સુપ્રીમ કોર્ટે બાળ વિવાહ અટકાવવા માટે ગાઇડલાઇન જારી કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાળ વિવાહ પર ગાઇડલાઇન જારી કરીને કહ્યું હતું કે બાળ વિવાહના કાયદાને કોઈ પણ વ્યક્તિગત કાનૂન હેઠળ પરંપરાઓથી બાધિત ના કરી શકાય. એક NGO તરફથી દાખલ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યોના સ્તરે બાળ વિવાહ નિષેધનો યોગ્ય રીતે અમલ નથી થઈ રહ્યો, જેને પગલે બાળ વિવાહના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

કોર્ટે કહ્યું હતું કે બાળ વિવાહને અટકાવવા માટે બધા વિભાગોના લોકો માટે વિશેષ તાલીમની જરૂર છે.  દરેક સમાજ માટે અલગ-અલગ રીતો અપનાવવામાં આવે. આ સાથે દંડાત્મક પદ્ધતિથી સફળતા નથી મળતી.સમાજની સ્થિતિ સમજીને વ્યૂહરચના બનાવવામાં આવે.

કોર્ટે બાળ વિવાહ પર ગાઇડલાઇન જારી કરતાં કહ્યું હતું કે માતા-પિતા દ્વારા સગીર પુત્રીઓને કે પુત્રોને વયસ્ક થયા પછી લગ્ન કરાવવા માટે સગાઈ કરવી એ સગીરોને જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતાની ઇચ્છાનું ઉલ્લંઘન છે. કોર્ટે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાજ્યોથી વાત કરીને એ જણાવે કે બાળ વિવાહ અટકાવવા માટે કાનૂનના અસરકારક અમલ માટે સરકારે શાં પગલાં ભર્યાં છે?, એ જણાવે.

CJI DY ચંદ્રચૂડએ ચુકાદો આપતાં કહ્યું હતું કે દંડ અને કાનૂની પ્રક્રિયાને બદલે પ્રતિબંધ કે અટકાવવા પર ભાર મૂકવો જોઈએ. અમે બાળ વિવાહ અટકાવવા માટે ઉચિત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.