Home Blog Page 4833

નવેમ્બરમાં સર્જાઈ 14.33 લાખ નોકરીની તકોઃ ઈએસઆઈસીએ રજૂ કર્યા આંકડા

નવી દિલ્હીઃ નવેમ્બર 2019 માં દેશમાં 14.33 લાખ નોકરીઓ સર્જાઈ છે. જ્યારે ગત મહીને 12.60 લાખ નોકરીઓ ઉભી થઈ હતી. ESIC ના આંકડાઓથી આ જાણકારી મળી છે. આ પહેલા ઓક્ટોબર 2019 માં દેશભરમાં 12.60 લાખ રોજગારીનું સર્જન થયું હતું. NSO ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19 માં ઈએસઆઈસીથી 1.49 કરોડ નવા લોકો જોડાયા હતા. આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર 2017 થી નવેમ્બર 2019 ના સમયગાળા દરમિયાન ESIC યોજના સાથે કુલ 3.37 કરોડ લોકો જોડાયા હતા. NSO ના રિપોર્ટ ઈએસઆઈસી, ઈપીએફઓ, પીએફઆરડીએની અલગ-અલગ યોજનાઓ સાથે જોડાનારા લોકો પર આધારિત છે.

એપ્રિલ 2018 થી એનએસઓ નવા આ પ્રકારના આંકડાઓ જાહેર કરી રહ્યું છે. એનએસઓ દ્વારા આમાં સપ્ટેમ્બર 2017 થી શરુ થનારા સમયના આંકડા માટે છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2017 થી માર્ચ 2018 ના સમયગાળામાં ઈએસઆઈસીથી 83.35 લાખ નવા લોકો જોડાયા છે. આ જ પ્રકારે નવેમ્બર 2019 માં ઈપીએફઓ સાથે 11.62 લાખ નવા નોકરિયાત લોકોનું રજિસ્ટ્રેશન થયું. આ પહેલા ઓક્ટોબરમાં આ આંકડો 6.47 લાખ રહ્યો.

તાન્હાજીનું ધમાકેદાર પ્રદર્શન યથાવત: 200 કરોડના ક્લબમાં સામેલ

નવી દિલ્હી: અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાન અભિનિત બોલીવુડ ફિલ્મ તાન્હાજી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને બે સપ્તાહ પૂર્ણ થયા છે અને બોક્સ ઓફિસના શરુઆતના આંકડાઓને જોતા એવુ અનુમાન છે કે, તાન્હાજીએ ગયા શુક્રવારે 6 કરોડ રૂપિયાની કમાણી કરી હશે. એ હિસાબે ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 203.45 કરોડ રૂપિયાની આસપાર પહોંચ્યું હોવાનું અનુમાન છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર આંકડાઓ નથી મળ્યા.

તાન્હાજી 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર અજય દેવગણની તાન્હાજીએ માત્ર મુંબઈમાં 13 દિવસમાં 88 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહારાષ્ટ્રમાં ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન હજુ પણ ચાલુ છે.

દેશમાં સીએએ અને એનઆરસીને લઈને ચાલી રહેવા વિવાદ છતાં તાન્હાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અજય દેવગણની ફિલ્મ તાન્હાજી: ધ અનસંગ વોરિયરને અગાઉ વિવેચકો મિશ્રિત પ્રતિક્રિયા મળી હતી તેમ છતાં પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે.

ચિત્રલેખા-આદિત્ય બિરલા સનલાઈફના કાર્યક્રમમાં ઈન્વેસ્ટરોએ પૈસા-મૂડીરોકાણ અંગે મેળવ્યું ઉપયોગી માર્ગદર્શન

BSEના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયો ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ અંગે ‘ચિત્રલેખા’નો સુવર્ણ જયંતિ કાર્યક્રમ


ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન ‘ચિત્રલેખા’ તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર સુધીમાં યોજેલા કાર્યક્રમોની હાફ સેન્ચૂરી પણ પૂરી કરી લીધી છે. આ સોનેરી અવસર – ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા માટે ‘ચિત્રલેખા’એ 24 જાન્યુઆરી, 2020ના શુક્રવારે મુંબઈ શેરબજાર (BSE) ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ હતો આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડ તથા BSEના સહયોગમાં ઈન્વેસ્ટર્સ માર્ગદર્શનનો. એમાં આર્થિક જગતના અવ્વલ દરજ્જાના નિષ્ણાતોએ યોગ્ય મૂડીરોકાણ કરવા વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તબક્કાવાર બચત અને રોકાણની ફોર્મ્યુલાની સમજ આપી હતી.

ખરેખર, આ ન ચૂકવા જેવો જ સેમિનાર હતો અને એમાં ‘ચિત્રલેખા’નાં ચાહકો-વાચકો તથા ઈન્વેસ્ટરોએ સેંકડોની સંખ્યામાં હાજરી આપીને તકને હાથમાંથી જવા દીધી નહોતી. આ કાર્યક્રમમાં અતિથિ વક્તા તરીકે બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે ચાવીરૂપ સંબોધન કર્યું હતું તો બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સાધુ જ્ઞાનવત્સલદાસ તરફથી ‘પૈસાની પવિત્રતા’ વિશે વિશેષ વક્તવ્ય આપ્યું હતું.

સાધુ જ્ઞાનવત્સલદાસે એમના વક્તવ્યમાં ‘શુદ્ધ પૈસો અને સુરક્ષિત પૈસો’ વિશે પોતાનાં વિચારો પ્રદર્શિત કરીને આર્થિક જગતના મહારથીઓ તથા દર્શકો, સૌને પ્રભાવિત કરી દીધા હતા. એમણે કહ્યું કે, પૈસો પવિત્ર હોય તો જ સુરક્ષિત રહે અને પૈસો પવિત્ર-શુદ્ધ હશે તો તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે. પૈસા માટે ઘેલો પ્રેમ આજના કળીયુગનું એક લક્ષણ છે. પૈસો જરૂરી છે એમાં કોઈ શંકા નથી, પરંતુ ખોટી વૃત્તિ વડે પૈસો મેળવવો એ ખોટુું છે, જોખમી વલણ છે. નૈતિકતાથી, શુદ્ધ વૃત્તિથી મેળવેલા પૈસાના ઘણા લાભ છે. જેમ કે, એ પૈસો તમારી પાસે જ રહેશે, એનાથી પરિવારમાં સંસ્કાર આવે, રોજગારની તકોનું નિર્માણ થાય અને એવો પૈસો પ્રભુસેવામાં વપરાય.

‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એક વાર એક સંદર્ભમાં માત્ર એટલું જ કહેલું કે પૈસાનું ઉચિત રીતે રોકાણ કરવું, સટ્ટો ન કરવો,’ એમ સાધુ જ્ઞાનવત્સલદાસે વધુમાં કહ્યું.

આશિષકુમાર ચૌહાણે મુંબઈ શેરબજારના કદ અને વ્યાપ વિશે જાણકારી આપી હતી. એમણે કહ્યું કે 1875માં સ્થપાયેલી મુંબઈ શેરબજાર સંસ્થા આજે 145 વર્ષ જૂની થઈ છે. એકાદ-બે કંપની સાથે શરૂ કરાયેલી બીએસઈ સંસ્થામાં આજે 5000થી વધારે કંપનીઓ લિસ્ટેડ થઈ છે. દેશનું અર્થતંત્ર આજે 2.2 ટ્રિલિયન ડોલરના કદનું થયું છે અને દેશની આ સંપત્તિમાં બીએસઈનું યોગદાન 25 ટકા જેટલું છે.

ચૌહાણે સ્ટોક (શેર) એટલે શું એ વિશે પણ સમજ આપતા કહ્યું કે, સ્ટોક માર્કેટ એક ભાગીદારીની સંસ્થા છે. પ્રારંભમાં અનલિમિટેડ લાયાબિલિટી હતી, પણ આજે દેશમાં લિમિટેડ લાયાબિલિટીવાળી કંપનીઓનું ચલણ છે. લોકો સાવ અજાણી કંપનીમાં મૂડીરોકાણ કરે છે. સ્ટોક એક્સચેન્જના માધ્યમ દ્વારા એમને ભરોસો રહે છે.

ચૌહાણે વધુમાં કહ્યું કે વિશ્વમાં ‘ઈઝ ઓફ ડુઈંગ’ રેન્કિંગ્સમાં સ્ટોક એક્સચેન્જ રેગ્યૂલેશનમાં ભારતીય શેરબજારનો નંબર ચોથો આવે છે. આ માટે ચૌહાણે ઈન્વેસ્ટરોનો આભાર માન્યો હતો અને કહ્યું કે એમને ખાતરી છે કે ભારત પ્રગતિના પંથે આગળ વધતો જ રહેશે.

ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવા માટે યોજાયેલી પેનલ ચર્ચામાં આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ડેવલપમેન્ટ વિભાગના હેડ કે.એસ. રાવ, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના વેસ્ટ ઝોન રીટેલ સેલ્સના હેડ વૈભવ ચુગ, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા, આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ ભાગ લીધો હતો. આ પેનલ ચર્ચામાં મોડરેટર તરીકેની ભૂમિકા ભજવી હતી જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ.

છેલ્લા અમુક વર્ષોમાં ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ લોકોના અભિગમમાં શું ફેરફાર આવ્યો છે? એ વિશે રાવે કહ્યું કે ઘણો સરસ ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ લોકો કહેતાં કે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં મૂડીરોકાણ કરવામાં માર્કેટનું જોખમ રહેલું છે, પણ આજે લોકો બોલે છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ. છેલ્લા છ વર્ષમાં રોકાણમાં સાત ગણી વૃદ્ધિ જોવા મળી છે. આજે SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)માં મૂડીરોકાણ કરનારાઓની સંખ્યા ખૂબ વધી છે. રાવે યુવા લોકોને સલાહ આપી કે સેલ્ફી લેવી અને ઈમેજ લેવી એ બેમાં ઘણો ફરક છે. એટલે કે વધારે અભ્યાસ કરીને મૂડીરોકાણ કરવું જોઈએ. બાળકનો જન્મ થાય ત્યારે ઓછામાં ઓછી એક SIP શરૂ કરવી જોઈએ.

