કોંગ્રેસ જીતશે, તો PM કોણ બનશે? : અમિત શાહ

લોકસભા ચૂંટણીના છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાડી રહી છે. એક બાજુ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં જનસંભાને સંબોધન કર્યું હતું. ત્યારે બીજી બાજુ અમિત શાહે છોટાઉદેપુરના બોડેલી બાદ વાંસદામાં જનમેદનનીને સંબોધન કર્યું હતું. બંને સભા પર ગજાવતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવા સાથે કોંગ્રેસ પાસે નેતા ન હોવાનું પણ કહ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસીવિરોધી પાર્ટી ગણાવી હતી.

છોટાઉદેયપુરમાં શું બોલ્યા અમિત શાહ

આપણી સામે કોંગ્રેસ અને INDIA ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે, ત્યારે તે જીતવાના તો છે નહીં, પરંતુ ભગવાન ન કરે અને તે જીતી જાય તો છોટાઉદેપુરની જનતાને પુંછવા માંગુ છું કે, વડાપ્રધાન પ્રધાન કોણ બનશે. અમારો તો ચોખ્ખો હિસાબ છે કે, ભાજપ જીતશે એટલે મોદી સાહેબ વડાપ્રધાન બનશે.

આ સાથે જ તેમણે કહ્યું કે અરે અકલના ઓથમિરો આ ભાગીદારી નથી, દેશ ચલાવવાનો છે. હુલબાબા એન્ડ કંપની કહે છે કે, મોદી વડાપ્રધાન બનશે તો અનામત જતી રહેશે. ભાજપે 400 પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો છે. અને રાહુલ બાબ કોઈ સલાહ કાર તો સારા રાખો, 2014માં ભાજપ પાસે બહુમતી હતી, 2019માં પણ બહુમતી હતી પરંતુ નરેન્દ્રભાઈએ SC,ST, OBCની અનામત હટાવવાનું કામ નથી કર્યું. શાહે ગેરેન્ટી આપતા કહ્યું કે, જ્યા સુધી ભાજપ સરકાર છે ત્યા સુધી અનામતને કોઈને હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી.

વાસંદામાં શું બોલ્યા શાહ?

જન સંબોધનની શરૂઆત કરતા અમિત શાહ બોલ્યા “ધવલ પટેલ માટે તમે ધોમધખતા તાપમાં ભેગા થયો છે એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું” વધુમાં તેમણે કહ્યું કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે. 1998 સુધી દેશમાં આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું. અલટ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા તો આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું.. નરેન્દ્ર મોદીજીએ નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી.

70-70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં રામ મંદિરને લટકતુ રાખ્યું. તમે 26 સીટો આપી તો 5 જ વર્ષમાં કેસ જીત્યો, મંદિર બનાવ્યું અને પ્રાણપ્રતિષ્ઠા પણ કરી. કોંગ્રેસ પાર્ટીને રામ જન્મ ભૂમીનું આણંત્રણ મોકલ્યું પણ કોઇ આવ્યું જ નહીં. એ એમની પેલી વોટ બેંકથી ડરે છે એટલે ન આવ્યા. નરેન્દ્રભાઇએ ખાલી રામ મંદિર નહીં પણ કાશી વિશ્વાનાથ કોરીડોર પણ બનાવ્યો, પાવાગઢ પર ધજા પણ ચડાવી.

એ ભાઇ-બેન બંને રાતના અંધારામાં જઇને રસી મુકાવી આવ્યા. એમની અફવાઓના કારણે ઘણા લોકોએ રસી ન લીધી અને જીવ ખોયો.. આ લોકો આદિવાસીઓના જીવ લેવા માંગે છે. ધવલ પટેલને આપેલો એક એક મત સીધો નરેન્દ્રભાઇને પહોંચશે એટલે કમળનું બટન દબાવવાનું ન ભૂલતા. ધવલ ભણેલો ગણેલો યુવાન છે. એન્જિયર હતો અને અમારા આઇ.ટી સેલમાં કામ કરતો હતો. રોજ નરેન્દ્રન મોદીનો પ્રચાર કરતો હતો. હવે તમારો વિકાસ ધવલ કરશે.