ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટે શૈક્ષણિક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજ્યો

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ૬૨માં જન્મદિવસ નિમિત્તે ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા સેક્ટર -૮ માં શૈક્ષણિક સામગ્રીના વિતરણ નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉદગમના શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવને આવકારીને ઉદગમ ટ્રસ્ટ દ્વારા શાળામાં કરવામાં આવતા શૈક્ષણિક કાર્યોની માહિતી આપી હતી .


ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલે ઉદગમના સેવાકાર્યોને બિરદાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિક્ષણને પાયાની જરૂરીયાત માનીને ખુબ કામ કરવામાં આવી રહ્યું છે. તેઓએ સેક્ટર -૮ના સક્ષમ દાતાઓને શાળાના જરૂરીયાતમંદ બાળકોને દત્તક લેવા માટે ઉદગમ સંસ્થાને પ્રયાસ કરવાની અપીલ કરી હતી.

 

અતિથિવિશેષ પદે  વોર્ડ નં -૧૦ ના નગરસેવક મહેન્દ્રભાઈ પટેલ(દાસ) એ ધારાસભ્યની અપીલને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. સાથોસાથ ધારાસભ્ય રીટાબેન પટેલની અપીલને વધાવતા ગાંધીનગરના ગાયનેકોલોજિસ્ટ ડો. નીતાબેન શેખાતે ૫ દીકરીઓ અને સામાજિક કાર્યકર મનોજભાઈ જોષીએ બે બાળકો અભ્યાસ માટે દત્તક લેવાની જાહેરાત કરી હતી.

શાળાના વંચિત બાળકોને અભ્યાસ માટે નાના બાળકોને દફતર, તથા ફુલ સ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફુટપટ્ટી, સ્કેચપેન, ડ્રોઈંગ બુક ની કીટ વિતરણ કરવામાં આવ્યા. શાળાની દીકરીઓને મનોજભાઈ જોશી એ પ્રોત્સાહન રૂપે રૂપિયા 501 નું કવર ભેટ આપ્યું હતું.

 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ૬૨માં જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે કેક કાપવામાં આવી અને બાળકોને ચોકલેટનું વિતરણ કરવાંમાં આવ્યું. ઉદગમ ટ્રસ્ટના સર્વે ઈંટર્ન્સને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.