કર્તવ્ય પથ પર દેખાશે આત્મનિર્ભર ભારતની ઝલકઃ PM મોદીનો ખાસ સંદેશ

નવી દિલ્હીઃ આજે દેશ 77મો પ્રજાસત્તાક દિન ભારે ઉત્સાહ સાથે ઊજવી રહ્યું છે. દેશની રાજધાની નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ યોજાશે, જેના પર વિશ્વની નજર ટકી છે. હંમેશની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પરેડમાં દેશની સૈન્ય શક્તિ, સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનું સુંદર પ્રદર્શન કરવામાં આવશે. આ વર્ષની પરેડમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 30 ઝાંખીઓ સામેલ થશે. યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન પ્રજાસત્તાક દિન પરેડ 2026ના મુખ્ય અતિથિ રહેશે.

પ્રજાસત્તાક દિનની પરેડ સવારે શરૂ થશે અને અંદાજે 90 મિનિટ સુધી ચાલશે. તેની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ હતી, જ્યાં તેમણે શહીદ વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ વડા પ્રધાન મોદી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ કર્તવ્ય પથ સ્થિત સલામી મંચ પર પરેડ જોવા જશે. રાષ્ટ્રપતિ મુર્મુ અને બંને મુખ્ય અતિથિઓ રાષ્ટ્રપતિના અંગરક્ષકોની સુરક્ષામાં પરંપરાગત બગ્ગીમાં આવશે. પરંપરા મુજબ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે, ત્યાર બાદ રાષ્ટ્રગાન ગવાશે અને પછી 105 મિમી હલકી ફીલ્ડ તોપોથી 21 તોપોની સલામી આપવામાં આવશે. આ સલામી 172 ફીલ્ડ રેજિમેન્ટની 1721 સેરેમોનિયલ બેટરી દ્વારા આપવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે ઇન્ડિયા ગેટ પહોંચ્યા હતા વડા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.