અદાણી યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

અમદાવાદ: અદાણી યુનિવર્સિટી દ્વારા “ગિવ ટુ ગેઇન”ની વૈશ્વિક થીમ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. ૮ માર્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ સંવાદ, ચિંતન અને સહિયારા શિક્ષણના મનનમાં ભાગ લીધો હતો.

વરિષ્ઠ સ્ત્રી રોગ વિજ્ઞાની ડૉ. નીતા ઠાકરેના નેતૃત્વમાં એક ઇન્ટરેક્ટિવ આરોગ્ય અને સુખાકારી સત્રથી ઉજવણીનો આરંભ થયો હતો. તેમણે આરોગ્ય સંભાળ, સ્વાસ્થ્યની ચિંતાઓ અંગે પ્રારંભિક જાગૃતિ અને મહિલાઓની સુખાકારીને આધાર આપતી રોજિંદી પ્રથાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આરોગ્ય જાગૃતિ પરની ચર્ચામાં ઉપસ્થિત સહુએ ભાગ લીધો હતો.

અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. પ્રીતિ અદાણી સાથે આ ઉજવણી પ્રસંગે થયેલી પેનલ ચર્ચામાં વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રના મહિલા અગ્રણીઓ જોડાયા હતા. જેમાં સિરિલ અમરચંદ મંગળદાસ, અમદાવાદના ભાગીદાર અને વડા પરિધિ અદાણી; સેક ઇસરો, અમદાવાદના રીસ્પોન્ડના ’એસજી’ અને મુખ્ય વડા સાયન્ટીસ્ટ-એન્જીનિયર ડૉ. આભા છાબરા, વાયજે ત્રિવેદી એન્ડ કંપનીના વરિષ્ઠ ભાગીદાર ગોપી ત્રિવેદી, માઇકાના ડીન અને પ્રિન્સિપાલ પ્રાધ્યાપક ગીતા હેગ્ડે અને નોર્થસ્ટાર ડાયગ્નોસ્ટિક્સ અને નોર્થસ્ટાર લોંગેવિટીના સ્થાપક.ડૉ. તુલસી મહાદેવિયાનો સમાવેશ થાય છે.

વ્યાવસાયિક યાત્રાઓમાંથી પ્રાપ્ત કરેલા નેતૃત્વ, દ્રઢતા અને માર્ગદર્શન પરના તેમના અનુભવોનું ભાથું આ પેનલિસ્ટોએ ઉપસ્થિતો સાથે શેર કર્યું ત્યારે તેમના અનુભવોમાં જ્ઞાન, માર્ગદર્શન અને તકની વહેંચણી અન્ય લોકો માટે વિકાસના પથને કેવી રીતે કંડારે છે, તેનું પ્રતિબિંબ “ગીવ ટુ ગેઇન” થીમના સારને પ્રદર્શિત કરતું હતું.

અદાણી યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે આપણા શૈક્ષણિક સમુદાયમાં મહિલાઓના નેતૃત્વ અને સિદ્ધિઓને ઓળખવા માટેનો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. પરામર્શ, માર્ગદર્શન અને સહિયારા શિક્ષણને પ્રોત્સાહન આપીને, મહિલાઓ એકબીજાને આધાર આપે તેમજ આત્મવિશ્વાસ અને હેતુ સાથે નેતૃત્વ કરતા રહે એવા વાતાવરણનું નિર્માણ કરવાની આશા રાખીએ છીએ

અદાણી યુનિવર્સિટી સમાવેશકતા, નેતૃત્વ વિકાસ અને સમાન તકોને પ્રોત્સાહન આપતી પહેલોને અવિરત આગળ વધારતી રહે છે. જ્યારે વ્યક્તિઓ એકબીજાના વિકાસમાં રોકાણ કરે છે, ત્યારે તેનો સામૂહિક પ્રભાવ સંસ્થાઓને મજબૂતી બક્ષીને વધુ સમાવેશી ભવિષ્ય નિર્માણમાં ફાળો આપે છે. મહિલા દિવસની ઉજવણીએ યુનિવર્સિટીના આ વિશ્વાસને ફરી પુષ્ટિ આપી છે.