એશિયા કપ જીત્યા પછી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે

નવી દિલ્હીઃ એશિયા કપમાં જીત્યા પછી ભારતીય ટીમ હવે વિશ્વકપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. આ સિરીઝ ઘણી મજેદાર થવાની છે, જેમાં કેટલાય ક્રિકેટરો વચ્ચે રસાકસી જોવા મળશે. આ વર્ષના પ્રારંભમાં ઓસ્ટ્રેલિયાએ ચાર મેચોની બોર્ડર-ગાવસકર ટ્રોફી 1-2થી હારવા છતાં વનડે સિરીઝ 2-1થી પોતાને નામ કરી લીધી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી છે, તેની કમાન પેટ કમિન્સને આપવામાં આવી છે. આ ટીમમાં મિચેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથની વાપસી થઈ છે. આ ખેલાડીઓની વાપસી બાદ કાંગારૂ ટીમ મજબૂત લાગી રહી છે. ભારત ઓસ્ટ્રેલિયા પ્રથમ વનડે- 22 સપ્ટેમ્બર, મોહાલીમાં, બીજી વનડે- 24 સપ્ટેમ્બર, ઈન્દોરમાં અને ત્રીજી વનડે- 27 સપ્ટેમ્બર, રાજકોટમાં રમશે.

આ સાથે ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐય, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠક્કર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે.

ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), શોન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.