ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તડામાર તૈયારી શરૂ..

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થયો છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 7મી જૂલાઈના અષાઠી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે.

આગામી જુલાઈ મહિનામાં યોજાનારી રથયાત્રાને લઈ AMC સહિત પોલીસની કેટલીક ટીમો તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે બીજી બાજું ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો રથ પણ ફરી સજાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે. જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા. રથયાત્રા પહેલા પવિત્ર જળયાત્રાનુ આયોજન થાય છે. આ વર્ષે જળયાત્રા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી હાજર રહેશે

22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લગભગ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે એ પહેલા જળયાત્રાને લઈ મંદિરમાં પોલીસનું ચેકિંગ. જળયાત્રાને લઈ મંદિરમાં લગાવ્યા વિશેષ પોસ્ટર. જળયાત્રામાં બેન્ડવાજા, અખાડા હાજર રહેશે. 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ હાજર રહેશે જે આકર્ષણ જમાવશે. મંદિરને વિશેષ ફૂલોથી શણગારાશે. અત્યારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.