કેરળ હાઇકોર્ટે પરાઠા પર GST ઓછો કરવાનો ચુકાદો આપ્યો

નવી દિલ્હીઃ માલાબાર ‘પરાઠા’ બ્રેડ (રોટી)ના સમાન છે અને આ પ્રકારને એને ટેક્સેશન અંતર્ગત લાવવા માટે હેડિંગ 1905 હેઠળ કેટેગરી કરવામાં આવવી જોઈએ, એમ કેરળની હાઇકોર્ટે જણાવ્યું હતું. આ ચુકાદો ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR) અને એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAAR)ના પાછલા નિર્ણયોનું ખંડન કરે છે.

કેરળ હાઇકોર્ટે નક્કી કર્યું છે કે ક્લાસિક માલાબાર પરાઠા અને હોલ વ્હીટ માલાબાર પરાઠા- બંને ઉત્પાદનો પર 18 ટકાને બદલે પાંચ ટકાના GSTનો દરે ટેક્સ લગાવવામાં આવવો જોઈએ, કેમ કે એ HSN કોડ 1905 હેઠળ આઇટમ્સ (જેવા કે બ્રેડ)ની સાથે સમાનતાઓ શેર કરે છે. કેરળ હાઇકોર્ટમાં જસ્ટિસ દિનેશકુમાર સિંહે એ નિર્ણય કર્યો હતો. હાઇકોર્ટે કહ્યુંહ તું કે પ્રોડક્ટ 18 ટકાને બદલે પાંચ ટકા GST (2.5 ટકા CGST+ 2.5 ટકા SGST) અને AAARનો આદેશો હવાલો આપીને 18 ટકા દરનો બચાવ કરી રહી હતી. AAR અને AAARએ પરાઠા પર 18 ટકા GST નિર્ધારિત કર્યો હતો.

શું હતો મામલો?

મોર્ડન ફૂડ એન્ટરપ્રાઇઝિસ પ્રા. લિ. ક્લાસિક માલાબાર પરોઠા અને હોલ વ્હીટ માલાબાર પરાઠાનું ઉત્પાદન અને સપ્લાય પણ કરે છે. કંપનીએ કેટેગરાઇઝેશન, GSTનો દર અને પ્રોડક્ટને GST હેઠળ બ્રેડના રૂપે માની શકાય છે. એના પર પહેલ પર નિર્ણય પર સત્તાવાળાથી સફાઈ માગી હતી.