35 IPS અધિકારીની બઠતી અને બદલી

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યમાં કેટલીક IPS અધિકારીઓની પોસ્ટને લઈ અસમનજસ ચાલી રહી હતી. રાજ્ય સરકારે અધિકારીઓની પોસ્ટીંગને લઈને નિર્ણય ચૂંટણી પંચ પર ઠોળ્યો હતો. રાજ્ય સરકારે અધિકારીઓના નામોની યાદી ચૂંટણી પંચને મોકલી આપી હતી. જે બાદ 14 એપ્રિલના ચૂંટણી પંચે 35 IPS અધિકારીઓના બદલી અને બઠતીનો ઓર્ડર આપ્યા હતા.

ઉલ્લેખીય છે આ નિર્ણય બાદ સુરતની લાંબા સમયથી ખાલી પડેલી કમિશ્નરની ખુરશી પર પણ અધિકારીની નિમર્ણૂક કરવામાં આવી છે. અંદાજિત 35 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બઢતી અને બદલી જાહેર થઇ છે. દસ જેટલા આઇપીએસને સિલેકશન ગ્રેડ અપાયા છે, એટલે તેઓ પણ તેમની બેચ અનુસાર આગામી સમયમાં હવે ડીઆઇજીનું પ્રમોશન મેળવી, ડીઆઇજીનુ પોસ્ટીંગ મેળવી શકશે. સુરતના પોલીસ કમિશ્નરની ખાલી પોસ્ટ ભરાઈ છે.

નોંધનીય છે કે હવે અનુપમસિંહ ગેહલોત સુરતના નવા કમિશ્નર બન્યા છે. સુરત રેન્જ આઇજી તરીકે પ્રેમવીરસિંગની નિમણૂક કરાઇ છે. બરોડાના નવા પોલીસ કમિશનર તરીકે નરસિંમ્હા કોમરની નિમણૂક કરાઇ છે. બ્રજેશ કુમાર ઝા હવે અમદાવાદના સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ બન્યા છે. ગગનદીપ ગંભીર, રાઘેન્દ્ર વત્સ અને પ્રેમવીર સિંહ સહિત અનેક પોલીસ અધિકારીઓને આ જાહેરાત દરમિયાન પોસ્ટીંગ મળ્યા છે.

અમદાવાદના પોલીસ કમિશ્નર જી. એસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન મળ્યા છે. જયારે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક જેવા આઇપીએસ અધિકારી હજુ પણ વેઈટિંગ ફોર પોસ્ટિંગ લિસ્ટમાં છે. જોકે તેમને સિલેકશન ગ્રેડ અપાયો છે, તેમની બેચ અનુસાર હવે તેઓ ડીઆઇજીનુ પ્રમોશન મેળવી શકશે. સિલેક્શન ગ્રેડ મળ્યો એ બધાને હવે પછી ડીઆઈજી પ્રમોશન મળી શકશે.