વિઝિંજામ પોર્ટ દેશની વૈશ્વિક કાર્ગો મહત્વાકાંક્ષાઓનું પ્રવેશદ્વાર

તિરુવનંતપુરમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કરતાની સાથે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગના મંગલાચરણનો આરંભ થયો છે. કેરળ સ્થિત વિઝિંજામ ભારતને આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોમાં નિર્ણાયક ખેલાડી બનાવશે. ભારતના પ્રથમ ઓટોમેટેડ બંદર તરીકે વિઝિંજામ પોર્ટ મેનેજમેન્ટ અને કામગીરીમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે. વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટમાં લોજિસ્ટિક્સ નકશા પર તે દેશને સહભાગી જ નહીં, પરંતુ અગ્રણી પ્લેયર તરીકે સ્થાન આપશે.

દરિયાઈ વેપારમાં અગ્રણી વૈશ્વિક ખેલાડી

વિઝિંજામ ભારતના વિશાળ દરિયાઈ મુદ્રામાં વ્યૂહાત્મક રીતે બંધ બેસે છે. જેમ-જેમ ચીન હંબનટોટા અને ગ્વાદરમાં તેની હાજરીને વધુ ગાઢ બનાવી રહી છે, તેમ-તેમ ભારત સ્વદેશી માળખાગત સુવિધાઓ સાથે આગળ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટથી માત્ર 10 નોટિકલ માઈલ દૂર વિઝિંજામ એક મહત્વપૂર્ણ ટ્રાન્સશિપમેન્ટ હબ બનશે, જે કોલંબો, સિંગાપોર અને દુબઈ જેવાં બંદરો પર ભારતની નિર્ભરતા ઘટાડશે. વિઝિંજામનો 20 મીટરનો કુદરતી ડ્રાફ્ટ સતત ડ્રેજિંગ વિના અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs)ને હોસ્ટ કરવા સક્ષમ છે.

કેવી રીતે બન્યું વિઝિંજામ બંદર?

કેરળ સરકારે ઓગસ્ટ 2015માં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપ વોટરસી બંદર વિકસાવવા માટે અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડ (APSEZ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એકમાત્ર બોલી લગાવનાર અદાણી પોર્ટ્સને ૨૦૧૫માં તેનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. અદાણી જૂથે ધીરજ અને પરિપક્વતાથી પડકારોનો સામનો કરી પ્રયાસોને પરિણામ સુધી પહોંચાડ્યા છે.

ફેડરલ સ્ટ્રક્ચનું ઉત્તમ મોડેલ

વિઝિંજામ પોર્ટનું ફન્ડિંગ માળખું સહકારી સંઘવાદનું એક ઉત્તમ મોડેલ છે, તેમાં કેરળ 61.5 ટકા હિસ્સો ધરાવે છે, કેન્દ્ર 9.6 ટકા હિસ્સો ધરાવે છે, અને APSEZ 28.9 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રુપે વિઝિંજામ ઇન્ટરનેશનલ સીપોર્ટ પ્રોજેક્ટમાં પહેલાંથી જ રૂ. 4500 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

રોજગારી સર્જન, આર્થિક ઉત્થાન અને રાજદ્રારી લાભો

વિઝિંજામની વ્યૂહાત્મક પૃષ્ઠભૂમિ અને ભવિષ્ય દરિયાઈ વેપારની વિકાસ યાત્રામાં સિંહફાળો આપશે. વિઝિંજામ પોર્ટ રોજગાર સર્જનમાં ઉલ્લેખનીય રહ્યું છે. તેમાં પહેલેથી જ 5500 સીધી નોકરીઓનું સર્જન થયું છે. આગામી વર્ષોમાં વેરહાઉસિંગ, લોજિસ્ટિક્સ અને સપોર્ટ સેવાઓમાં વધુ હજારો નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે.

ટકાઉપણા આધારિત સંરચના અને ભવિષ્યમાં વિસ્તરણ

પર્યાવરણીય રીતે વિઝિંજામ ટકાઉપણા આધારિત સંરચના ધરાવે છે. તેની કુદરતી ઊંડાઈ ડ્રેજિંગની જરૂરિયાતો ઘટાડે છે, જ્યારે ઇલેક્ટ્રિફાઇડ ક્રેન્સ, કિનારાની શક્તિ અને ESG-અનુરૂપ કાર્ગો હેન્ડલિંગ વૈશ્વિક લીલાં ધોરણો સાથે સુસંગત છે. નવીનતમ ટેકનોલોજી સાથે 2028 સુધીમાં પાંચ મિલિયન TEUs સુધી ક્ષમતા વધારવાની યોજના સાથે વિઝિંજામ ભારતના દરિયાઈ માળખાગત સુવિધાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.