બચત અંગે લોકોમાં સમજ કેવી છે? એ વિશે વૈભવ ચુગે કહ્યું કે, બચત અંગે લોકોમાં નવી સમજ આવી છે. માત્ર સેવિંગ્સ કરવાથી કંઈ ન વળે, એનું યોગ્ય રીતે ઈન્વેસ્ટમેન્ટ પણ કરવું જોઈએ એમ લોકો સમજતા થયા છે અને પોતાની સંપત્તિને સંભાળતા થયા છે. નિવૃત્ત લોકો માટે ચુગે એવી સલાહ આપી હતી કે નિવૃત્ત થઈ ગયા બાદ પણ લોકોએ એમનાં સપનાંને જીવતા રાખવા જ જોઈએ અને ફૂગાવાની અસરને ધ્યાનમાં રાખીને મૂડીરોકાણ કરવું જોઈએ. તાકીદની જરૂરિયાત માટે અને લાંબા ગાળાના ફાયદા માટે અલગ અલગ પ્રકારનું મૂડીરોકાણ કરવું જોઈએ. ઈક્વિટીમાં પૈસા ઈન્વેસ્ટ કરવા જોઈએ, કારણ કે એમાં ઊંચા વળતરની આશા રાખી શકાય છે. બજાર તૂટતું હોય છે ખોટા સમાચાર અને અફવાથી અને બજાર વધતું હોય છે કંપનીઓની આવક (કોર્પોરેટ અર્નિંગ્સ) વધવાથી.

ઈન્વેસ્ટમેન્ટમાં રિસ્ક અને રિટર્ન વિશે ગૌરવ મશરૂવાળાએ કહ્યું કે રોકાણકારોએ એ સમજી લેવું જોઈએ કે મૂડીરોકાણ કરવામાં જોખમોને ધ્યાનમાં લેવા જોઈએ એ વિશે તો હું લોકોને સમજાવતો હોઉં છું, પણ સાથોસાથ એમ પણ કહું છું કે જોખમ લેવાથી જ વળતર મળે. મંદીમાં ઈન્વેસ્ટરોએ કયા ફેરફારો કરવા જોઈએ? એ વિશે મશરૂવાળાએ કહ્યું કે ધ્યેયને અનુલક્ષીને મૂડીરોકાણ કરવું હોય તો મંદી હોય કે તેજી, કોઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. મૂડીરોકાણ કરવા માટેની યાદી પોતાના ધ્યેયને સામે રાખીને બનાવવી જોઈએ. બાહ્ય સ્થિતિને જોઈને મૂડીરોકાણમાં ફેરફાર કરવા ન જોઈએ.

SIP વિશે જયેશ ચિતલિયાએ કહ્યું કે, પદ્ધતિસરના અને યોગ્ય પ્રકારના મૂડીરોકાણ દ્વારા લાખોપતિ-કરોડપતિ બની શકાય છે એવું હવે લોકો સમજતા થયા છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી પ્રોડક્ટ્સ છે જેમાં ઈન્વેસ્ટ કરી શકાય છે. નીતિપૂર્વક અને સિસ્ટમેટિક રીતે ઈન્વેસ્ટમેન્ટ કરવાથી શુદ્ધ પૈસો પ્રાપ્ત થાય છે. નાના રોકાણકારો માટે મ્યુચ્યુલ ફંડ શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે લોકોને ઈન્વેસ્ટમેન્ટ અંગે કઈ સલાહ આપશો? એવા સવાલના જવાબમાં ચિતલિયાએ કહ્યું કે, પ્રજાસત્તાક દિવસ એ સ્વાતંત્ર્ય દિવસ સાથે જ સંબંધિત છે એટલે લોકોને સલાહ આપીશ કે સ્વતંત્ર રીતે અભ્યાસ કરીને તમારે નિર્ણય લેવા જોઈએ. બજારની સ્થિતિ નહીં, પણ તમારા પોર્ટફોલિયોની પોઝિશન જોઈને મૂડીરોકાણ કરવું જોઈએ. અર્થાત બજાર કરતાં તમારું વધુ ધ્યાન તમારા સ્ટોક પર હોવું જોઈએ. કંપનીઓના મેનેજમેન્ટ તથા એના ફંડામેન્ટલ્સ પર આધાર રાખવો જોઈએ.

‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ-ચેરમેન મનન કોટકે સાધુ જ્ઞાનવત્સલદાસ તથા ગૌરવ મશરૂવાળાનું આ પ્રસંગે સ્મૃતિચિન્હ આપીને સમ્માન કર્યું હતું. ગૌરવ મશરૂવાળાએ કહ્યું કે પોતે 2010ની સાલથી ‘ચિત્રલેખા’ના ઈન્વેસ્ટર્સ અવેરનેસ સેમિનારોમાં ભાગ લઈ રહ્યા છે. આ સહયોગ બદલ એમણે ‘ચિત્રલેખા’ના માલિકો મૌલિક કોટક અને મનન કોટક તેમજ માર્કેટિંગ વિભાગના વેન ડિસોઝા અને ગીતા લાલનો આભાર માન્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ આમંત્રિત મહેમાનો – આશિષકુમાર ચૌહાણ અને સાધુ જ્ઞાનવત્સલદાસ, પેનલ ચર્ચાના સહભાગીઓ – ગૌરવ મશરૂવાળા, કે.એસ. રાવ, વૈભવ ચુગ, જયેશ ચિતલિયા અને અમિત ત્રિવેદી તથા ઈન્વેસ્ટરો અને ચિત્રલેખાના પ્રશંસકો-વાચકોનું સ્વાગત કર્યું હતું. ચિત્રલેખા તેના વાચકો તથા ઈન્વેસ્ટર વર્ગના માર્ગદર્શન માટે નિયમિતપણે વિવિધ શહેરોમાં આવા સેમિનારો યોજી રહ્યું છે. આ કાર્યક્રમના સહયોગીઓ ‘નિરાલી’ તથા ‘BSE’નો તેમણે આભાર માન્યો હતો.

કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ અને લેખક મુકેશ જોશીએ કર્યું હતું. ‘ચિત્રલેખા’ને એમણે જીવનનો ધબકાર તરીકે ગણાવ્યું હતું, ‘કારણ કે એ વિવિધ વિષયો પર અલગ અલગ પ્રકારે કાર્યક્રમો યોજીને વાચકો સાથે સંબંધ જાળવી રાખે છે. એમાંય બચત મારફત મૂડીરોકાણ કઈ રીતે વધારી શકાય એ સંદર્ભમાં મ્યુચ્યુઅલ ફંડ માર્ગદર્શન અને જનજાગૃતિના કાર્યક્રમો ઉલ્લેખનીય છે,’ એમ તેમણે કહ્યું હતુું.

હાઈ-Tea સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો અને કાર્યક્રમના અંતે ડિનર લઈને સહુ છૂટાં પડ્યાં હતાં.

(સમગ્ર કાર્યક્રમની વધુ તસવીરો જુઓ)

ગૌરવ મશરૂવાળાનું સમ્માન કરતા 'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ-ચેરમેન મનન કોટક




























'ચિત્રલેખા'ના માર્કેટિંગ વિભાગના હેડ વેન ડિસોઝા સાથે કે.એસ. રાવ અને જયેશ ચિતલિયા




અહેવાલઃ મનોજ મોતીવાલા

તસવીરોઃ દીપક ધુરી, પ્રકાશ સરમળકર

ચીનમાં કોરોના વાયરસનો કહેરઃ 41 લોકોએ જીવ ગુમાવ્યા 237 ની હાલત ગંભીર

નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં જાણે કે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. ચીનની સરકારે હુઆંગગાંગ, ઈઝોઉ, ઝિજિયાંગ અને કિંયાગ જિઆંગ આ પાંચ રાજ્યોમાં જાહેર માર્ગો પર અવર જવર બંધ કરાવી દીધી છે. આ પાંચેય રાજ્યોની વસ્તી સૌથી વધારે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે કોરોના વાઈરસ શ્વાછોશ્વાસથી ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે સરકારે આ પગલાં લીધાં છે. આ વાઈરસને કારણે ચીનમાં કુલ 41 લોકોના મોત થયા છે.

જ્યારે અન્ય 631 લોકો આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. આજથી ચીનમાં તેમના નવા વર્ષની શરૂઆત થવાની છે. પરંતુ આ વાઈરસને કારણે બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ચીનના નાણામંત્રીએ હુબેઈની સરકાર પાસેથી આ વાઈરસનો અંત લાવવા 14.5 ડોલર એટલે કે અંદાજિત 1000 કરોડ રૂપિયા માગ્યા છે. મહત્વનું છે કે, હુબેઈ ચીનનું જ રાજ્ય છે અને હુબેઈની રાજધાની વુહાનમાં પણ માર્ગ પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંના શહેરવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વુહાનની અંદર રહે.

અત્રે ઉલ્લેખનિય છે કે વુહાન શહેરને બંધ કરવાને કારણે ત્યા લગભગ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે અને 700માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશન હોવાને કારણે તેમના ઘરે જતા રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમની મદદ માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન શરૂ કરી છે અને ચીનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ખાવા પિવાની સુવિધા પૂરી પાડવામાં આવે…ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે બુધવારે કોરોના વાયરસના કુલ 631 કેસ નોંધ્યા પરંતુ વુહાનમાં 4000 હજાર જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હોય તેવું અનુમાન છે.

બીજી તરફ અમેરિકાના જ્યારે વોશિંગટનમાં પણ કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો ત્યારે ત્યાની સરકારે તે વ્યક્તિના સંપર્કમાં રહેલા અન્ય 16 લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ આ વાઈરસના એક એક કેસ નોંધાયા છે અને થાઈલેન્ડમાં પણ ચાર કેસ નોંધાયા છે. જેથી આ વાઈરસનો અંત લાવવા આ તમામ દેશો મથામણ કરી રહ્યા છે પરંતુ આ વાઈરસનો અંત કેટલા સમયમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

તૂર્કીમાં 6.8નો ભૂકંપ; 18નાં મરણ, 200થી વધુ લોકો ઘાયલ

અંકારા – તૂર્કીના પૂર્વ ભાગમાં સ્થાનિક સમય મુજબ શુક્રવારે રાતે 8.55 વાગ્યે ભયાનક ભૂકંપ આવતાં ઓછામાં ઓછા 18 જણનાં મરણ થયા છે અને બીજાં 200થી વધારે લોકો ઘાયલ થયા છે.

