નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન ચાલુ છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી અન્ય કોંગ્રેસ સાંસદો સાથે ધરણાં પર બેઠા છે. વડા પ્રધાનના નિવાસસ્થાન નજીક કોંગ્રેસ સાંસદોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા છે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ દ્વારા વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો કે આખો દેશ જાણે છે કે શિક્ષણ વ્યવસ્થા તૂટી ગઈ છે, છતાં પણ આ સ્થિતિ કેમ ચાલુ છે? વડા પ્રધાન શા માટે મૌન છે? તેમણે વિદ્યાર્થીઓ પાસે માફી માગવી જોઈએ અને પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલી મારપીટ જેવી ઘટનાઓને રોકવી જોઈએ. આ સંપૂર્ણપણે ખોટું છે. બીજી તરફ, જંતર-મંતર પર આજે પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. ગઈ કાલે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ તથા પથ્થરમારો થયો હતો, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદોએ પ્રધાનમંત્રીના નિવાસસ્થાનથી આશરે સાત કિલોમીટર દૂર વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન માત્ર એક મધ્યસ્થ છે અને તેમને ચોક્કસપણે રાજીનામું આપવું જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓ પર થયેલી મારપીટ માટે તેઓ જવાબદાર નથી. આ માટે ગૃહ મંત્રી જવાબદાર છે અને તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. ગૃહ મંત્રી પ્રધાનમંત્રીને અહેવાલ આપે છે, તેથી આ સંદર્ભમાં વડા પ્રધાનને પણ જવાબદારી સ્વીકારવી જોઈએ. દેશમાં આખરે શું ચાલી રહ્યું છે?
छात्रों को पिटवाना गुंडागर्दी है- ऐसी गुंडागर्दी करने वालों को सत्ता में रहने का कोई हक नहीं।
नरेंद्र मोदी, अमित शाह और धर्मेंद्र प्रधान इस्तीफा दो
📍 दिल्ली pic.twitter.com/vsqwVGaGm4
— Congress (@INCIndia) July 21, 2026
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, કે.સી. વેણુગોપાલ, પવન ખેડા અને અન્ય કોંગ્રેસ નેતાઓએ વડા પ્રધાન તથા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું. જોકે પોલીસે આ નેતાઓને ત્યાંથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે.




