનું અનુમાન વચ્ચે સંભવત: તેમની જવાબદારી સૌથી મુશ્કેલ છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો પછી અત્યાર સુધીમાં ટેક્સ કલેક્શનમાં વધારો થાય એ પ્રકારનું રોકાણ નથી આવ્યું. તે ડાયરેક્ટ ટેક્સ કોડમાં કેટલીક દરખાસ્તો અપનાવવા અંગે પોતાનો અભિપ્રાય આપી શકે છે.

તુહીનકાંત પાંડે(ડિસઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી)

તુહીનકાંત પાસે એર ઈન્ડિયા અને અન્ય સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટની જવાબદારી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત આ લક્ષ્યો ઘણા મહત્વપૂર્ણ છે. જોકે, આ વર્ષે સરકાર 1.05 ટ્રિલિયન રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મોટા અંતરથી ચૂકી જશે એવી સંભાવના છે. આગામી વર્ષના લક્ષ્યની દ્રષ્ટીએ તુહીનકાંતની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

રાશિ ભવિષ્ય 29/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે,


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.