જમીનદોસ્ત થયેલા મકાનોના કાટમાળમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવા માટેની કામગીરી આજે વહેલી સવારે પણ ચાલુ હતી.

ભૂકંપની તીવ્રતા 6.8ની હતી.

30 જેટલા લોકો લાપત્તા હોવાનો પણ અહેવાલ છે.

ભૂકંપ એટલો તીવ્ર હતો કે પડોશના દેશો ઈરાક, સીરિયા અને લેબેનોનમાં પણ લોકોને આંચકાનો અનુભવ થયો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ ભાગમાં આવેલા ઈલાજિક પ્રાંતના સીવરાઈસ નગરમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

આ જ પ્રાંતમાં વધારે નુકસાન થયું છે. ઓછામાં ઓછા 10 મકાન જમીનદોસ્ત થયા છે. ભૂકંપ આવ્યા બાદ અનેક મકાનોમાં શોર્ટ સર્કિટ થવાથી આગ પણ ફાટી નીકળી હતી.

સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ભૂકંપ આવ્યો એ સમયમાં 15 આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો.

શું ખરેખર ઈરાનના પરમાણુ બોમ્બના નિશાન પર છે યુએસ-ઈઝરાયલ?

નવી દિલ્હી: ઈરાન-અમેરિકા વચ્ચે શરુ થયેલા ઘર્ષણ વચ્ચે અનેક નવા સવાલો ઉભા થયા છે. હાલમાં જે રીતે ઈઝરાયલે ઈરાનના પરમાણુ બોમ્બ અંગે ચિંતા વ્યક્ત કરી એ સંબંધિત કેટલાક સવાલોની તપાસ જરૂરી છે. આ સ્થિતિમાં મોટા પ્રશ્ન એ છે કે, શું ખરેખર ઈરાન પણ નાઝી જર્મનીના પગલે આગળ વધી રહ્યું છે? શું ઈરાનનો પરમાણુ બોમ્બ યહુદી રાજ્યો માટે ખતરનાક છે? જે રીતે અમેરિકા અને ઈઝરાયલ એકજુથ થઈને દુનિયાના નેતાઓને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આહવાન કર્યું એ જોતા આ ચિંતા વાજબી છે. સદામ પછી હવે મધ્ય એશિયામાં ઈરાનનું જાની દુશ્મન ઈરાક નથી રહ્યું. હવે તેની લડાઈ સીધી ઈઝરાયલ સાથે છે.

 શીત યુદ્ધ અને ખાડી યુદ્ધ પછી મધ્ય એશિયાના સમીકરણો બદલાયા છે. એ યુગમાં ઈરાન-ઈરાક આંતરિક યુદ્ધમાં વ્યસ્ત રહ્યા. પણ શીત યુદ્ધ અને સદામ હુસેનની સત્તા સમાપ્તિ પછી આ વિસ્તારમાં વ્યૂહાત્મક સ્થિતિ બદલાઈ ગઈ છે. સદામ પછી ઈરાક નબળું પડ્યું અને તે સ્પષ્ટ રીતે શિયા-સુન્ની અને કુર્દ વચ્ચે વહેંચાઈ ગયું છે. આ સ્થિતિમાં મધ્ય એશિયામાં ઈરાનનું સૌથી મોટું વિરોધી ઈઝરાય બની ગયું છે. જેથી અમેરિકા અને ઈઝરાયલની એ ચિંતા પણ વાજબી છે. આ ચિંતમાં વધારો ત્યારે થયો જ્યારે ઈરાન પરમાણુ બોમ્બના નિર્માણકામમાં લાગ્યું.

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ તેહરાનની તુલના એક અત્યાચારી સાથે કરી છે. તેમણે કહ્યું કે, વિશ્વને ઈરાનથી સાવચેત રહેવાની જરૂર છે. નેતન્યાહુએ ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનું આહવાન કરતા તેમની તુલના નાઝી જર્મની અને હિટલર સાથે કરી. નેતન્યાહુએ જેરુશલમને રાજ્ય અને સરકારના 40થી વધુ પ્રમુખોને એક્ઠા થવા કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ઈરાન જે રીતે પરમાણુ હથિયાર વિકસિત કરી રહ્યું છે તેનાથી યહુદીની સાથે વિશ્વને પણ ખતરો ઉભો થયો છે. તેમનું એક માત્ર ઉદેશ્ય યહુદી રાજ્યને ખતમ કરવાનો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કટાક્ષ કરતા કહ્યું કે, ઈરાનના પરમાણુ બોમ્બથી વિશ્વને બચાવવાની જવાબદારી સંયુક્ત રાષ્ટ્રના ખંભા પર છે. પુતિને વધુમાં કહ્યું કે, દ્વિતિય વિશ્વયુદ્ધના વિજેતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બની ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિએ રશિયાને વૈશ્વિક પાવર બ્રોકરના રૂપમાં આગળ ધપાવ્યું છે. તેમણે વૈશ્વિક અસ્થિરતાને ખતમ કરવા માટે વિકસિત રાષ્ટ્રોના શિખર સમ્મેલન પર ભાર મૂક્યો.

