નીતીશકુમારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું, 20 નવેમ્બરે નવી સરકારની રચના

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAએ સપાટો બોલાવ્યા બાદ હવે નવી સરકારની રચના કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. NDAની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટveના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.

 

નીતીશકુમારે રાજીનામું આપ્યું 

નીતીશકુમારે રાજભવન પહોંચીને CM પદેથી રાજીનામું રાજ્યપાલને સુપરત કરી દીધું છે. હવે 19 નવેમ્બરે બિહાર વિધાનસભા ભંગ કરશે. ત્યાર બાદ નવા મુખ્ય મંત્રી તરીકે સતત 10મી વખત તેઓ CM પદના શપથ લઈ શકે છે.

નીતીશ કુમારના નેતૃત્વમાં કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મુખ્ય મંત્રી નીતિશ કુમાર હવે રાજ્યપાલને મળવા અને મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું સુપરત કરવા રાજભવન પહોંચ્યા છે.

મુખ્ય મંત્રીપદ માટે નીતીશકુમારના નામ પર આવતી કાલે મોહર વાગી શકે છે. દિલીપ જયસ્વાલના નિવેદન બાદ, એવું માનવામાં આવતું હતું કે ભાજપ વિધાનસભા પક્ષ નવા નેતાની પસંદગી કરશે અને ત્યાર બાદ પાર્ટી તેના સાથી પક્ષોને મુખ્ય મંત્રી પદ માટે નીતિશ કુમારને સમર્થન આપવાનો ઔપચારિક પત્ર સુપરત કરશે. પરંતુ હવે રાહ જોવાનો સમય લંબાવવામાં આવ્યો છે.

આ ભવ્ય સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે NDAએ 243 બેઠકોમાંથી 202 બેઠક જીતીને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત કરી હતી જેમાં ભાજપને 89, જેડીયુને 85, એલજેપીને 19 અને અન્ય પક્ષોને 9 બેઠકો મળી હતી.