કર્ફ્યુ પછીની સ્થિતિ

કોરોનાના કારણે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં સંચારબંધી લાદી દેવામાં આવી હતી.

આજે વહેલી સવારથી જ સંચારબંધી માંથી નગરજનો મુક્ત થયા અને લૉકડાઉન યથાવત રાખવામાં આવ્યું હતું.

કર્ફ્યુ ખુલતા ની સાથે જ શહેરના બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.

શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજે સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી.

લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં.

સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ અપીલ કરવામાં આવી રહી હતી પણ લોકો તેનુ પાલન કરતા નહતા

(પ્રજ્ઞેશ વ્યાસ)