દિલ્હીની ડ્રામેટિક ચૂંટણીઃ નાટક હજી જામ્યું નથી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી ડ્રામેટિક બનશે તે સૌને ખબર છે. નાનો મોટો ડ્રામા છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યો છે. પણ જામતો નથી. જામતો નથી, કેમ કે એક મુખ્ય નાયક અંડરપ્લે કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે દોઢેક વર્ષથી, લોકસભા 2019ની ચૂંટણી પહેલાંથી જ મોદી અને ભાજપનો વિરોધ કરવાનું બંધ કરી દીધું હતું. ભાજપ સામેના વિપક્ષમાં તેઓ સૌથી ચાલાક છે. બાકીનો વિપક્ષ ભાજપને ભરપુર ફાયદો કરાવી રહ્યો છે, ત્યારે કેજરીવાલ ભાજપની ચાલને બરાબર પામી ગયા છે. તેઓ ભાજપનો વિરોધ કરીને ભાજપને જ ફાયદો કરાવવા માગતા નથી.

પરંતુ ભાજપને ભીંસમાં લેવાના બધા જ પ્રયાસો આ સમયગાળામાં તેઓ કરતા રહ્યા છે. ભાજપના નેતાઓ પણ મૂંઝાતા રહ્યા છે કે આમને ટ્રેપમાં કેવી રીતે લેવા. અરવિંદ ટ્રેપમાં આવતા નથી. તેમણે અસલી મુદ્દા જ ઉપાડ્યા છે. લોકોને દરેક મહોલ્લામાં આરોગ્યની સુવિધા મળે તેવું કરું, સ્ત્રીઓને બસમાં મફતમાં મુસાફરી કરાવો, વીજળી તમે 200 યુનિટ સુધી બાળો ત્યાં સુધી બીલ બહુ ઓછું મળશે, પીવાનું પાણી મળે તે માટે સરકાર કેટલી મથે છે તેની વાત જ કરો. આ મુદ્દાઓ એવા છે કે ભાજપ તેને પડકારી શકે તેમ નથી. પાકિસ્તાનના મુદ્દે પડકાર કરી શકાય, પણ ભઈ પાકિસ્તાનનું આપણે અહીં શું કામ છે. યુવાનોને નોકરી નથી મળતી તેની વાત કરોને – આમ આદમી પાર્ટી આવી વાત કરીને પણ ભાજપના નેતાઓને પાકિસ્તાન પાકિસ્તાન બરાડવાની તક આપતી નથી.

ભાજપ બહુ ભીંસમાં આવે ત્યારે કહેતો હોય છે કે પણ અમારી પાસે મોદી છે, તમારી પાસે કોણ? વિપક્ષ ગેંગેફેંફે થઈ જાય છે. આમ આદમી પાર્ટી કહે છે કે અમારી પાસે કેજરીવાલ છે, તમારી પાસે કોણ? હવે ભાજપના નેતાઓ ગેંગેફેંફે થઈ જાય છે. મનોજ તીવારીને મોટા ઉપાડે મોટા ભા કરવાની તૈયારી ભાજપે કરી હતી, પણ કેજરીવાલ સામે કોણનો જવાબ મનોજ તિવારીમાંથી મળ્યો નથી. તેથી કેજરીવાલ સામે કોણ તે જવાબ ભાજપમાંથી આવવાનો બાકી છે.
ભાજપની સરકારો હોય ત્યાં સરકારી તીજોરીના નાણાંનો બેફામ વેડફાટ કરીને નકરો પ્રચાર કરવામાં આવે છે. કેજરીવાલ અહીં પણ પાવરધા નીકળ્યા છે. તેમણે દિલ્હી સરકારની તીજોરીના કરોડો રૂપિયા પ્રચારમાં વાપરી નાખ્યા છે. તેમણે દિલ્હીના અખબારો અને ટીવીમાં એવી રીતે સરકારી કાર્યક્રમો અને જાહેરખબરો કરી છે કે તેમની ઇમેજ ચકચકિત થાય. દિલ્હી સરકારના માહિતી ખાતાનું, પ્રચારનું, વિજ્ઞાપનનું બજેટ તેમણે બખૂબી વાપર્યું છે અને આમ આદમી પાર્ટી અને કેજરીવાલની વાહવાહ માધ્યમોમાં થાય તેવું સુંદર કેમ્પેઇન કર્યું છે. વિપક્ષને એક પછી એક ઘણા રાજ્યોમાં સત્તા મળી છે. તે રાજ્યોમાં પણ સરકાર સરકારી તીજોરી કરોડો રૂપિયા જાહેરખબરોમાં વેડફી નાખે છે, પણ તે પ્રચારમાં દમ નહોતો નથી. તે પ્રચાર સરકારી લાગે છે. દાખલા તરીકે છત્તીસગઢના કોંગ્રેસના મુખ્ય પ્રધાન રાષ્ટ્રીય ટીવીમાં ચમક્યા કરે છે. સરકાર આદિવાસી નૃત્યોનો કાર્યક્રમ કરે છે વગેરે પ્રચાર થતો રહે છે. પણ તે પ્રચાર સરકારી પ્રચાર જ લાગે છે. માહિતી ખાતામય પ્રચારનો કોઈ ફાયદો થતો નથી.

કેજરીવાલ ચૂંટણીને કલાત્મક રીતે, રચનાત્મક રીતે ડ્રામેટિક બનાવે છે. દાખલા તરીકે ઉમેદવારી પત્રક ભરવા જતી વખતે રોડ શૉ કાઢવાનો નવો રિવાજ નીકળ્યો છે. તેમણે પણ તે રિવાજ પાળ્યો, પણ એવી રીતે નાટક કર્યું કે પોતે સમયસર મામલતદાર કચેરીએ પહોંચી શક્યા નહિ. પોતાને જોવા, સાંભળવા, ટેકો આપવા માટે એટલી મોટી ભીડ ઊમટી પડી હતી કે તેમાંથી માર્ગ કરીને કચેરીએ ફોર્મ ભરવા પહોંચી શકાયું નહીં તેવી છાપ ઊભી કરાય. આટલું વ્યાપક જનસમર્થન છે એવું કહ્યા વિના જણાવાયું. પોતાને પ્રેમથી, ઉમળકાથી મળવા આવેલા મતદારોને મૂકીને પોતે ફોર્મ ભરવા દોડી શકે નહિ એવું કેજરીવાલનું કહેવાનું થતું હતું.

બીજા દિવસે વધારે ડ્રામા કરવાની તક ભાજપે પણ આપી. ભાજપની પદ્ધતિ પ્રમાણે ડઝનબંધ અપક્ષોને કેજરીવાલની સામે ઊભા કરી દેવામાં આવ્યા છે. ભાજપ ભળતા નામ સાથેના અપક્ષોને ખડા કરી દઈને વિપક્ષની નેતાને મૂઝવતો હોય છે. શંકરસિંહ વાઘેલા સામે શંકર અને વાઘેલા આવતા હોય તેવા અપક્ષોને ઊભા કરી દેવાય. થયું એવું કે 60થી વધુ અપક્ષો ચૂંટણીનું ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચી ગયા હતા. મતદારો કરતાં મોટી ભીડ ઉમેદવારોની થઈ ગઈ હતી. સરકારી બાબુઓ મંદ ગતિએ કામ કરવા ટેવાયેલા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આટલા બધા ફોર્મ સ્વીકારવાનું બાબુઓ માટે શક્ય નહોતું.

તેથી આખરે કેજરીવાલ પહોંચ્યા અને તેઓ અંદર પહોંચ્યા ત્યારે ભારે હોબાળો મચ્યો. લાઇનમાં આવો ભાઈ લાઇનમાં એવી ધમાલને કારણે ભારે ડ્રામા ઊભો થયો હતો. સરકારી બાબુઓ સરકારી ઉપાય જ કાઢ્યો હતો. સૌને ટોકન આપી દીધા હતા. કેજરીવાલને પણ 45 નંબરનું ટોકન મળ્યું હતું. મતલબ કે ઉમેદવારી પત્રક ભરવા માટે લાઈનમાં તેમનો 45મો નંબર. આ જુઓ ભાજપના લોકો, અમને કેવા હેરાન કરે છે તેવી ભાજપની જ દવા કેજરીવાલ ભાજપને પીવરાવી.

ઉમેદવારી પત્રકો પસાર થઈ જાય અને સામસામા ઉમેદવારો નક્કી થઈ ત્યાર પછી પ્રચાર ધમધમતો થશે. તે વખતે સમગ્ર ચૂંટણી વધારે નાટકીય બનશે તેમ લાગે છે. થોડી નાટકીય તો બની જ છે. ભાજપમાં આંતરિક હલચલ પણ ભારે મચી છે. કેજરીવાલ સામે ભાજપનો ચહેરો કયો તે નક્કી થઈ શક્યું નથી. તે જ રીતે કેજરીવાલની બેઠક પર તેમની સાથે ભાજપનો ઉમેદવાર કયો તેની પણ ભારે માથાકૂટ થઈ હતી.

અહેવાલો અનુસાર કેજરીવાલ સામે ભાજપના ઉમેદવારના મામલે ભાજપમાં ટ્રેજી-કોમેડી થઈ હતી. સુનીલ યાદવ નામના ઉમેદવાર નક્કી થયા હતા. તેઓ ફોર્મ ભરવાની તૈયારીમાં પણ હતા, ત્યાં ખબર આવ્યા કે તેમને બદલવાના છે. તેનું કારણ એ કે સુનીલ યાદવનું નામ નક્કી થયું ત્યારે એવી હવા ચાલી કે ભાજપે જાણે હાર સ્વીકારી લીધી છે. કેજરીવાલ સામે ભાજપને મજબૂત ઉમેદવાર જ મળતો નથી તેવી હવા ચાલી. એટલું જ નહિ સમગ્ર રીતે દિલ્હીમાં આપ સામે ભાજપે લડત પહેલાં જ હાર સ્વીકારી લીધી છે તેવી હવા ચાલી હતી.

દરમિયાન ભાજપના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડા સંપૂર્ણ પ્રમુખ બન્યા. બીજા દિવસે મંગળવારે તેમની સામે જ આ મામલો આવી પડ્યો હતો. વકીલ અને ભાજપના યુવા મોરચાના દિલ્હી એકમના નેતા એવા સુનીલ યાદવને પણ નારાજી હતી કે પોતાને નવી દિલ્હી વિધાનસભામાં હારવા જ મોકલવામાં આવી રહ્યા છે. બીજું કે સોમવારે રાત્રે, ઉમેદવારી કરવાના છેલ્લા દિવસની આગલી રાતે જ નામ જાહેર થયું હતું.

તેથી મંગળવારે ઉમેદવારી કરવા જતા પહેલાં તેઓ છેલ્લે એક વાર રજૂઆત કરવા નડ્ડાને મળ્યા હતા. એવું પણ કહેવાય છે કે સુનીલ યાદવના નામની જાહેરાત થતા ભાજપના કાર્યકરોએ જ હતાશા વ્યક્ત કરી હતી. આવો નબળો ઉમેદવાર – એવો અફસોસ વ્યક્ત થવા લાગ્યો તેથી નડ્ડાએ જ યાદવને મંગળવારે સવારે જ બોલાવી લીધા હતા તેમ કહેવાય છે. તેમણે યાદવને અટકાવ્યા અને દિલ્હીના ભાજપ એકમના ભૂતપૂર્વ પ્રમુખ સતિષ ઉપાધ્યાયને પસંદ કર્યું. જોકે કેજરીવાલ સામે બલિનો બકરો બની જવા માટે છેલ્લી ઘડીએ તેઓ પણ તૈયાર નહોતા. તેમણે સ્પષ્ટ ના પાડી દીધી તેથી નડ્ડાએ દિલ્હીના પ્રભારી શ્યામ જાજુને કહ્યું કે તમે કેજરીવાલ સામે લડો. જાજુએ પણ કહ્યું કે કેજરીવાલ સામે પોતે લડવા માગતા નથી. આ રીતે છેવટે બપોરે યાદવને જ આખરે મેન્ડેટ આપી દેવો પડ્યો હતો.

આ રીતે પ્રચારનો અને પરસેપ્શનનો પ્રથમ રાઉન્ડ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ જીતી લીધો છે. પરંતુ ચૂંટણી પ્રચાર આગળ વધતો જશે તે સાથે વધારે ઉગ્ર પ્રચાર થશે. ભાજપની કોશિશ લાગણી ઉશ્કેરે તેવા મુદ્દા તરફ વાતને વાળવાની કોશિશ છે, પણ આપ ચાલાકીપૂર્વક ટ્રેપમાં આવી રહ્યો નથી. બીજું આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ સરકારી તીજોરના કરોડો રૂપિયાનો ખર્ચ જાહેરખબર પાછળ કરીને પ્રચારનું ઘણું બધું કાર્ય આપે પૂર્ણ કરી લીધું છે. હવે ઘરે ઘરે ફરીને પ્રચાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહોલ્લા ક્લિનિક બની હોય ત્યાં જ પ્રચાર ચાલે, જેથી પોતે કરેલા કામનો નમૂનો દેખાડી શકાય.

દેશભરમાં જ્યાં પણ આપના કાર્યકરો હજી વધ્યા છે (બહુ મોટા પાયે કાર્યકરો મળ્યા પછી, તેમાં મોટું ગાબડું પણ પડ્યું હતું.) તેમને દિલ્હી બોલાવીને શેરીઓમાં પ્રચાર થઈ રહ્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષકો ઉપરાંત નિષ્ણાતોને મોકલીને બાળકોને વધારે માર્ગદર્શનની રીત આપે અપવાની હતી. તે માટે તેમણે દેશભરમાં પોતાના જે કાર્યકરો હોય તેમને દિલ્હી બોલાવી, જુદી જુદી શાળામાં મોકલીને કાર્યક્રમો કરાવ્યા હતા. સરકારી શિક્ષકો કરતાં વધારે સારી રીતે આ નિષ્ણાતો ભણાવતા હતા. તેની સારી છાપ પડી હતી અને હવે તે જ નિષ્ણાતોને ફરી દિલ્હી બોલાવીને પ્રચારના કામે પણ લગાડાઈ રહ્યા છે એમ માનવામાં આવે છે.

આ બધા વચ્ચે પ્રચારના પડઘમ વાગી ગયા છે અને શિયાળો થોડો ઠંડો પડ્યો છે અને તાપમાન માફકસર બન્યું છે, ત્યારે પ્રચારની ગરમી ક્યારે આવે છે તેની રાહ જોવાની છે. એકાદ અઠવાડિયમાં દિલ્હીમાં કોઈ મોટો રાજકીય ડ્રામા ના થાય તો જ નવાઈ. થશે ત્યારે તેના પાત્રો અને સ્ક્રિપ્ટનો પરિચય તમને કરાવીશું. અત્યારે આવજો.

રાશિ ભવિષ્ય 25/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા,ચામડા,ધાતુ,ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે.