વરસાદી જળને બચાવવા સ્ટાર્ટઅપઃ 150 અબજ લિટર પાણીની બચત

નવી દિલ્હીઃ પ્લાસ્ટિક એન્જિનિયર અમિત દોશીનું સ્ટાર્ટઅપ નીરેન સરળતાથી ઇન્સ્ટોલ થનારું વરસાદી જળ સંચય (રેઇનવોટર હાર્વેસ્ટિંગ) ડિવાઇસ બનાવે છે, જે બોરવેલને રિચાર્જ કરીને ભૂજળની માત્રા અને ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદ કરે છે. હાલમાં ભારતના જળ સંકટને ઓછું કરવામાં મદદ કરી રહ્યું છે.

46 વર્ષીય અમિત પરિવારને દૈનિક ધોરણે પાણીથી ઝઝૂમતા જોઈને મોટો થયો છે. તે તેનાં માતાપિતાની પાણીની જરૂરિયાત કઈ રીતે ઉકેલવી એના વિશે કાયમ વિચારતો. અમિતે સરકારી પોલિટેક્નિકથી પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તે કહે છે કે કલોલમાં આશરે 70 ટકા વસતિને પાણીની સમસ્યાથી ઝઝૂમવું પડ્યું છે. પાણીની તકલીફની સાથે મોટા થયેલા અમિતે પાણી વરસાદી પાણી બચાવવા માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો.

નીરેનનો વિકાસ

કેન્દ્રીય જળ પંચના અનુસાર દેશમાં વર્ષેદહાડે 400 અબજ ઘન મીટર વરસાદ થાય છે અને માત્ર આઠ ટકા જ સંચય થાય છે. આ આંકડો વિશ્વમાં સૌથી ઓછો છએ. વરસાદી જળ સંચથી ઘરની 70 ટકા પામીની જરૂર પૂરી કરી શકાય છે. અમિતે એક સરળતાથી ઉપયોગમાં લેવાતા વરસાદી જળ સંચયની પ્રોડક્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. એક વર્ષ પછી સંશોધન અને વિકાસ પછી તેણે લોકોને વરસાદી જળ એકત્ર કરવામાં મદદ માટે એક ડિઝાઇન કર્યું જેનો ઉપયોગ બોરવેલને રિચાર્જ કરવા અને પાણી એકત્ર કરવા માટે કરી શકાય છે અને એને નીરેન રિનવોટર ફિલ્ટર નામ આપ્યું. આ નીરેનથી જૂન, 2023 સુધીમાં ત્રણ મહાદ્વીપોમાં ફેલાયેલા સાત દેશોમાં 150 અબજ લિટરથી વધુ વરસાદી જળ બચાવવામાં આવ્યું છે.