આખરે કોંગ્રેસના કાર્યકર્તાઓને હાઈકોર્ટે આપી રાહત..

થોડા સમય પહેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યલય ખાતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણને લઈ એલસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓને જેલના હવાલે કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ કોંગ્રેસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ત્યારે આ કેસને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.

આ અગાઉ કોંગ્રેસના કાર્યકર્તાઓની જામીન માટે અરજી કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાની અરજીના મંજૂર કરવામાં આવી હતી. ત્યારે હવે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. જેલમાં બંધ પાંચેય કોંગ્રેસના કાર્યકર્તાઓના જામીન મંજૂર કર્યા છે. રૂપિયા 10 હજારના બોન્ડ પર ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. વધુ તપાસની જરૂર ન હોવાથી બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારે હાઈકોર્ટે તમામના જામીન મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યો છે.

શું આખો મામલો?

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સાંસદમાં હિન્દુઓ પર વિવાદત ટીપ્પણી કરી હતી. જેના પડધા ગુજરાત સહિત દેશમાં પડ્યા હતા. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર કાર્યકર્તા દ્વારા કોંગ્રેસના કાર્યલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ બીજા દિવસ કોંગ્રેસના કાર્યલય બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વિરોધ પ્રદર્શ કરવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે પોલીસને ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. તો આ ઘટનામાં પથ્થરમારામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો.