શા માટે રોહિત પાસેથી વનડે કપ્તાની લેવામાં આવી?

નવી દિલ્હીઃ લગભગ આઠ મહિના પહેલા કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જિતાડનાર રોહિત શર્મા  આગામી એક-બે વર્ષ નહીં, પરંતુ વર્ષ 2027ના વર્લ્ડ કપમાં પણ ભારતના કપ્તાન રહેશે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું, પરંતુ રવિવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાહેર કરાયેલી વનડે ટીમમાં આગરકર એન્ડ કંપનીએ ટેસ્ટ કપ્તાન શુભમન ગિલને વનડેની કપ્તાની આપીને તમામ અંદાજોને ખોટા સાબિત કર્યા. ચીફ સિલેક્ટર અજિત આગરકરે આ નિર્ણય હેડ કોચ ગૌતમ ગંભીર અને BCCIના સચિવ દેવજિત સૈકિયા સાથે ચર્ચા કર્યા બાદ લીધો. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં આ પણ સ્પષ્ટ કર્યું કે તેમને આ નિર્ણય વિશે પૂર્વ જાણ કરવામાં આવી હતી.

જોકે આગરકરને રોહિત અને વિરાટ 2027ના વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું.આગરકરે કહ્યું હતું તે ત્રણ ફોર્મેટમાં ત્રણ અલગ-અલગ કપ્તાન હોવું ખૂબ અવ્યવહારિક છે. તેથી જ અમે શુભમન ગિલને વનડે કપ્તાન બનાવવા નિર્ણય કર્યો છે. આગરકરે વધુમાં કહ્યું હતું કે રોહિત અને વિરાટ હાલમાં એક જ ફોર્મેટ રમી રહ્યા છે. જ્યાં સુધી 2027ના વર્લ્ડ કપમાં તેમના રમવા અંગેની વાત છે, તે અંગે હાલ વાત કરવાની જરૂર નથી, પરંતુ કપ્તાનીમાં ફેરફાર એ બાબત હતી, જેને લઈને અમે વિચાર કર્યો હતો.

 ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની વનડે ટીમ

શુભમન ગિલ (કપ્તાન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકપ્તાન), અક્ષર પટેલ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મહંમદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) અને યશસ્વી જૈસવાલ.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની T20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અભિષેક શર્મા, શુભમન ગિલ (ઉપકપ્તાન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જેટેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર.